SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ આગમ કથાનુયોગ-૬ અતીવ શોભિત હતું. જ્યારે દ્વીપ સંબંધી ઇષતું પરોવાત, પથ્યવાત, મંદવાત, મહાવાતા વાય છે. ત્યારે ઘણાં દાવદ્રવ વૃક્ષ પત્ર આદિથી યુક્ત થઈને ઊભા રહે છે તો કોઈ કોઈ દાવદ્રવ વૃક્ષ જીર્ણ થઈને ખરવા લાગે છે. તે પીળા પત્ર, પુષ્પ, ફળવાળા થઈ જાય છે અને સૂકા વૃક્ષની માફક મુરઝાયેલા ઊભા રહે છે. આ જ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! જે સાધુ કે સાધ્વી – યાવત્ – દીક્ષિત થઈને જેઓ અનેક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના પ્રતિકૂળ વચનો સમ્યક પ્રકારે સહન કરે છે – યાવત્ – વિશેષરૂપે સહે છે. પણ અન્યતીર્થીના તથા ગૃહસ્થોના દુર્વચનોને સમ્યકરૂપે સહન કે વિશેષ સહન કરતા નથી, આવા પુરુષોને હું દેશવિરાધક કહું છું. - જ્યારે સમુદ્ર સંબંધી ઇષત્ પુરો, પથ્ય, પશ્ચાતું, મંદ કે મહાવાત વહે છે, ત્યારે ઘણાં દાવદ્રવ વૃક્ષો જીર્ણ જેવા થઈ જઈ ઝડી જાય છે – યાવત્ – મુઝાઈને ઊભા રહે છે. પણ કોઈ કોઈ દાવદ્રવ વૃક્ષ પત્રિત–પુષ્પિત અને અત્યંત શોભાયમાન થઈને રહે છે. આ જ પ્રકારે હે આયુષ્યમાનું શ્રમણો ! જે સાધુ કે સાધ્વી દીક્ષિત થઈને અનેક અન્યતીર્થિકો અને ગૃહસ્થોના દુર્વચનો સમ્યક્ પ્રકારે સહન કરે છે. પણ અનેક સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓના દુર્વચન સમ્યક્ પ્રકારે સહન કરતા નથી તે દેશારાધક છે. ૦ દાવઢવ વૃક્ષના દૃષ્ટાંતે સર્વારાધક–સર્વવિરાધકપણાની સમજ : જ્યારે હીપ કે સમુદ્ર સંબંધી એક પણ ઇષત્ પુરો, પથ્ય, પશ્ચાત્ – યાવત્ – મહાવાત વહેતો ન હોય, ત્યારે બધાં દાવદ્રવ વૃક્ષ જીર્ણસદશ – યાવત્ – મુરઝાઈ જાય છે. આ પ્રકારે છે આયુષ્યમાન્ શ્રમણો ! જેઓ પ્રવ્રજિત થઈને અનેક સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, અન્યતીર્થિક અને ગૃહસ્થોના દુર્વચનો સમ્યક્ પ્રકારે સહન કરતા નથી તે સર્વવિરાધક છે. જ્યારે દ્વીપ અને સમુદ્ર સંબંધી ઇષત્ પુરો, પથ્ય, પશ્ચાત્ – કાવત્ – મહાવાત વહેતો હોય ત્યારે પણ બધાં દાવદ્રવ વૃક્ષો પત્રિત, પુષ્પિત, ફલિત – યાવત્ – સુશોભિત રહે છે. હે આયુષ્યમાનું શ્રમણો ! આ જ પ્રમાણે જે સાધુ-સાધ્વી, અનેક શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકા, અન્યતીર્થિકો અને ગૃહસ્થોના દુર્વચનોને સખ્ય પ્રકારે સહન કરે છે તેઓને મેં સર્વારાધક કહેલા છે. હે ગૌતમ ! આ પ્રકારે જીવ આરાધક અને વિરાધક થાય છે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૪૨; ૦ અશ્વનું દૃષ્ટાંત - તે કાળે, તે સમયે હસ્તિશીર્ષ નગર હતું. તે નગરમાં ઘણાં નૌકાવણિકો રહેતા હતા. તેઓ ધનાઢ્ય – યાવત્ – અપરાભૂત હતા. કોઈ વખતે તે બધા નૌકાવણિકો પરસ્પર મળ્યા. અર્વત્રકની માફક તેઓએ સમુદ્રયાત્રાએ જવા વિચાર્યું. લવણ સમુદ્રમાં ઘણાં યોજનો સુધી ગયા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy