SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આગમ કથાનુયોગ-૬ અજુગતું વર્તન કર્યું. ત્યારે તે જ્ઞાનીમુનિએ કહેલું કે, જેના નિમિત્તે તમે આ મહોત્સવ કરી રહ્યા છો તેનો સાતમો ગર્ભ તારા પતિ કંસ અને પિતા જરાસંધને હણનાર થશે. ત્યારે કંસે વિચાર્યું કે, આ વાતની કોઈને પણ જાણ થાય તે પહેલા મારા મિત્ર વસુદેવ પાસે દેવકીના સાત ગર્ભ માંગી લઉં. પછી મદિરા ન પીધી હોવા છતાં ઉન્મત્ત હોય તેવો દેખાવ કરીને કંસ વસુદેવ પાસે ગયો. વસુદેવે તેનો યોગ્ય સત્કાર કર્યો. ત્યારે કંસે દેવકીના સાત ગર્ભ માંગ્યા. સરળ મનવાળા વસુદેવે તેની આ વાત કબૂલ રાખી. તે વખતે ભદિલપુરમાં નાગ નામે સારથી હતો. તેને સુલસા નામે પત્ની હતી. અતિમુક્ત મુનિએ કહેલું કે, આ કન્યા મૃતવત્સા થશે. સુલસાએ હરિભેગમેષી દેવની સાધના કરી. દેવે પ્રસન્ન થઈને કહ્યું કે, કંસે વસુદેવ પાસે દેવકીના સાત ગર્ભ માંગ્યા છે. હું તને તેના પુત્રો અર્પણ કરીશ અને તારા મૃત બાળકો દેવકીને સોંપી દઈશ. દેવે તે પ્રમાણે જ કર્યું. ત્યારે કંસે દેવકી પાસે મૂકાયેલા સુલતાના પુત્રોને ગ્રહણ કરીને પત્થરની શીલા સાથે અથડાવ્યા અને પોતે જ તેને મારી નાંખ્યા છે તેમ માનવા લાગ્યો. દેવકીના છ એ પુત્રો સુલસાને ત્યાં ઉછરવા લાગ્યા. કોઈ વખતે દેવકીએ સાત મહાસ્વપ્નો જોયા. ગર્ભ ધારણ કર્યો. કૃષ્ણ વાસુદેવને જન્મ આપ્યો. કંસે રાખેલા ચોકીદારે દેવતાના પ્રભાવથી નિદ્રાવશ થઈ ગયા. દેવકીના કહેવાથી વસુદેવ તે બાળકને નંદના ગોકુળમાં લઈ ગયા. નંદની સ્ત્રી યશોદાએ એક પુત્રીને જન્મ આપેલો તેને દેવકી પાસે લાવ્યા. તેટલામાં કંસના ચોકીદારો જાગી ગયા. તેઓ એ પુત્રી લઈને કંસ પાસે ગયા. ત્યારે કંસને થયું કે, આ તો કન્યા છે. તે મને ક્યાં મારવાની હતી, માટે મુનિનું વચન મિથ્યા થયું છે તેથી તે બાલિકાની નાસિકા છેદી છોડી દીધી. કોઈ વખતે કંસને નિમિત્તયાએ કહ્યું કે, ઋષિવચન કદાપી મિથ્યા ન થાય, માટે દેવકીનો સાતમો ગર્ભ અન્ય ક્યાંય પણ જીવતો જ હોવો જોઈએ. તમે તમારા અરિષ્ટ નામના બળદને, કેશી નામના અશ્વને અને દુન્ત એવા ખર અને મેષને વૃંદાવનમાં છૂટા મૂકો. જે આ ચારેને મારી નાંખશે તે દેવકીનો સાતમો ગર્ભ હશે અને તમને હણનાર થશે. નૈમિત્તિકના વચનાનુસાર કંસે કર્યું. કૃણે તેને હણ્યા. ત્યારપછી કંસે પુરી પરીક્ષા કરવા માટે સત્યભામાના વિવાહની યુક્તિ ગોઠવી કહ્યું કે, જે આ ધનુષ્ય ચઢાવશે તેને મારી બેન સત્યભામાં પરણાવીશ. કૃષ્ણ ધનુષ્ય ચઢાવ્યું. કંસની માયાથુક્તિ જાણી ગયેલા વસુદેવ તુરંત કૃષ્ણને ગોકુળમાં મોકલી દીધા. એ રીતે કંસે વિવિધ પરીક્ષા દ્વારા જાણ્યું કે આ જ દેવકીનો સાતમો ગર્ભ છે. ત્યારે ભય અને ક્રોધથી કંપતા કંસે તેને તુરંત જ મારી નાખવા હુકમ કર્યો. ત્યારે કૃષ્ણ કંસને પકડીને ભોય પર પટકી દીધો. કંસનો મુગટ પડી ગયો, વસ્ત્રો ખસી ગયા, તેના નેત્રો ભયથી સંભ્રમ પામ્યા. પછી કૃષ્ણ કહ્યું કે, તેં તારી રક્ષાને માટે ફોગટ જ ગર્ભ હત્યાઓ કરી, હવે તું બચવાનો નથી. તેના મસ્તક પર પગ મૂકી કંસને મારી નાંખ્યો. ૦ આગમ સંદર્ભ :આયા. ૬૩ની વૃ, સૂય.૫ ૩૪૦; પહા. ૧૯; પપ્પા ૨૦ની વૃ; નાયત ૧૭૦;
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy