SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ આગમ કથાનુયોગ-૨ ત્યારે દેવદત્તાએ કહ્યું, જુઓ, આને વિજ્ઞાન કહેવાય. ત્યારે દેવદત્તાની માતા મૌન રહી. પછી મૂલદેવ તરફ ઠેષને ધારણ કરતી તે અક્કાએ અચલને કહ્યું, હું એવું કંઈક કરીશ જેથી મૂલદેવ પકડાઈ જશે. ત્યારે અચલ તેને ૧૦૮ સુવર્ણદીના ભાગરૂપે આપીને ગયો. તેણીએ જઈને દેવદત્તાને કહ્યું કે, હવે અચલ તારી સાથે જ રહેશે. તેણે આ સુવર્ણદીનાર આપેલી છે. પછી અપરાળ કાળે જઈને અક્કાએ તે દેવદત્તાને કહ્યું, અચલને કંઈ ત્વરિત કાર્ય આવી જતા તે ગામ ગયો છે. ૦ મૂળદેવનો દેવદત્તાને ત્યાંથી નિકાલ : ત્યારે દેવદત્તાએ મૂલદેવને બોલાવવા માટે મોકલ્યો. ત્યારે તુરંત જ ભૂલદેવ ત્યાં, આવ્યો. તે દેવદત્તાની સાથે ત્યાં રહીને રમણ કરવા લાગ્યો. ત્યારે દેવદત્તાની માતાએ અચલને સંદેશો મોકલ્યો. અચલ તુરંત જ બીજા દ્વારેથી ત્યાં પ્રવેશ્યો. ઘણાં પુરુષો સાથે આવીને સમગ્ર ગર્ભગૃહને વીંટીને ઊભા રહ્યા. ત્યારે મૂલદેવ અતિ સંભ્રમથી શય્યાની નીચેના ભાગે છૂપાઈ ગયો. તે અચલે ધ્યાનમાં રાખ્યું. ત્યારપછી દેવદત્તાની દાસચેટીઓ અચલના શરીરને સ્નાન અને અત્યંગન આદિ માટેની સામગ્રી લઈને ત્યાં ઉપસ્થિત થઈ. અચલ તે જ શય્યા પર બેસીને બોલ્યો, આ જ શય્યા પર બેસીને હું અત્યંગન અને સ્નાન કરી. દેવદત્તા બોલી કે, તેનાથી તો આ શધ્યા વિનાશ પામશે. અચલે કહયું કે, હું તને ઉત્કૃષ્ટતર શય્યા આપીશ. મેં એ જ પ્રમાણે સ્વપ્ન જોયેલું કે, આ જ શય્યામાં બેસીને હું અત્યંગન અને સ્નાન કરીશ. ત્યારે તેણીએ આ પ્રમાણે જ કર્યું. તે વખતે સ્નાન, વિલેપનાદિના જળથી આર્દ બનેલ મૂલદેવને અચલે વાળ પકડીને બહાર ખેંચ્યો. તેણીને કહ્યું કે, તું હમણાં જ અહીંથી જતો રહે, અન્યથા તને હમણાં જ જીવિતથી રહિત કરી દઈશ. જો તું અહીં કદાપી ન આવે તો જ હું તને મુક્ત કરીશ. આ પ્રમાણે અચલે કહ્યું, ત્યારે મૂલદેવ અપમાનીત થઈ, લજ્જાથી ઉજૈનીથી નીકળી ગયો. પછી તે પથમાં ભાતારહિત એવો બેન્નાતટના માર્ગે ચાલ્યો. રસ્તામાં તેને એક પુરુષ મળ્યો. (જેનું નામ અન્યત્ર સઘડો બ્રાહ્મણ બતાવેલ છે.) મૂલદેવે તેને પૂછયું, તું કયાં જાય છે ? તેણે કહ્યું કે, હું બેન્નાતટ નગરે જઈ રહ્યો છું. મૂલદેવે તેને કહ્યું, ચાલો આપણે સાથે જઈએ. તે પુરુષે પણ કહ્યું કે, ભલે એમ કહીએ. તે બંને બેન્નાતટ તરફ ચાલ્યા. માર્ગમાં એક અટવી આવી. તે પુરુષ પાસે તો શંબલ-ભાથું હતું. મૂલદેવને થયું કે, આ મને તેમાંથી ભાગ આપશે. હમણાં કે પછી જરૂર સંવિભાગ કરશે એમ વિચારી મૂલદેવ ચાલ્યો જાય છે. પણ તે પુરુષ કંઈ આપતો નથી. એ રીતે ત્રીજો દિવસ થયો. અટવી પૂરી થઈ ગઈ. મૂલદેવે પૂછયું, અહીં હવે કોઈ ગામ છે? તે પુરુષે કહ્યું કે, હવે અહીંથી થોડો રસ્તો કાપતા જ ગામ આવે છે, બહુ દૂર નથી. મૂલદેવે પૂછયું, તું જ્યાં વસે છે ? તેણે કહ્યું કે, હું અમુક ગામમાં રહું છું. મૂળદેવે પૂછયું કે, હું આ ગામમાં કઈ રીતે જઈ શકું? ત્યારે તે પુરુષે તેને માર્ગ દેખાડ્યો. મૂલદેવ તે ગામે ગયો. ત્યાં ભિક્ષા માટે ભટકતા તેને બાફેલા અડદ (કુભાષ) મળ્યા. પછી તે ગામમાંથી નીકળી ગયો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy