SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ વાત સ્વીકારી – યાવત્ – મોરને નૃત્યકળા શીખવાડી. ત્યારપછી તે મોર વિન્ન અને યુવાન થયો. ગુણયુક્ત થયો. માન, ઉન્માન, પ્રમાણથી તેની પાંખો અને પીછા પરિપૂર્ણ થયા. રંગબેરંગી થયો. પીંછામાં સેંકડો ચંદ્રક હતા. તે નીલકંઠ અને નૃત્યકુશલ થયો. ચપટી વગાડતાં જ અનેક પ્રકારના સેંકડો કેકારવ કરતો વિચરવા લાગ્યો. ત્યારે તે મયૂરપોષકોએ તે મોરને જિનદત્તપુત્રને સોંપ્યો. તે સાર્થવાહ પુત્ર હર્ષિત—સંતુષ્ટ થઈને મયુરપોષકોને જીવિકા યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. ત્યારપછી તે મોર જિનદત્તપુત્ર દ્વારા ચપટી વગાડતાં જ પુંછડાના ભંગ સમાન પોતાની ગર્દન હલાવતો, તેના શરીરે પ્રસ્વેદ થતો, તેના નેત્રના ખૂણા શ્વેત વર્ણી થઈ જતા. તે વિખરાતા પીંછાને શરીરથી જુદા કરી દેતો. ચંદ્રક આદિથી યુક્ત પિંછાના સમૂહને ઊંચા કરતો, સેંકડો કેકારવ કરતો નૃત્ય કરતો. પછી તે જિનદત્તપુત્ર તે મોરને લઈને ચંપાનગરીમાં સર્વત્ર સેંકડો, હજારો, લાખોની હોડમાં વિજય પ્રાપ્ત કરતો હતો. આગમ કથાનુયોગ–૬ નિષ્કર્ષ :- હે આયુષ્યમાન્ શ્રમણો ! આ પ્રકારે આપણા જે સાધુ–સાધ્વી દીક્ષિત થઈને પાંચ મહાવ્રતો, છ જીવનિકાયો તથા નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા રહિત થાય છે. તે આ ભવમાં અનકે શ્રમણો અને શ્રમણીઓમાં માન–સન્માન પ્રાપ્ત કરીને – યાવત્ – સંસારરૂપી અટવી પાર કરી જશે. ૦ આગમ સંદર્ભ નાયા. ૫૫ થી ૬૧; X - * ૦ કાચબાનું દૃષ્ટાંત : તે કાળે, તે સમયે વાણારસી નગરી હતી. તેની બહાર ગંગા મહાનદીના ઇશાન ખૂણામાં મૃતગંગાતીર નામક દ્રહ હતું. તેનો સુંદર સુશોભિત કિનારો હતો. પાણી ઊંડુ અને શીતલ હતું. તે સ્વચ્છ અને નિર્મળ જળથી પરિપૂર્ણ હતું. કમલિનીઓના પત્ર અને પુષ્પથી આચ્છાદિત હતું. અનેક ઉત્પલો, પત્રો, કુમુદ્દો, નલિનો તથા સુભગ, સૌગંધિક પુંડરીક, મહાપુંડરીક શતપત્ર, સહસ્રપત્ર આદિ કમળોથી તથા કેસર પ્રધાન અન્ય પુષ્પોથી સમૃદ્ધ હતું. તેથી પ્રાસાદીય યાવત્ – પ્રતિરૂપ હતું. તે દ્રહમાં સેંકડો, હજારો, લાખો મત્સ્યો, કચ્છો, ગ્રાહો, સુંસુમાર જાતિના જળચરો ભય, ઉદ્વેગરહિત સુખપૂર્વક રમણ કરતા હતા. તે મૃતગંગાતીર દ્રહની નજીક એક મોટો માલુકાકચ્છ હતો. તેમાં બે પાપી શિયાળ હતા. તેઓ પાપાચરક, ચંડ, રૌદ્ર, ઇષ્ટપ્રાપ્તિમાં દત્તચિત્ત અને સાહસી હતા. તેમના હાથ–પગ રક્તરંજિત રહેતા હતા. તેઓ માંસાર્થી, માંસાહારી, માંસપ્રિય, માંસલોલુપ હતા. માંસની ગવેષણા કરતા રાત્રે અને સાંજે ભટકતા અને દિવસમાં છૂપાઈ રહેતા હતા. ત્યારે કોઈ દિવસે સૂર્યાસ્ત પછી, સંધ્યાકાળ પૂર્ણ થયે, જ્યારે કોઈક જ મનુષ્ય ફરતા હોય અને બાકીના ઘેર વિશ્રામ કરતા હોય ત્યારે મૃતગંગાતીર દ્રહમાંથી આહારાર્થે બે કાચબા નીકળી ચારે તરફ ફરતા પોતાની આજીવિકા માટે વિચરવા લાગ્યા. આહારાર્થી અને આહારગવેષક બંને પાપી શીયાળ માલુકાકચ્છથી નીકળીને
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy