SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ આગમ કથાનુયોગ-૬ ఈసాసా ભાગ્યો હતો. પછી ઉદાયન રાજાએ તેના પર ચડાઈ કરી, પકડી લીધો અને ઉદાયન રાજાનો બંદી બન્યો. (આ સમગ્ર કથા શ્રમણ વિભાગમાં ઉદાયન રાજર્ષિની કથામાં, શ્રમણી વિભાગમાં પ્રભાવતીની કથામાં, શ્રાવિકા વિભાગમાં દેવદત્તાની કથામાં આવી ગયેલ છે.) - પ્રદ્યોત રાજાના અંતઃપુરને દૂષિત કરનાર સત્યકી–મહેશ્વરને તેણે ઉમા વૈશ્યાની મદદ લઈ ફસાવીને મારી નાંખ્યો. પછી નંદી દેવના આગ્રહથી શિવલિંગોની સ્થાપના અને પૂજા શરૂ કરેલી (આ કથા પ્રકીર્ણ કથા વિભાગમાં મહેશ્વરની ઉત્પત્તિની કથામાં આવી ગયેલ છે.) પ્રદ્યોત રાજાની પટ્ટરાણી એવી અંગારવતી – શિવા આદિ આઠેએ ભગવંત મહાવીરની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરેલી હતી. તે વખતે મૃગાવતીના પૂછવાથી ભગવંત મહાવીરના સમવસરણમાં બિરાજમાન ચંડપ્રદ્યોતે તે સર્વેને દીક્ષા લેવા માટે અનુમતિ આપેલી હતી. (આ વૃત્તાંત મૃગાવતીની કથામાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભ :આયા...૫ ૬૪, ૮૭; સૂયમ ૬૬૭ની વૃક ઠા. ૩૬૦, ૭૩રની વૃક ભગ ૫૮૭; પપ્પા. ૨૦ની વૃ; નિસી.ભા. ૩૧૮૪ + ચું બુ.ભા. ૪ર૦૦ + 4 વવ.ભા. ૭૮૩ + દસાનિ ૯૮ની ચૂ આવ.ચૂ.૧–૫ ૮૯, ૯૧, ૨૪૯, ૪૦૦, ૪૦૧, ૫૫૭; ર–પૃ. ૧૫૯ થી ૧૬૪, ૧૬૭, ૧૮૯, ૨૦૦, ૨૭૦; આવનિ ૧૩૦૩ + વૃ: આવ.નિ. ૮૭, ૭૭૬, ૯૪૯, ૧૨૮૪, ૧૨૮૭, ૧૫૫૦ની ; દસ યુ.પૃ. ૫3; ઉત્ત.નિ. ૯૪ની વૃ નંદી. ૧૦૭ની વ કલ્પસૂત્ર યૂ.પૂ. ૯૮; કલ્પસૂત્ર–વૃત્તિ (ભામહાવીર કથા) – – – ૦ પાલકની કથા : કૃષ્ણ વાસુદેવને અનેક પુત્રોમાં પાલક અને શાંબ એ બે પુત્રો પણ હતા. કોઈ વખતે ભગવંત અરિષ્ટનેમિ દ્વારિકામાં સમોસર્યા ત્યારે કૃષ્ણ વાસુદેવે કહ્યું કે, આવતીકાલે જે ભગવંતને પ્રથમ વંદન કરવા જશે, તેને તે જે માગશે તે હું આપીશ. ત્યારે શાંબે શધ્યામાંથી ઉઠીને ત્યાં ને ત્યાં રહો જ ભગવંતને ભાવથી વંદના કરી. જ્યારે પાલક રાજ્યના લોભથી અશ્વરત્ન લઈને જલ્દીથી ગયો અને જ્યાં ભગવંત બિરાજમાન હતા, ત્યાં જઈને વંદન કર્યું, પરંતુ તે અભવ્યસિદ્ધિક હોવાથી હૃદયના આક્રોશપૂર્વક વંદન કર્યું. ત્યારપછી વાસુદેવ કૃષ્ણ ભગવંતની વંદનાર્થે નીકળ્યા. ભગવંતને વંદન–નમસ્કાર કરીને પૂછયું કે, હે ભગવંત શાંબ અને પાલકમાંથી આપને પ્રથમ વંદન કોણે કર્યું ? ત્યારે ભગવંતે જણાવ્યું કે, દ્રવ્યથી પાલકે પ્રથમ વંદન કર્યું. જ્યારે ભાવથી શાંબે પ્રથમ વંદન કર્યું. ત્યારે કૃષ્ણ મહારાજાએ શાબને ઇચ્છિત દાન આપ્યું. | (આ દષ્ટાંત આવશ્યક સૂત્રમાં દ્રવ્ય અને ભાવ વંદનને માટે અપાયેલ છે જ્યારે નિશીથ ભાષ્ય–૧૩ની ચૂર્ણિમાં ભક્તિ અને બહુમાનની ચતુર્ભગીમાં અપાયેલ છે.) ૦ આગમ સંદર્ભ :નિશી.ભા. ૧૩ની ચું, આવ.નિ. ૧૧૦૪ + 4 આવ..ર–પૃ. ૧૯; –– » –– » –
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy