SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટાંત ઉપનય ૧૭ મૃતગંગાતીરકહે આવ્યા. ત્યાં ચારે તરફ ફરતા આહારની શોધ કરતા તેમણે બે કાચબાને જોયા. બંને કાચબા તરફ તે આગળ વધ્યા. કાચબાઓએ તે પાપી શીયાળને આવતા જોયા. તેઓ ર્યા, ત્રસ્ત થયા, ભાગ્યા, ઉદ્વેગ પામ્યા, ભયભીત થયા. તેઓએ પોતાના હાથ, પગ, ડોકને પોતાના શરીરમાં ગોપવી દીધા. નિશ્ચલ, નિષ્પદ, મૌન થઈ ગયા. તે પાપી શિયાળો ત્યાં આવ્યા. કાચબાને ફેરવવા લાગ્યા. સ્થાનાંતરિત કરવા લાગ્યા. સરકાવા, ચલાવવા, હટાવવા, સ્પર્શવા, સુબ્ધ કરવા, નખ વડે ફાડવા, દાંત વડે ચુંથવા પ્રયત્નશીલ થયા. પણ તે કાચબાના શરીરને થોડી કે વધુ બાધા ઉત્પન્ન કરવામાં કે ચામડી છેદન કરવા સમર્થ ન બન્યા. એ રીતે શિયાળે બે-ત્રણ વખત કર્યું પણ નિષ્ફળ ગયા. ત્યારે શ્રાંત–તાંત થઈ, થાકીને, ખેદિત થયા. ધીમે ધીમે પાછા ખસીને એકાંતમાં ચાલ્યા ગયા. નિશ્ચલ, નિષ્પદ, મૂક થઈને બેસી ગયા. ૦ એક કાચબાની ચંચળતા અને દષ્ટાંતનો ઉપનય : એક કાચબાએ ઘણાં સમયે તે શિયાળને દૂર ગયેલા માનીને ધીમે ધીમે પોતાનો એક પગ કાઢ્યો. તે જોઈને ઉત્કૃષ્ટ ગતિથી, શીઘ, ચપળ, ત્વરિત, ચંડ, જયયુક્ત અને વેગથી કાચબા પાસે પહોંચી તેના માંસ અને લોહીનો આહાર કર્યો. વિશેષ કંઈ ન કરી શકવાથી પાછા દૂર ચાલ્યા ગયા. આ પ્રમાણે કાચબાના ચારે પગ માટે સમજવું – યાવત્ – તેણે ગર્દન બહાર કાઢી, તે જોઈને શીઘ્રતાથી શિયાળ આવ્યા. તેને નખથી વિદારી, દાંત વડે તોડીને કપાળને અલગ કરી દીધું – યાવત્ – કાચબો જીવનરહિત થઈ ગયો. આ પ્રકારે હે આયુષ્યમાન્ શ્રમણો ! આપણા જે સાધુ-સાધ્વી આચાર્ય આદિ પાસે દીક્ષિત થઈને ઇન્દ્રિયોનું ગોપન કરતા નથી. તે આ ભવમાં ઘણાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા દ્વારા હેલણાદિ પામે છે. પરલોકે પણ ઘણો દંડ પામી અનંત સંસારમાં ભ્રમણ કરે છે. ૦ બીજી કાચબાની સ્થિરતા અને દાંતનો ઉપનય : ત્યારપછી તે પાપી શિયાળો બીજા કાબરા પાસે ગયા. તે કાચબાને ચારે તરફથી ઉલટ–પલટ કરી જોયો – યાવત્ – દાંતો મારવા લાગ્યા. પણ તેઓ લેશમાત્ર સફળ ન થયા. પછી શિયાળો બીજી અને ત્રીજીવાર દૂર ચાલ્યા ગયા. પરંતુ કાચબાએ પોતાના એક અંગને બહાર ન કાઢ્યું. તેથી શિયાળ તેને કંઈ આબાધા કે વિબાધા પહોંચાડી ન શક્યા. ત્યારે તેઓ શ્રાંત, કલાત, પરિતાંત થઈને, ખિન્ન થઈને ચાલ્યા ગયા. ત્યારપછી તે કાચબાએ તે પાપી શિયાળોને દીર્ધકાળ દૂર ગયા જાણીને ધીમેથી પોતાની ડોક બહાર કાઢી. ચારે દિશામાં જોયું. એક સાથે ચારે પગ બહાર કાઢ્યા. ઉત્કૃષ્ટ કૂર્મગતિથી મૃતગંગાતીરકહે આવીને પોતાના મિત્ર, જ્ઞાત, નિજક, સ્વજન, સંબંધી, પરિજનોને મળી ગયો. હે આયુષ્યમાન્ શ્રમણો ! આ રીતે આપણા જે શ્રમણ-શ્રમણી પાંચે ઇન્દ્રિયોનું ગોપન કરે છે, તે આ જ ભવમાં અનેક શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા દ્વારા અર્ચનીય, વંદનય, નમસ્કરણીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય થાય છે. તેઓ કલ્યાણ, દેવ, ચૈત્યરૂપ તથા ઉપાસનીય બને છે. પરલોકમાં પણ છેદનાદિ કષ્ટ પામતા નથી. તેઓ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy