SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૦ નૌકા વણિકોનું કાલિકઢીપે પહોંચવું : યાવત્ તે સમયે તે વણિકોને માર્કદીપુત્રોની માફક સેંકડો ઉત્પાત થયા. સમુદ્રી તોફાન શરૂ થયું. ત્યારે તે નૌકા તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી, ચલાયમાન, ક્ષુબ્ધ થવા લાગી. ત્યાં જ ભમવા લાગી. તે સમયે નૌકા નિર્યામકની બુદ્ધિ મારી ગઈ, શ્રુતિ નષ્ટ થઈ ગઈ અને સંજ્ઞા પણ ગાયબ થઈ ગઈ. તે દિશાવિમૂઢ થઈ ગયો. તેને એ પણ જ્ઞાન ન રહ્યું કે, પોતવાહન કયા પ્રદેશમાં છે કે કઈ દિશા કે વિદિશામાં જઈ રહ્યું છે ? તેનું મન સંકલ્પ ભંગ થઈ ગયું – યાવત્ – તે ચિંતાલીન થયો. www. ૧૮૫ તે સમયે ઘણાં કુક્ષિધાર, કર્ણધાર, ગબ્લિલક તથા નૌકાવણિક્ નિર્યામકની પાસે આવ્યા. તેને કહ્યું, હે દેવાનુપ્રિય ! તું નષ્ટ મનસંકલ્પ વાળા થઈને તેમજ મુખ હથેલી પર રાખીને ચિંતા કેમ કરી રહ્યો છે ? ત્યારે તે નિર્યામકે તે અનેક કુક્ષિધારક – યાવત્ – નૌકાવણિકોને કહ્યું, મારી મતિ મારી ગઈ છે – યાવત્ – આ નૌકા ક્યાં જઈ રહી છે, તે પણ મને ખબર નથી. તેથી હું ભગ્ન મનોરથ થઈને ચિંતાગ્રસ્ત છું. - ― ત્યારે તે કર્ણધારાદિ તે નિર્યામકની વાત સાંભળી ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન થયા. તેઓએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, હાથ જોડીને અનેક ઇન્દ્ર, સ્કંદ આદિ દેવોને ભગવંત મલ્લિકથામાં કહ્યા મુજબ મસ્તકે અંજલિ કરીને માનતા કરવા લાગ્યા. થોડા સમયે તે નિર્ધામક લબ્ધમતિ, લબ્ધશ્રુતિ, લબ્ધસંજ્ઞ અને અદિગ્મૂઢ થયો. શાસ્ત્રજ્ઞાન થયું. હોશ આવ્યા, દિશા જ્ઞાન થયું. ત્યારે તે નિર્ધામકે તે અનેક કુક્ષિધાર આદિને કહ્યું, મને બુદ્ધિ પ્રાપ્ત થઈ છે યાવત્ – મારી દિશામૂઢતા નષ્ટ થઈ છે. આપણે કાલિકદ્વીપ નજીક પહોંચ્યા છીએ. તે કાલિકદ્વીપ દેખાઈ રહ્યો છે. ત્યારે તે કુક્ષિધાર, કર્ણધાર યાવત્ – નૌકાવણિક તે સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા. પછી દક્ષિણ દિશાનુકૂલ વાયુની સહાયતાથી કાલિકદ્વીપે પહોંચી લંગર નાંખ્યા. નાની નૌકાઓ દ્વારા કાલિકદ્વીપમાં ઉતર્યા. ત્યાં ઘણી જ ચાંદી, સોના, રત્ન, હીરાની ખાણો અને અશ્વો જોયા. Murd - આ અશ્વો ઉત્તમ જાતિના હતા. તેઓ જાતિયંત હતા, નીલવર્ણયુક્ત રેણુ સમાન વર્ણના હતા. શ્રોણિક સૂત્ર વર્ણવાળા હતા. તે અશ્વોને વણિકોએ જોયા. તેઓની ગંધથી અશ્વો ડરેલ, ત્રસ્ત, ઉદ્વિગ્ન, ભયભીત થયા. તેઓ ઘણાં યોજન દૂર ભાગી ગયા. ત્યાં તેમને ઘણું ગોચર પ્રાપ્ત થયું. ઘણાં ઘાસ અને પાણી મળવાથી તેઓ નિર્ભય અને નિરુદ્દેગ થઈને સુખપૂર્વક ત્યાં વિચરવા લાગ્યા. ત્યારે તે નૌકાવણિકોએ પરસ્પર કહ્યું, આપણે અશ્વોનું શું પ્રયોજન છે ? અહીં ઘણી જ ચાંદી, સોના, રત્નો, હીરાની ખાણો છે. તેથી આપણે ચાંદી, સોના, રત્નો, હીરાથી વહાણો ભરવા શ્રેયસ્કર છે. આ પ્રકારે પરસ્પર વાત સ્વીકારીને તેઓએ સોના, ચાંદી, રત્નો, હીરા, ઘાસ, અન્ન, કાષ્ઠ અને મીઠા પાણીથી પોતાના વહાણ ભરી લીધા. ત્યારપછી દક્ષિણ દિશાનુકૂલ વાયુથી ગંભીર પોતવહનટ્ટને આવ્યા. આવીને જહાજના લંગર નાંખ્યું. ગાડાગાડી તૈયાર કર્યા. લાવેલા તે ચાંદી, સોના યાવત્ હીરાને નાની નૌકાઓ દ્વારા લઈ જઈને ગાડાગાડી જોડ્યા. હસ્તિશીર્ષ નગરે પહોંચ્યા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy