SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આગમ કથાનુયોગ-૬ ૦ અસંયતિઓની પૂજા : ભગવંત ઋષભદેવ પૂર્વે અનંતો કાળ ગયો તે પહેલાની કોઈક બીજી ચોવીસીમાં સાત હાથની કાયાવાળા, જગતુમાં આશ્ચર્યભૂત, દેવેન્દ્રોના સમૂહથી વંદાએલ, શ્રેષ્ઠતર, ઘર્મશ્રી નામના છેલ્લા ધર્મતીર્થંકર હતા. તેમના તીર્થમાં સાત આશ્ચર્યો થયા હતા. કોઈ સમયે તે તીર્થકર ભગવંત પરિનિર્વાણ પામ્યા. ત્યારપછી કાલક્રમે અસંતોનો સત્કાર કરાવવારૂપ આશ્ચર્ય વહેવાનો પ્રારંભ થયો, તે સમયે ત્યાં લોકોની અનુવૃત્તિથી તેમજ મિથ્યાત્વથી આવરિત થયેલ, અસંયતોની પૂજા કરવામાં અનુરાગી થયેલા ઘણા સમૂહને જાણી તે કાળે, તે સમયે નહીં જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા, ત્રણ ગારવરૂપ મદિરામાં મુંઝાએલા નામ માત્રના આચાર્ય અને ગચ્છનાયકોએ શ્રાવકો પાસેથી ધન મેળવીને દ્રવ્ય એકઠું કરી કરીને હજાર સ્તંભોવાળું ઊંચું એવું દરેક મહત્ત્વભાવથી પોતપોતાના નામનું ચૈત્યાલય કરાવીને તેઓ દુરંતપંત લક્ષણવાળા અધમાધમી તે જ ચૈત્યાલયોમાં રહેવા સાથે તેનું રક્ષણ કરવા લાગ્યા. તેઓમાં બલવીર્ય, પરાક્રમ, પુરુષાર્થ હોવા છતાં તે પુરુષકાર પરાક્રમ બળવીર્યને છુપાવીને ઉગ્ર અભિગ્રહો કરવા અનિયત વિહાર કરવાનો ત્યાગ કરીને, છોડીને નિત્યવાસનો આશ્રય કરીને, સંયમ આદિમાં શિથિલ થઈને રહેલા હતા. પછીથી આ લોક, પરલોકના નુકસાનની ચિંતાનો ત્યાગ કરીને, લાંબા કાળનો સંસાર અંગીકાર કરીને તે જ મઠ અને દેવકુળોમાં અત્યંત પરિગ્રહ, બુદ્ધિ, મૂછ, મમત્વકરણ, અહંકાર વગેરે કરીને સંયમ માર્ગમાં પાછા પડેલા પરાભવિત થયા પછી પોતે વિવિધ પુષ્પોની માળા આદિથી (ગૃહસ્થોની જેમ) દેવાર્ચન કરવા ઉદ્યમશીલ બન્યા. જે વળી શાસ્ત્રના સારભૂત શ્રેષ્ઠ એવા સર્વજ્ઞનું વચન છે, તેને ઘણાં જ દૂરથી ત્યાગ કર્યું. તે આ પ્રમાણે સર્વે જીવો, સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે સત્વોને હણવા નહીં વેદના ન આપવી, પરિતાપ ન પમાડવો, ગ્રહણ ન કરવા, વિરાધના ન કરવી, કિલામણા. ન કરવી, ઉપદ્રવ ન કરવો, કોઈપણ જીવને ત્રિવિધ ત્રિવિધ મારવા નહીં, મરાવવા નહીં, મારનારની અનુમોદના કરવી નહીં. આવી પોતે સ્વીકારેલી મહાવ્રતની પ્રતિજ્ઞા પણ ભૂલી ગયા. વળી હે ગૌતમ ! મૈથુન એકાંતે કે નિશ્ચયથી કે દૃઢપણે તેમજ જળ અને અગ્રિનો સમારંભ, સર્વથા, સર્વ પ્રકારે મુનિ સ્વયં વર્જ, આવા પ્રકારનો ધર્મ, ધ્રુવ, શાશ્વત, નિત્ય છે, એમ લોકોના દુઃખને જાણનાર સર્વજ્ઞ તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલું છે. ઇત્યાદિ બધું ભૂલી ગયેલા. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૮૩૭; ૦ પ્રદ્યોતની કથા : (- વ્યવહારમાં પ્રદ્યોત રાજા ચંડપ્રદ્યોતના નામથી પ્રસિદ્ધ છે.) (પ્રદ્યતની કથા આ પૂર્વે શ્રમણ વિભાગમાં ઉદાયન રાજર્ષિ અને અભયકુમારની કથામાં, શ્રમણી વિભાગમાં રાણી મૃગાવતી અંગારવતી અને રાણી શિવાની કથામાં શ્રાવક વિભાગમાં
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy