SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટાંત ઉપનય ૧૭૩ ખંડ-૧૦ દષ્ટાંત–ઉપનય # ભૂમિકા : આ પૂર્વે લખાયેલી કથાઓમાં પણ નિષ્કર્ષ તો નીકળી જ શકે, તો પણ આ વિભાગ અલગરૂપે ગોઠવવાના બે હેતુઓ છે – (૧) જે કથા મનુષ્ય વિભાગ કે દેવ-દેવી કથામાં આવતી જ નથી તેને ગોઠવવા અલગ ખંડ જરૂરી છે. જેમકે તુંબડાનું દષ્ટાંત (૨) ભગવંતે સ્વમુખે જે દષ્ટાંત આપીને શ્રમણ-શ્રમણીઓને ઉપદેશ આપેલ છે. તેનું માહાસ્ય જળવાઈ રહે તે રીતે અલગ નિદર્શન કરવું. અમારી આ વિભાગ પસંદગીનો સ્ત્રોત મુખ્યત્વે “નાયાધમ કહાઓ” આગમમાં છે. કેમકે તેના પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયનોમાં ૧૪ અધ્યયનો એવા છે જેમાં ભગવંતે કથા કે દૃષ્ટાંતના આધારે ઉપનય કહેલો છે. આ ઉપરાંત નિશીથસૂત્રના ભાષ્ય અને ચૂર્ણ, બૃહત્કલ્પના ભાષ્ય અને વૃત્તિ, વ્યવહારભાષ્ય અને વૃત્તિ જીતકલ્પ ભાષ્ય, આવશ્યક સૂત્રની નિર્યુક્તિ, ચૂર્ણિ, વૃત્તિ, પિંડ, નિયુક્તિ, ઓઘનિર્યુક્તિ, ઉત્તરાધ્યયન વૃત્તિ, સંથારગ અને મરણ સમાધિ પયન્ના આદિ આગમોમાં વિવિધ વિષયોને સમજાવવા દષ્ટાંતો અપાયેલા છે. પૂજ્ય આગમોદ્ધારક આચાર્યશ્રીએ પણ આવા જ કારણોસર તેઓએ પસંદ કરેલા બાવન આગમિક વિષયોમાં “દષ્ટાંત” નામક એક અલગ વિષય પસંદ કર્યો હતો. અમે તેમના સ્વપ્નને અહીં મૂર્તિમંત કરી રહ્યા છીએ. ૦ મયૂરી અંડનું દૃષ્ટાંત - તે કાળે, તે સમયે ચંપા નામક નગરી હતી. તેના ઇશાન ખૂણામાં સુભૂમિ ભાગ ઉદ્યાન હતું. તે સર્વઋતુઓના ફળ-ફૂલથી સંપન્ન અને રમણીય હતું. નંદનવન સદશ શુભ અને શીતલ છાયા વ્યાપ્ત હતું. તે ઉદ્યાનની ઉત્તરે એક માલુકાકચ્છ હતો, તેમાં એક શ્રેષ્ઠ મયૂરીએ પુષ્ટ, શ્વેત, વ્રણરહિત, ઉપદ્રવરહિત તથા પોલી મુઠી સમાન બે મયૂરી ઇંડાનો પ્રસવ કર્યો. તે તેણીની પાંખના વાયુથી ઇંડાની રક્ષા, સંગોપન, સંવેખન કરતી હતી. ૦ ચંપાનગરીમાં બે સાર્થવાહ પુત્રો : તે ચંપાનગરીમાં બે સાર્થવાહ પુત્રો હતા. જિનદત્તપુત્ર અને સાગરદત્તપુત્ર બંને સાથે જમ્યા, મોટા થયા, રમ્યા, વિવાહિત થયા. બંનેને પરસ્પર પ્રીતિ હતી. એકબીજાને અનુસરનારા હતા. એકબીજાના હૃદયનું ઇચ્છિત કાર્ય કરતા હતા. એકબીજાના ઘરમાં કૃત્ય અને કરણીય કરતા વિચરતા હતા. કોઈ સમયે તે સાર્થવાહ પુત્રો એક ઘેર ભેગા થયા. ત્યારે પરસ્પર સંવાદ થયો કે, જે પણ આપણે સુખ-દુઃખ, પ્રવજ્યા કે વિદેશગમન પ્રાપ્ત થાય, તેનો બધાંનો આપણે એકબીજાની સાથે જ નિર્વાહ કરવો. આ પ્રમાણે બંનેએ પરસ્પર પ્રતિજ્ઞા કરી, પછી પોતપોતાના કાર્યમાં જોડાયા. દેવદત્તા ગણિકા પાસે સાર્થવાહ પુત્રોનું ગમન : તે ચંપાનગરીમાં દેવદત્તા નામે ગણિકા હતી. તેણી સમૃદ્ધ અને વિપુલ ભોજન-પાન યુક્ત હતી. ૬૪ કળામાં નિપુણ, ૬૪ ગુણોથી યુક્ત, ૨૯ પ્રકારે વિશેષ ક્રીડા કરનારી, કામક્રીડાના ૨૧ ગુણોમાં કુશળ, ૩૨ પ્રકારે પુરુષ ઉપચારમાં કુશળ, સુત નવે અંગો જાગૃત અને ૧૮ દેશી ભાષામાં નિપુણ હતી. સુંદર વેશભૂષાયુક્ત અને શૃંગારના સ્થાન સદશ હતી. સુંદર ગતિ, ઉપહાસ, વચન, ચેષ્ટા, વિલાસ, લલિતસંલાપમાં કુશળ, યોગ્ય
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy