SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૧૮૭ શુક્લ વર્ણવાળા કાષ્ઠકર્મ – યાવત્ – સંઘાતિમ તથા બીજા અનેક ચક્ષુઇન્દ્રિય યોગ્ય પદાર્થો રાખીને ત્યાં જાળ બિછાવી. ત્યારપછી તે અશ્વોના બેસવા આદિના સ્થાને તેઓએ અનેક કોષ્ઠપુટ તથા બીજા પ્રાણેન્દ્રિયને પ્રિય પદાર્થોના ઢગલા કર્યા. ચારે તરફ જાળ બિછાવી – યાવત્ – મૂક થઈને બેસી ગયા. ત્યારપછી તે અશ્વોના બેસવા આદિના સ્થાને તેઓએ ગોળ – યાવત્ – અન્ય ઘણાં જિહેન્દ્રિય યોગ્ય પદાર્થોના ઢગલા કર્યા. તે સ્થાનો પર ખાડા ખોદી ગોળ, ખાંડ આદિના પાણી ભર્યા ચારે તરફ જાળ બિછાવી – ચાવત્ – તેઓ મૂક થઈને બેઠા. ત્યારપછી તે અશ્વોના બેસવા આદિના સ્થાને તેઓએ શિલાપટ્ટક આદિ અન્ય સ્પર્શનેન્દ્રિય યોગ્ય આસ્તરણ આદિ રાખીને ચારે તરફ જાળ બિછાવી – યાવત્ – તેઓ મૂક થઈને બેઠા. ૦ અશ્વના દાંતે ઇન્દ્રિય નિગ્રહની સમજ : ત્યારે તે અશ્વો ત્યાં આવ્યા. કેટલાંક અશ્વોએ આ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને અપૂર્વ જાણીને તે ઉત્કૃષ્ટ શબ્દાદિમાં મૂર્શિત, વૃદ્ધ, આસક્ત ન થઈને તે ઉત્કૃષ્ટ શબ્દાદિથી દૂર ચાલ્યા ગયા. જ્યાં પ્રચુર ઘાસ, પાણી હતા ત્યાં જઈને નિર્ભય, ઉઠેગરહિત થઈ સુખે–સુખે વિચરવા લાગ્યા. આ પ્રકારે હે આયુષ્યમાન્ શ્રમણો ! જે સાધુ-સાધ્વી શબ્દાદિ વિષયોમાં આસક્ત થતા નથી, તેઓ આ લોકમાં ઘણાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓને પૂજનીય બની, સંસાર કાંતારને પાર કરી જાય છે. ૦ અશ્વના દાંતે ઇન્દ્રિયાસકતોની દુર્ગતિની સમજ :– તેમાંના કેટલાંક અશ્વો તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ હતી ત્યાં પહોંચ્યા. તેઓ તેમાં મૂર્ણિત, ગૃદ્ધ અને આસક્ત થઈ, તેના સેવનમાં પ્રવૃત્ત થઈ ગયા. તે ઉત્કૃષ્ટ શબ્દાદિને સેવતા તે અશ્વોને કૌટુંબિક પુરુષોએ જાળ દ્વારા બાંધી લીધા. તેમને પકડી લીધા. નૌકા દ્વારા પોતવહનમાં લાવ્યા. લાવીને પોતવહનને તૃણ, કાષ્ઠ આદિ આવશ્યક પદાર્થોથી ભર્યા. પછી નૌકાવણિકો દક્ષિણ દિશાના અનુકૂળ પવન સાથે ગંભીર પોતપટ્ટને આવ્યા. પોતવહન લાંગરીને ઘોડાને ઉતાર્યા. પછી હતિશીર્ષ નગરે કનકકેતુ રાજા પાસે પહોંચી બંને હાથ જોડી, અભિવાદન કરીને અશ્વો ઉપસ્થિત કર્યા. રાજાએ પણ તે નૌકાવણિકોનું શુલ્ક માફ કરી, તેમનો સત્કાર-સન્માન કરી વિદાય કર્યા ત્યારપછી કનકકેતુ રાજાએ કાલિકીપ મોકલેલા કૌટુંબિક પુરુષોને બોલાવી તેમના સત્કાર-સન્માન કરીને વિદાય આપી. ત્યારપછી રાજાએ અશ્વમર્થકોને કહ્યું કે, તમે અશ્વોને વિનીત કરો. અશ્વમર્થકોએ રાજાની આજ્ઞા સ્વીકારી. તેઓએ અશ્વોના મુખ, કાન, નાક, ખુર આદિ બાંધ્યા. કટક બાંધી, ચોકડા ચઢાવી, તોબરો ચઢાવી, પટતાનક લગાવી, ખસ્સી કરી, વેલ, બૅત, લતા, ચાબુક અને ચામડાના કોરડાના પ્રહાર કરી વિનીત કરીને રાજા પાસે લાવ્યા. ત્યારપછી કનકકેતુ રાજાએ તે અશ્વમકોના સત્કાર, સન્માન કરીને વિદાય આપી.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy