SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આગમ કથાનુયોગ-૬ વસ્ત્ર ગ્રહણ કરીને તે ધૂર્તસ્ત્રી હસતા-હસતા બોલી કે, બાળક થયો નહીં. આ તે બંનેની ઔત્પાતિકી બુદ્ધિ. ૦ અપરિશ્રાવી ભારે લૌકિક દૃષ્ટાંતમાં મલદેવ : રાજા, શ્રેષ્ઠી, અમાત્ય, આરક્ષક, મૂલદેવ એક પુરોહિત પત્ની બટુકી કે જે અતીવ રૂપવતી હતી. તેમાં અધ્યયપન્ન થયા. તેણીએ બધાંને સંકેતથી બોલાવ્યા. તે બધાં આવીને દ્વારે ઊભા રહ્યા. બટુકીએ કહ્યું કે, જો મહિલારહસ્ય જાણતા હો તો અંદર પ્રવેશ કરો. તેઓએ કહ્યું કે, અમે જાણતા નથી. માત્ર મૂલદેવે કહ્યું કે, હું જાણું છું. તેણીએ કહ્યું, તું આવી જા. મૂલદેવે અંદર ગયો. તેણીએ કહ્યું કે, શું રહસ્ય છે ? મૂલદેવે કહ્યું, મારી નાંખવા છતાં બીજાને ન કહે. તું વિદગ્ધ અને કામુક છે. સંતુષ્ટ થયેલી. તુષ્ટ થયેલી તે બટુકીએ મૂલદેવ સાથે આખી રાત્રિ રમણ કર્યું. પ્રભાતે રાજાએ મૂલદેવને પૂછ્યું, મહિલાનું રહસ્ય શું છે ? ત્યારે મૂલદેવે કહ્યું, હું આ વિષયમાં કંઈ જાણતો નથી. રાજાએ તેના વધને માટે કહ્યું, તો પણ મૂલદેવ ન બોલ્યો. ત્યારે તે બ્રાહ્મણીએ આવીને કહ્યું, મહિલાનું રહસ્ય શું છે. ૦ ધૂર્તાખ્યાનના દૃષ્ટાંતમાં મૂલદેવ : (આ કથન દષ્ટાંત વિભાગમાં ધૂર્યાખ્યાનમાં જોવું) ૦ લૌકિક નિરપેક્ષ વિષયમાં મૂલદેવનું દષ્ટાંત : એક રાજા નિરપેક્ષ હતો. તેના રાજ્યમાં જ્યારે મૂલદેવ ચોરી કરતો હતો. કોઈ વખતે આરક્ષકોએ પકડી લીધો. તેને રાજા પાસે લાવ્યા. રાજાએ તે ચોરનો વધ કરવા આજ્ઞા આપી. ત્યારપછી તે રાજા તત્પણ પોતાના આવાસ સ્થાને ગયો અને ક્ષણવારમાં મૃત્યુ પામ્યો. તે વાતનું રહસ્ય ફક્ત બે વ્યક્તિ જાણતા હતા. વૈદ્ય અને અમાત્ય. રાજાને સંતાન ન હોવાથી અશ્વને અધિવાસિત કરી સર્વત્ર તેને ફેરવવા લાગ્યા, જેથી કોઈ રાજલક્ષણયુક્ત પુરુષ મળે તો તેને રાજારૂપે સ્થાપી શકાય. તે વખતે મૂલદેવને વધ માટે લઈ જવાતો હતો. ત્યારે તે અશ્વ મૂલદેવને અભિષિક્ત કર્યો. ત્યારે જ્યાં રાજા પ્રચ્છન્નપણે પડદા પાછળ રખાયો હતો ત્યાં મૂલદેવને લાવવામાં આવ્યો. ત્યારે વૈદ્ય અને અમાત્ય રાજાના હાથ ઉપર તરફ કરી ચાલ્યા ગયા. પછી જાહેર કર્યું કે, રાજાની આજ્ઞાથી મૂલદેવને રાજાપણે સ્થાપ્યો છે. પણ રાજા મુખેથી જાહેર કરી શકતા નથી. પછી મૂલદેવનો રાજ્યાભિષેક કર્યો. કેટલાંક લોકો મૂલદેવનો પરાભવ કરતા હતા, વિનય કરતા ન હતા. ત્યારે મૂલદેવને થયું કે, હું આ મુખેથી પરાભવ પામી રહ્યો છું. મારે હવે તેમને શાસિત કરવા પડશે. પછી બીજે દિવસે મસ્તક પર ઘાસનો મુગટ બનાવી આસ્થાન મંડલિકામાં બેઠો. ભોજિકાઓ પરસ્પર કહેવા લાગ્યા કે, હજી આ તેના ચોરપણાને છોડતો નથી. તે સાંભળીને મૂલદેવને રોષ ઉત્પન્ન થયો. ત્યારે મૂલદેવના પ્રભાવથી રાજ્યદેવતા અધિષ્ઠિત અસિ લતાથી કેટલાંકના મસ્તક કપાઈ ગયા. ત્યારે બાકીના અંજલિ કરીને મૂલદેવની આજ્ઞાને માનવા લાગ્યા ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy