SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આગમ કથાનુયોગ-૬ અનાદિ-અનંત સંસાર કાંતારનો પાર પામી જઈને મુક્ત થાય છે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૬૨; – – – ૦ તુંબનું દષ્ટાંત : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં શ્રેણિક રાજા હતો. તે રાજગૃહ નગર બહાર ઇશાન ખૂણામાં ગુણશીલક ચૈત્ય હતું. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર અનુકમથી વિચરતા – યાવતું – રાજગૃહ નગરે ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. પર્ષદા નીકળી, શ્રેણિક રાજા પણ નીકળ્યો. ભગવદ્ ધર્મદેશના આપી. પર્ષદા તથા રાજા શ્રેણિક પાછા ફર્યા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર શ્રમણ ભગવંત યથોચિત સ્થાને રહીને – યાવત્ – આત્મધ્યાને લીન થઈને વિચરતા હતા. ત્યારે ઉત્પન્ન શ્રદ્ધાથી ઇન્દ્રભૂતિએ શ્રમણ ભગવંત મહાવીરને પૂછ્યું, ભગવન્! જીવ કઈ રીતે શીધ્ર જ ગુરતા કે લઘુતાને પ્રાપ્ત થાય છે ? ૦ તુંબના દષ્ટાંતથી જીવના ગુરુત્વની સમજ : ગૌતમ ! જેમ કોઈ પુરુષ એક મોટા, સૂકા, અછિદ્ર, અખંડિત તુંબને દર્ભ અને કુશથી લપેટે. પછી માટીનો લેપ કરે. સૂકાઈ ગયા પછી ફરી દર્ભ અને કુશથી લપેટે. ફરી માટીનો લેપ કરે. લીંપીને ધૂપમાં સૂકાવે. આ જ પ્રકારે ત્રીજી, ચોથી – યાવત – આઠમી વખત દર્ભ–કુશ લપેટતો જાય અને માટીનો લેપ ચડાવી–ચડાવીને તુંબડાને સૂકવતો જાય. પછી તેને અગાધ–અપૌષિક પાણીમાં નાંખી દે, તો નિશ્ચયથી હે ગૌતમ ! તે તુંબડુ માટીના આઠ લેપોને કારણે ગુરુતા પ્રાપ્ત કરી ભારે અને ગુરુ થઈને તે પાણીમાં તળીયે બેસી જાય છે. આ જ પ્રકારે હે ગૌતમ ! જીવ પણ પ્રાણાતિપાત – યાવત્ – મિથ્યા દર્શનશલ્યથી ક્રમશ: આઠ કર્મપ્રકૃતિ ઉપાર્જે છે. તે કર્મોની ગુરતાને કારણે ભારેપણાથી ગુરતા પામી, મૃત્યુ બાદ આ પૃથ્વી તળમાં નીચે નરકના તળીયે પહોંચે છે. આ રીતે જીવ શીધ્ર ગુરુત્વ પામે છે. ૦ તુંબ દષ્ટાંતે જીવના લઘુત્વની સમજ : હે ગૌતમ ! જયારે તે તુંબડાનો પહેલો માટી–લેપ ભીનો થઈ ગળી જઈને પરિશટિત થઈ જાય ત્યારે તે તુંબ પૃથ્વીતળથી થોડે ઊંચે આવે છે. પછી બીજો મૃતિકાલેપ ભીનો થઈ – ખસીને નીકળી જાય ત્યારે તુંબડુ કંઈક વધુ ઊંચે આવે છે. આ જ પ્રકારે તે આઠે કૃતિકાલેપ ખશી જાય ત્યારે તે તુંબડુ નિર્લેપ, બંધનમુક્ત થઈને જળની ઉપર આવી જાય છે. આ જ પ્રકારે હે ગૌતમ ! પ્રાણાતિપાત વિરમણ – યાવત્ – મિથ્યાદર્શન શલ્ય વિરમણથી જીવ ક્રમશઃ આઠે કર્મપ્રકૃતિઓનો ક્ષય કરીને આકાશતલ તરફ ઊંચે જઈને લોકાગ્ર ભાગે સ્થિત થઈ જાય છે. આ પ્રકારે જીવ શીઘ લઘુત્વને પ્રાપ્ત કરે છે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy