SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકિર્ણક કથાનક ૧૬૩ શ્રેણિક રાજાની કથામાં, અન્ય/પ્રકીર્ણ કથામાં મહેશ્વર/સત્યકીની કથામાં ઉદયન, ધુંધુમાર પાલક ઇત્યાદિ કથાનકોમાં વિવિધ પ્રસંગોરૂપે આવી જ ગયેલ છે. તેથી અહીં પ્રદ્યોતની કથા પરીચયાત્મકરૂપે તથા તેની વિવિધ ઘટનાના સંદર્ભો સહિત નોંધી છે.) ૦ પરીચયાત્મક કથા : પ્રદ્યોત ઉજ્જૈનીનો રાજા હતો. તેનો (ભગવતીજી સૂત્ર-૫૮૭માં) મહસેન નામે પણ ઉલ્લેખ છે. (ઉત્તરાધ્યયન નિર્યુક્તિ-૯૪–વૃત્તિમાં) તેનું નામ ચંડપ્રદ્યોત પણ કહેલ છે. જ્યારે ભગવંત મહાવીરે પ્રવજ્યા અંગીકાર કરી ત્યારે પ્રદ્યોત નાનો હતો. પ્રદ્યોત રાજાને આઠ રાણીઓ હતી. જેમાં અંગારવતી અને શિવાના નામો પ્રસિદ્ધ થયા છે. જેમાં શિવા વૈશાલીના રાજા ચેટકની પુત્રી હતી અને અંગારવતી રાજા ધંધુમારની પુત્રી હતી. (–અંગારવતીના લગ્ન રાજા પ્રદ્યોત સાથે કઈ રીતે થયા તે માટે શ્રમણી વિભાગમાં અંગારવતી શ્રમણીની કથા જોવી) પાલક અને ગોપાલક બંને રાજા પ્રદ્યોતના પુત્રો હતા. (જેમના વિશે ઘર્મઘોષ શ્રમણની કથામાં લખાઈ ગયેલ છે. તેને વાસવદત્તા નામે એક પુત્રી હતી. જેના લગ્ન ઉદયન સાથે થયા. (આ કથા શ્રાવક વિભાગમાં મૃગાવતી પુત્ર ઉદયનકુમારની કથામાં જોવી) અને પ્રદ્યોતના મુખ્ય અમાત્ય–પ્રધાનનું નામ ખંડકર્ણ હતું. રાજા પ્રદ્યોતના ચાર રત્નો કહેવાતા હતા, તે આ પ્રમાણે – (૧) રાણી શીવા, (૨) અનલગિરિ હાથી, (૩) લોહ૪ઘદૂત, (૪) અગ્રિભિરુ રથ. (તે સંબંધી કથા શ્રમણ વિભાગમાં અભયકુમારની કથામાં આવી ગયેલ છે.) તેમજ પ્રદ્યોત રાજાના કાળમાં ઉજ્જૈનીમાં એક વિખ્યાત વાણિજ્યગૃહ (આધુનિક બજાર) હતું. પ્રદ્યોતે મૃગાવતીને પોતાની પત્ની બનાવવા માટે કૌશાંબી નગરીએ રાજા શતાનિક પર ચઢાઈ કરેલી. આ મૃગાવતી, રાજા શતાનિકની પત્ની, રાજા પ્રદ્યોતની શાળી (પત્નીની બહેન) હતી. (આ સમગ્ર કથા શ્રમણી વિભાગમાં મૃગાવતીની કથામાં નોંધેલ છે.) પ્રદ્યોત રાજાએ રાજા શ્રેણિક પર રાજગૃહી નગરીને ઘેરો ઘાલીને હુમલો કરવા પ્રયત્ન કરેલો. પણ અભયકુમારની બુદ્ધિથી, તે નિષ્ફળ ગયો. ત્યારે પ્રદ્યોતે તેનો બદલો લેવા ગણિકાઓને કપટી શ્રાવિકા બનાવીને મોકલી અને પ્રપંચથી અભયકુમારને પકડી લીધો હતો. ત્યાંથી અભયકુમાર પોતાના વિશિષ્ટ બુદ્ધિકૌશલ્યથી છટકી જઈને પ્રદ્યોત રાજાને પકડીને રાજગૃહે પાછો આવી ગયો (આ સમગ્ર કથા વિસ્તારથી – શ્રમણ વિભાગમાં અભયકુમારની કથામાં તથા શ્રેણિક પરના આક્રમણની વાત શ્રાવક વિભાગમાં શ્રેણિકની કથામાં છે.) રાજા પ્રદ્યોતે પાંચાંલના કંપીલપુરના રાજા દુર્મુખ પર પણ આક્રમણ કરેલું હતું. કેમકે તે દુર્મુખ પાસે વિશિષ્ટ કોટિનો દેવી મુગટ હતો. જેના કારણે તે જવ રાજાના બે મુખ દેખાતા હતા. ત્યાં પણ રાજા પ્રદ્યોત પરાજય પામ્યો. કથા જુઓ પ્રત્યેકબુદ્ધ દ્વિમુખ. ત્યાં પ્રદ્યોતને દ્વિમુખ રાજાની પુત્રી મદન–મંજરી સાથે પ્રેમ થયો અને રાજાએ પછી તે બંનેના લગ્ન કર્યા. રાજા પ્રદ્યોતે વિતિભય નગરે જઈને રાજા ઉદાયન અને પ્રભાવતી રાણીની દાસી એવી દેવદત્તા (કુન્જયૂલિકા)ને અનલગિરિ હાથી પર લઈને ભગવંતની મૂર્તિ સહિત છે. અલાર થર કાર વતી રાજ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy