SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-દ્ કલ્પકે પોતાની બુદ્ધિથી સર્વ રાજ્ય કાર્યો સ્વાધીન કર્યા. પહેલાંના વિરોધી મંત્રીને પકડાવી મજબૂત કેદખાનામાં નાંખ્યો. તેણે સામનીતિથી બધાં શત્રુઓને મૂળ સહિત ઉખેડી નાંખ્યા. કલ્પકનો પ્રભાવ વૃદ્ધિ પામ્યો. વૈનેયિકી બુદ્ધિમાં પણ આ દૃષ્ટાંત આવે છે. ૦ આગમ સંદર્ભ :~ આવ.યૂ.ર—પૃ ૧૮૦ થી ૧૮૩; નંદી. ૧૦૨ની ; ૧૫૮ X આવ.નિ. ૧૨૮૪ની વૃ; X - ૦ કોકાસ તથા કાકવર્ણ જિતશત્રુની કથા :– -- (આવશ્યક સૂત્રમાં આ કથા કર્મસિદ્ધના દૃષ્ટાંતમાં આવે છે.) સોપારક નગરમાં રથકારની દાસીને કોઈ બ્રાહ્મણથી દાસચેડ ઉત્પન્ન થયો. તે મૌનભાવ ધારણ કરીને રહેતો હતો. જાણે કંઈ જાણતો જ ન હોય. રથકાર પોતાના પુત્રને શિક્ષણ આપતો, પણ તે મંદબુદ્ધિનો હોવાથી કંઈ શીખતો ન હતો. પણ દાસપુત્રે તે બધી શિક્ષા ગ્રહણ કરી. કોઈ વખતે રથકાર મૃત પામ્યો. રાજાએ તેના ગૃહમાં સારભૂત હતું તે બધું તે દાસપુત્રને આપી દીધું. આ તરફ ઉજ્જૈનીમાં રાજા શ્રાવક હતો. તેને ચાર શ્રાવકો હતા. એક રસોઈયો હતો, તે રસોઈ બનાવતો. જમવા માત્રથી પચી જતું. અથવા બે, ત્રણ, ચાર, પાંચ યામે પણ પચી જતું. તેને પસંદ ન પડે તો ન જમતો. બીજો શ્રાવક અન્યંજન કરતો, તે કુડવ પ્રમાણ તેલ શરીમાં પ્રવેશ કરાવતો અને બહાર કાઢી શકતો. ત્રીજો શય્યાની રચના કરતો, તેમાં સુતેલો પહેલા યામે જાગે અથવા બીજે, ત્રીજે, ચોથે જાગી જાય અથવા સુખેથી સુવે. ચોથો શ્રાવક શ્રીગૃહિક રચતો, તેમાં પ્રવેશ કરે ત્યારે કશું જ દેખાતું નથી. આ તેઓની આવડતો હતી. તે રાજા પુત્રરહિત હતો. કામભોગથી નિર્વિણ્ણ થઈ પ્રવ્રજ્યાનો ઉપાય વિચારવા લાગ્યો. આ તરફ પાટલીપુત્રમાં જિતશત્રુ રાજા હતો. તેણે પેલા રાજાની નગરીનો રોધ કર્યો. તેટલામાં એ રાજાને પૂર્વકર્મ પરિણતિથી ગાઢ શૂળ ઉત્પન્ન થયું. તે રાજાએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યા, દેવલોકે ગયો. નગરજનોએ જિતશત્રુ રાજાને તે નગરી આપી. તેણે શ્રાવકોને બોલાવ્યા અને પૂછ્યું, કિંકર—નોકરો ક્યાં છે ? તે ભાંડાગારિક દ્વારા પ્રવેશ થયા પણ તેને કંઈ દેખાતું ન હતું. બીજા દ્વારા દેખાડવામાં આવ્યું. શય્યાપાલકે એવી શય્યા બનાવી, જેને કારણે મુહૂર્તો–મુહૂર્તો જાગી જતો હતો. રસોઈયાએ એવું ભોજન બનાવ્યું કે વારંવાર જમવા લાગ્યો. અત્યંગન કરનારે તેલનો પ્રવેશ કરાવી એક પગનું તેલ બહાર ન કાઢ્યું અને કહ્યું કે, જે મારા જેવો કુશળ હોય તે તેલ કાઢી બતાવે. ત્યારે તે જિતશત્રુ રાજા તે તેલથી દાઝતો કાળા વર્ણનો થઈ ગયો. તેથી તેનું કાકવર્ણ નામ પડી ગયું. આ તરફ સોપારક નગરમાં દુકાળ પડ્યો. તે કોકાસ ઉજ્જૈની ગયો. પોતાને રાજા કોઈ રીતે જાણે તેમ કર્યું. રાજાએ જાણીને તેને નોકરીમાં રાખ્યો. તેણે આકાશગામી કીલિકા પ્રયોગથી નિર્મિત એવું ગરુડ બનાવ્યું. તે રાજા કોકાશ અને દેવી સાથે તે ગરુડ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy