SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકિર્ણક કથાનક ૧૨૭ શાંતિ થશે નહીં. તે પુરો કરવાના ઉપાયો શરૂ કર્યા. હાથી, ઘોડા, સેવકો આદિ મોકલવા રાજાએ કહ્યું, આ માટે તું આવો કલેશ કરી રહ્યો છે. મમ્મણે કહ્યું, મારું શરીર કલેશ સહન કરવા સમર્થ છે. રાજા કહે તું જ તારા મનોરથ પૂર્ણ કર. તારા સિવાય બીજો કોઈ તારા મનોરથ પૂર્ણ કરી શકશે નહીં. રાજા શ્રેણિક આટલું કહીને ચાલ્યો ગયો. ઘણાં સમયે મમ્મણે પોતાના તે બળદને પૂરિત કર્યો. (આવશ્યકમાં આ દષ્ટાંત અર્થસિદ્ધને આશ્રીને અપાયું છે.) ૦ આગમ સંદર્ભ :આયા.યૂ.. ૮૬; સુય... ૨૩૭; સૂયમૂ. ૪૯૦ની વૃ આવનિ. ૯૩૫ + ; આવ યૂ.૧–પૃ. ૩૭૧, ૫૪૩; ૦ મૂલદેવની કથા : ઉજ્જૈની નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તે નગરમાં અસલ નામે સાર્થવાહ હતો. તે નગરમાં દેવદત્તા નામે ગણિકા હતો. તથા ધૂર્ત, ચોર, ઠગારા, વ્યસની, ચતુર, વિદ્વાન્ અને ધાર્મિકોમાં જે મુખ્યરૂપે પ્રસિદ્ધિને પામેલો, રાજકૂળમાં જન્મેલો, રાજલક્ષણોથી સંપૂર્ણ એવો મૂલદેવ નામનો ધૂર્ત–તકાર હતો. દેવદત્તા સાથે સાચા સ્નેહથી વિષયસુખ ભોગવતા તેના દિવસો આનંદમાં પસાર થતા હતા. ૦ દેવદત્તા સાથેનો પ્રેમ–અચલ દ્વારા વિના : કોઈ સમયે અચલે મૂલદેવની સાથે દેવદત્તાને જોઈ. અચલ તેણીને જોઈને આકર્ષિત થયો. તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. એમ વિચારી તે દેવદત્તાને અનેક ભેટસોગાદો મોકલવા લાગ્યો. તેથી તેણી અચલ પ્રત્યે સ્નેહ દેખાડવો શરૂ કર્યો. કોઈ વખતે પોતાને ત્યાં આવેલા અચલનો આસનાદિ આપી સત્કાર કર્યો, તેની સાથે ભોગ વિલાસમાં તેણી સમય પસાર કરવા લાગી. પણ તેના હૃદયમાં તો મૂલદેવજ વસેલો હતો. દેવદત્તાની માતાને આ વાતનો ખ્યાલ આવી ગયો. તેણીએ પુત્રીને કહ્યું કે, આ ઘુતકારમાં તું કેમ મોહિત થયેલી છે ? આ અચલને જો, તે કેવો ધનવાનું છે ! ત્યારે દેવતત્તાએ કહ્યું, હે માતા ! મૂલદેવ છે તે પંડિત છે, બુદ્ધિમાન છે, નિપુણ છે. અચલ પાસે માત્ર ધન જ છે. ત્યારે તેની માતાએ કહ્યું કે, શું તે અધિક વિજ્ઞાન જાણે છે ? દેવદત્તાએ કહ્યું કે, તે ૭૨ કળાઓમાં પંડિત છે. પરીક્ષા કરવા માટે તેણીએ અચલને કહેવડાવ્યું કે, દેવદત્તાને શેરડી ખાવાની ઇચ્છા થઈ છે ? તેની માતાએ જઈને કહ્યું, ત્યારે અચલે વિચાર્યું કે, આને કેટલી શેરડી મોકલવી કે, જેનાથી દેવદત્તા ખુશ થઈ જાય. તેણે ગાડુ ભરીને શેરડીના સાંઠા મોકલ્યા. દેવદત્તાએ કહ્યું કે, શું હું કંઈ હાથણી છું? આટલી શેરડીના સાંઠા ખાવાની હતી ? - ત્યારે દેવદત્તાએ કહ્યું કે, હવે મૂલદેવ પાસે જા અને તેને કહો કે, દેવદત્તા શેરડી ખાવાની અભિલાષા રાખે છે. ત્યારે અક્કાએ જઈને તે મૂલદેવને કહ્યું. ત્યારે તેણે ક્યાંકથી શેરડી લીધી. તેને સારી રીતે છોલી, પછી તેના નાના-નાના ટુકડા કર્યા. તેને સુવાસિત કરીને પછી દેવદત્તાને શેરડી ખાવા લાયક જાણીને મોકલી.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy