SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આગમ કથાનુયોગ-૬ પાંચ ચોખા અને પાછા આપજે. પછી પાંચ ચોખા આપી તેણીને વિદાય કરી. ધન્ય સાર્થવાહ પાસેથી પાંચ શાલિ–અક્ષત લઈ, એકાંતમાં ગઈ. પછી તેણીને મનોમન એવો વિચાર આવ્યો કે, કોઠારમાં ઘણાં અક્ષત–શાલિ ભરેલા છે. જ્યારે પિતાજી પાંચ અક્ષત–શાલિ માંગશે ત્યારે બીજા શાલિ અક્ષત આપી દઈશ. એમ વિચારી તે પાંચ ચોખાના દાણા એક તરફ ફેંકી દઈને પોતાના કામે લાગી ગઈ. આ જ પ્રમાણે બીજી પુત્રવધૂ ભોગવતીને પણ પાંચ દાણા આપ્યા, તેણી આ પાંચ શાલિ અક્ષત છોલીને ખાઈ ગઈ. આ જ પ્રમાણે ત્રીજી પુત્રવધૂ રક્ષિકાને પાંચ દાણા આપ્યા. તેણીને થયું કે, બધાની હાજરીમાં મને પાંચ શાલિ અક્ષત આપ્યા. તેનું કારણ હોવું જોઈએ. તેથી તેણીએ શુદ્ધ વસ્ત્રમાં તે દાણા બાંધ્યા. રત્નોની ડબ્બી લઈ તેમાં રાખી દીધા. ત્રણે કાળ તેની સારસંભાળ રાખવા લાગી. પછી ધન્ય સાર્થવાહે ચોથી પુત્રવધૂ રોહિણીને પાંચ અક્ષતશાલી આપ્યા. તેણીએ વિચાર્યું કે, મારે આ પાંચ દાણાનું સંરક્ષણ, સંગોપન અને વૃદ્ધિ કરવી જોઈએ. આ પ્રમાણે વિચારી તેણે કુલગૃહના પુરુષોને બોલાવ્યા. કહ્યું કે, તમે આ પાંચ શાલિ–અક્ષતોને ગ્રહણ કરો. પછી જ્યારે વર્ષાઋતુનો આરંભ થાય ત્યારે નાની ક્યારીને સારી રીતે સાફ કરી આ પાંચ દાણા તેમાં વાવી દેજો. સારી રીતે તેનો ઉલ્લેપ–નિક્ષેપ કરજો. પછી કયારીની ચારે તરફ વાડ લગાવજો. તેના છોડનું સંરક્ષણ-સંગોપન કરીને અનુક્રમે તેની વૃદ્ધિ કરજો. તે કૌટુંબિકોએ રોહિણીની વાત સ્વીકારી. પાંચ શાલિઅક્ષત લઈ ગયા. વર્ષાઋતુના આરંભે તેને વાવી દીધા. તેનું સંરક્ષણ આદિ કરતા અનુક્રમે તે દાણા પાકી ગયા. તે શ્યામ કાંતિવાળા – યાવત્ - નિકુરંબભૂત થઈને પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ થઈ ગયા. તે શાલિવૃક્ષમાં પાંદડા આવ્યા, છાલવાળા થયા, ગર્ભિત થયા, પ્રસ્ત થયા, સુગંધવાળા થયા, બંધાઈને પક્વ થઈ ગયા. પછી શલ્યકિત, પત્રકિત અને હરિતપર્વકાંડ થઈ ગયા. શાલિ ઉત્પન્ન થયા. ત્યારપછી તે કૌટુંબિકોએ તે શાલિ પત્રવાળા – યાવત્ – શલાકાવાળા તથા વિરલપત્રવાળા જાણીને તેને લણ્યા. હાથ વડે તેનું મર્દન કર્યું. સાફ કર્યા. તેનાથી તે નિર્મળ, પવિત્ર, અખંડ અને અસ્ફટિક અને સૂપડાથી ઝાટકીને સાફ કરેલા થયા. તે એક માગધપ્રસ્થ પ્રમાણ થઈ ગયા. ત્યારપછી કૌટુંબિકોએ તે પ્રસ્થ પ્રમાણ શાલિ અક્ષતોને નવીન ઘડામાં ભર્યા. તેના મુખ પર માટીનો લેપ કર્યો. તેને મુદ્રિત કર્યા. કોઠારમાં રાખી સંરક્ષણ-સંગોપન કરવા લાગ્યા. - ત્યારપછી તે કૌટુંબિકોએ બીજી વર્ષાઋતુના પ્રારંભે મહાવૃષ્ટિ થઈ ત્યારે ફરી ક્યારા બનાવ્યા. તે શાલિને વાવ્યા – યાવત્ – લણ્યા – યાવત્ – તે શાલિ અનેક કુડવ પ્રમાણ થઈ ગયા. તેને કોઠારમાં રાખી દઈ તેનું સંરક્ષણ – સંગોપન કરવા લાગ્યા. ત્યારપછી ત્રીજી વર્ષાઋતુ આવી. મહાવૃષ્ટિ થયા બાદ અનેક ક્યારીઓ સારી રીતે સાફ કરી – યાવત્ – તે શાલિ વાવીને લણ્યા. ત્યારે અનેક કુંભપ્રમાણ શાલિ થઈ ગયા. એ જ રીતે ચોથી વર્ષાઋતુમાં કરતા તે શાલિ સેંકડો કુંભ પ્રમાણ થઈ ગયા. તેને
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy