SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકિર્ણક કથાનક ૧૫૭ ત્યારે રોષિત થયેલા કલ્પકે કહ્યું કે, હવે હું તારા લોહી વડે વસ્ત્રોને રંગીશ અથવા અગ્રિમાં પ્રવેશ કરી. તે છરી લઈને ગયો, રંગારાનું ઉદર ચીરીને લોહી વડે વસ્ત્ર રંગ્યા. રંગારાની પત્નીએ રાજાને ફરિયાદ કરી. ત્યારે કલ્પકને ચિંતા થઈ કે આ તો રાજાએ માયા કરી છે. તે વખતે મેં અમાત્ય પદ ન સ્વીકાર્યું, તેનું આ પરિણામ છે. જો મેં પ્રવજ્યા લીધી હોત તો આ દિવસ ન આવત. હવે હું જાતે જ જઉં, જેથી મને પકડવા ન આવે તેમ વિચારી રાજકુલે ગયો. રાજા ઊભો થયો. કલ્પકે કહ્યું કે, આજ્ઞા આપો. હવે હું શું કરું ? ત્યારે રાજાએ પૂછયું કે, મેં તને જે કહ્યું હતું તે બાબતે કંઈ વિચાર્યું ? કલ્પકે કહ્યું, તમે કહો તે કરું. તે વખતે રંગારાઓ આવ્યા, પણ રાજા સાથે કલ્પકને સંલાપ કરતા જોઈને નાસી ગયા. પછી તે રાજાના મંત્રીરૂપે રહ્યો. ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. અનેક પુત્રરત્નો ઉત્પન્ન થયા. કોઈ વખતે પુત્રના પાણિગ્રહણ સમયે અંતઃપુર સહિત રાજાને ભોજન કરાવવા તૈયાર કરી, રાજા રાણીને આપવા આભુષણ હથિયાર ઘડાવવા લાગ્યો. તેના પર કેષવાળા જૂના મંત્રીએ રાજાના કાન ભંભેર્યા કે કલ્પક આપની વિરુદ્ધ કાવતરું ઘઢી રહ્યો છે. રાજાએ કોપાયમાન થઈને કલ્પકને સકુટુંબ કૂવામાં ઉતાર્યો. તેમાં રહેલા સર્વે માટે એક સેતિકા પ્રમાણ બાફેલા ક્રોકવાની ઘેંશ તથા પાણીની એક કાવડ આપેલી. ત્યારે કલ્પકે કહ્યું કે, આપણા કુળનો વિનાશ થવાનો છે. માટે જે કોઈ કુળનો ઉદ્ધાર કરી શકે તથા વેરનો બદલો વાળી શકે, તેણે ઘેંશ ખાવી, બીજાએ નહીં. ત્યારે કુટુંબીજનોએ કહ્યું કે, તે માટે તમે જ સમર્થ છો. તમે જ ભોજન કરો. બાકીના સર્વેએ ભક્ત પ્રત્યાખ્યાન અનશન કર્યું. તે બધાં દેવલોક પામ્યા. કલ્પક ભોજન કરીને પ્રાણ ધારણ કરવા લાગ્યો. તે દરમ્યાન આસપાસના વિસ્તારમાં કલ્પકના મૃત્યુની વાત પ્રસરી ગઈ. ત્યારે આજુબાજુના રાજાએ પાટલિપુત્રને ઘેરો ઘાલ્યો. નંદ રાજા હોશકોશ વગરનો થઈ ગયો. ત્યારે કલ્પકનું કોઈ જીવે છે કે નહીં, તેની તપાસ કરાવી. ત્યારે દુર્બળ દેહવાળો કલ્પક બહાર આવ્યો. ઔષધોપચારથી તેનું શરીર પૂર્વવત્ થઈ ગયું. કલ્પકને કિલ્લા ઉપર ચડાવ્યો. શત્રુ રાજા તેને જોઈને ક્ષણવારમાં પલાયન થઈ ગયો. ત્યારપછી નંદરાજા પાસે ભંડાર, સૈન્ય આદિ ઘટી ગયા છે, તેમ જાણી વિરોધી રાજા ઉપદ્રવ કરવા લાગ્યા. ત્યારપછી નંદરાજાએ સંધિ માટે કોઈ લાયક પુરુષને મોકલવા કહ્યું. પછી કલ્પક અને તે પુરુષો થોડા અંતરે એકઠા થયા. ત્યારે કલ્પકે હાથની સંજ્ઞાથી તેમને ઘણું સમજાવ્યા. જેમકે શેરડીના સાંઠાને ઉપરનીચે કાપી નાખ્યો હોય આદિ. ત્યારે વિરોધી રાજાનો પુરુષ કલ્પકની સંજ્ઞાથી કંઈ સમજી શક્યો નહીં. પછી કલ્પકને પ્રદક્ષિણા કરીને પાછો આવી ગયો. બીજો પણ તદ્દન વિલખો બની પાછો આવ્યો. તેને પૂછયું ત્યારે તે લજ્જાથી કંઈ જ બોલી શક્યો નહીં. વિરોધી રાજા સમજી ગયા કે કલ્પકે આને વશ કરી લીધો લાગે છે. પછી શંકામાં પડેલા તે દરેક દિશામાં નાશભાગ કરવા લાગ્યા. કલ્પકે રાજાને કહ્યું, હવે તેની પાછળ પડીને તેના હાથી, ઘોડા, ધન, સૈન્ય વગેરે સ્વાધીન કરી લો. રાજાએ ફરી કલ્પકને અમાત્યપદે સ્થાપ્યો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy