SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૧૭૫ ૦ સાર્થવાહ પુત્રો દ્વારા મયુરી અંડનું ગ્રહણ : ત્યારપછી તે સાર્થવાહ પુત્રો માલુકાકચ્છ તરફ ચાલ્યા. તે વનમયૂરી તેમને આવતા જોઈને ડરી ગઈ, તેણી જોરજોરથી અવાજ કરતી કેકારવ કરતી માલુકાકચ્છથી બહાર નીકળી. એક વૃક્ષની જાળ પર રહીને તે સાર્થવાહ પુત્રો તથા માલુકાકચ્છને અપલક દૃષ્ટિએ જોવા લાગી. ત્યારે સાર્થવાહ પુત્રોએ પરસ્પર કહ્યું કે, આ વનમયૂરી આપણને જોઈને ભયભીત, સ્તબ્ધ, ત્રસ્ત, ઉદ્વિગ્ન થઈને ભાગી છે. જોરજોરથી અવાજ કરતી હતી અને આપણને તથા માલુકાકચ્છને જોઈ રહી છે, તેનું કોઈ કારણ હોવું જોઈએ. પછી તેઓ માલુકાકચ્છમાં ગયા. ત્યાં બે પુષ્ટ અને વૃદ્ધિગત મયૂરી અંડને જોયા. ત્યારે પરસ્પર કહ્યું કે, વનમયૂરીના આ ઇંડાને આપણી ઉત્તમ જાતિની મુરઘીના ઇંડા સાથે રાખી દેવા યોગ્ય છે. તેનાથી આપણી જાતિવંત મુરઘી આ ઇંડાનું સંગોપન, સંરક્ષણ, સંવર્ધન કરશે તો આપણી પાસે બે ક્રીડા કરતા મોર તૈયાર થશે. એમ વિચારી પોતપોતાના દાસપુત્રોને બોલાવી તે મયૂરી ઇંડાને પોતાની મુરઘીના ઈંડા સાથે મૂકાવ્યા. ત્યારપછી તે સાર્થવાહ પુત્રો દેવદત્તા ગણિકા સાથે સુભૂમિભાગ ઉદ્યાનની શોભા અનુભવતા, વિચરીને પોતાના રથમાં આરૂઢ થઈ ચંપા નગરીમાં દેવદત્તા ગણિકાને ઘેર આવ્યા. ગણિકાને વિપુલ જીવિકા યોગ્ય પ્રીતિદાન આપ્યું. તેણીનું સત્કાર-સન્માન કર્યા. પછી પોતાને ઘેર ગયા. ૦ સાગરદત્ત પુત્ર વિશે કથન અને તેનો ઉપનય : ત્યારપછી તેમાં જે સાગરદત્તપુત્ર હતો, તે બીજે દિવસે મયૂરી અંડક પાસે આવ્યો. તે મયૂરી અંડકના વિષયમાં શંકિત, આકાંક્ષિત, વિચિકિત્સ, ભેદ પ્રાપ્ત અને કલુષતા પ્રાપ્ત થયો અને વિચારવા લાગ્યો કે આ મયૂરી અંડકમાંથી ક્રીડા કરતો મોર થશે કે નહીં? તે વારંવાર ઇંડાનું ઉદ્વર્તન કરવા લાગ્યો. આસારણ, સંસરણ, ચલિત, હિલિત કરવા લાગ્યો. કાન પાસે લઈ જઈને ખખડાવવા લાગ્યો. ત્યારે તે મયૂરી અંડ વારંવારના ઉદ્વર્તનથી – થાવત્ – નિર્જીવ થઈ ગયું. થોડીવારે સાગરદત્તપુત્રે આવીને જોયું તો ઇંડુ પોચું પડી ગયું, ત્યારે તેને થયું કે, અરેરે ! આ મયૂરી પુત્ર મારે ક્રીડા યોગ્ય ન થયો. એમ વિચારી તે ખેદખિન્ન–નિષ્ફળ મનોરથ થયો. નિષ્કર્ષ – હે આયુષ્યમાન્ શ્રમણો ! આ પ્રકારે જે સાધુ-સાધ્વી આચાર્યાદિ પાસે પ્રવજ્યા ગ્રહણ કરીને પાંચ મહાવ્રત કે છ જવનિકાય કે નિગ્રંથ પ્રવચનમાં શંકિત યાવત્ કલુષિત થાય છે. તે આજ ભવનમાં અનેક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા દ્વારા હીલના યોગ્ય, નિંદા, ગ, પરિભવને યોગ્ય થાય છે અને પરભવે પણ ઘણું પરિભ્રમણ કરે છે. ૦ જિનદત્તપુત્ર વિશે કથન અને તેનો ઉપનય : જિનદત્ત પુત્ર મયૂરી અંડ પાસે આવ્યો. તેના વિશે નિઃશંક રહ્યો, આ ઇંડામાંથી નિશ્ચયથી ક્રીડા કરનાર સુંદર મોર થશે તેમ માની ઇંડાને ઉલટ–પુલટ આદિ કશું જ ન કર્યું. પરિપક્વ સમયે ઇંડુ ફૂટયું અને મોરનો જન્મ થયો. ત્યારે જિનદત્ત પુત્ર તે મોરને જોઈને હર્ષિત–સંતુષ્ટ થયો. મયૂરપોષકોને બોલાવીને કહ્યું કે, તમે આ મોરને પોષ્ય પદાર્થોથી સંરક્ષણ-સંગોપન કરી ઉછેરો અને તેને નૃત્યકળા શીખવાડો. તેઓએ પણ આ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy