SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૬ ઘરમાં હિરણ્યની, કાંસા વગેરેના વાસણોની, વસ્ત્રોની, વિપુલ ધન, ધાન્ય, કનક, રત્ન, મણિ, મુક્તા, શંખ, શિલા, પ્રવાલ, રત્ન આદિની ભાંડાગારિણી રૂપે નિયુક્ત કરી. ૦ રક્ષિકાની કથાનો નિષ્કર્ષ : ૧૮૨ - યાવત્ – જે સાધુ–સાધ્વી દીક્ષિત થઈને ઘણાં જ શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકાને આ પ્રકારે હે આયુષ્યમાન્ શ્રમણો ! પાંચ મહાવ્રતોની રક્ષા કરે છે. તે આ ભવમાં અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય થાય છે. - રોહિણીના વિષયમાં પણ એ જ કહેવું. વિશેષ એ કે જ્યારે ધન્ય સાર્થવાહે તેણીની પાસે પાંચ શાલિ—અક્ષત માંગ્યા તો તેણીએ કહ્યું કે, હે તાત ! આપ મને ઘણાં ગાડાગાડી આપો. જેથી હું આપને તે પાંચ શાલિ–અક્ષત પાછા આપી શકું. કેમકે પાંચ વર્ષ પૂર્વે આપે મને આ મિત્રો, જ્ઞાતિજનો આદિ સમક્ષ પાંચ દાણા આપેલા અને તેનું સંરક્ષણ—સંગોપન આદિ કરવા કહેલું – યાવત્ – હવે તે સેંકડો કુંભપ્રમાણ થઈ ગયા છે.. ઇત્યાદિ પૂર્વોકત દાણાંને વાવ્યા–લણ્યા, ફરી વાવ્યા ઇત્યાદિ સંપૂર્ણ વૃત્તાંત જણાવ્યો. તેથી હે તાત ! હું આપને તે પાંચ શાલિના દાણા ગાડા—ગાડીઓ ભરીને આપી રહી છું. ત્યારે ધન્ય સાર્થવાહે તેણીને ઘણાં જ છકડા-છકડી આપ્યા. રોહિણી પોતાના કુલગૃહે આવી. કોઠાર ખોલ્યો, છકડા–છકડી ભર્યા. ભરીને રાજગૃહનગરના મધ્યભાગે થઈને ધન્ય સાર્થવાહ પાસે આવી. ત્યારે રાજગૃહ નગરના શ્રૃંગાટક આદિ માર્ગોમાં અનેક લોકો પરસ્પર પ્રશંસા કરતા બોલવા લાગ્યા કે, ધન્ય સાર્થવાહ ધન્ય છે. જેને રોહિણી જેવી પુત્રવધૂ છે. જેણીએ પાંચ શાલિ અક્ષતને ગાડાગાડી ભરી પાછા આપ્યા. ધન્ય સાર્થવાહે તે પાંચ શાલિઅક્ષતને છકડાં–છકડી ભરીને પાછા અપાતા જોયા, ત્યારે હર્ષિત અને સંતુષ્ટ થઈને તેને સ્વીકારી, તે મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધૂના ફૂલગૃહવર્ગ સમક્ષ રોહિણીને કુલગૃહ વર્ગના અનેક કાર્યોમાં યાવત્ – રહસ્યોમાં પૂછવા યોગ્ય યાવતુ ગૃહકાર્ય સંભાળનાર અને પ્રમાણભૂતરૂપે નિમી. ૦ રોહિણી કથાનો નિષ્કર્ષ :- આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! જે સાધુસાધ્વી આચાર્યાદિ પાસે દીક્ષિત થઈને પોતાના પાંચ મહાવ્રતોમાં વૃદ્ધિ કરે છે. તેને ઉત્તરોત્તર અધિક નિર્મળ બનાવે છે. તે આ ભવમાં અનેક શ્રમણો—શ્રમણી, શ્રાવકશ્રાવિકાઓને પૂજ્ય થઈને - યાવત્ – સંસ્કારથી મુક્ત થઈ જાય છે. ૦ આગમ સંદર્ભ = નાયા. ૭૫; X - * ૦ ચંદ્રમાનું દૃષ્ટાંત : તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ત્યાં શ્રેણિક રાજા હતો. નગર બહાર ઇશાન ખૂણામાં ગુણશીલ ચૈત્ય હતું. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વીક્રમે ગ્રામાનુગ્રામ સુખે સુખે વિચરતા ગુણશીલ ચૈત્ય પધાર્યા. પર્ષદા નીકળી. શ્રેણિક રાજા પણ નીકળ્યો. ધર્મોપદેશ સાંભળી પર્ષદા અને શ્રેણિક પાછા ફર્યા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy