SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ આગમ કથાનુયોગ-૬ આંખ બનાવી લીધી ત્યારપછી સત્યકીએ વિચાર્યું કે, આણે રાજકુલીન એવી સાધ્વીને – મારી માતાને દૂષિત કરી છે, તેથી તેણે પેઢાલને મારી નાંખ્યો. ત્યારે સત્યકીનું રુદ્ધ એવું નામ પડ્યું. ત્યારપછી કાલસંદીપ તરફ જોયું. કાલસંદીપ ત્યાંથી ભાગ્યો. સત્યકી તેની પાછળ પડ્યો. તે ઉપર–નીચે ભાગવા લાગ્યો. છેલ્લે તેને લવણ સમુદ્રમાં મારી નાંખ્યો. ૦ મહેશ્વર નામકરણ અને સત્યકીની હત્યા - ત્યારપછી તે વિદ્યાચક્રવર્તી સત્યકી ત્રણે સંધ્યા સર્વ તીર્થકરોને વંદન કરીને, નૃત્યવિધિ દર્શાવી પછી ક્રીડા–રમણ કરતો હતો. તેથી ઇન્દ્ર તેનું મહેશ્વર નામ પાડ્યું. તે પણ બ્રાહ્મણો પરત્વેના દ્વેષથી બ્રાહ્મણોની સો-સો કન્યાઓનો વિનાશ કરતો (ભોગવતો) હતો. બીજાના અંતઃપુરમાં જઈને પણ કામક્રીડા કરી આવતો હતો. તેને બે શિષ્યો હોવાનું કહેલ છે – નંદીશ્વર અને નંદી. તે પુષ્પક વિમાન વડે ક્રીડા કરતા હતા. એ પ્રમાણે કાળ પસાર થતો હતો. કોઈ વખતે ઉજ્જૈનીમાં રાજા પ્રદ્યોતના અંતઃપુરમાં એક શિવાદેવીને છોડીને ક્રમશ: બધી જ રાણીને તેણે ભોગવી. ત્યારે રાજા પ્રદ્યોતે વિચાર્યું કે, કયા ઉપાય વડે આનો વિનાશ કરવો ? તે વખતે ઉમા નામની એક રૂપવતી ગણિકા હતી. પ્રદ્યોત રાજાએ તેણીને આ કાર્ય સોંપ્યું. તેણી ધૂપ ગ્રહણ કરી રાત્રિના અગાસીમાં પોતાના રૂપને પ્રગટ કરતી સત્યકી વિદ્યાધરના માર્ગમાં ઊભી રહેવા લાગી. કોઈ કાળે સત્યકી તેનામાં મુગ્ધ બનીને ત્યાં અવતર્યો. ત્યારે તેની પાસે બે પુષ્પો હતા વિકસિત અને મુકુલિત. ઉમાએ મુકુલિત પુષ્પ અર્પણ કર્યું. મહેશ્વરે વિકસિત પુષ્પ માટે હાથ લંબાવ્યો ત્યારે તેણીએ કહ્યું કે, મારા જેવી સુંદર કન્યા સામે કેમ જોતો નથી ? ત્યારે મહેશ્વર સત્યકી તેના રૂપને નીરખવા લાગ્યો. હરાયેલા હૃદયથી તેણીની સાથે જ વસવા લાગ્યો. ભોગોમાં મગ્ન બનેલા બંને એ પ્રમાણે કાળ વ્યતીત કરી રહ્યા છે. કોઈ દિવસે ઉમાએ મહેશ્વરને પૂછયું કે, તું તારી વિદ્યાને કયા સમયે તારાથી દૂર રાખે છે. મહેશ્વરે કહ્યું કે, હું જ્યારે મૈથુન સેવન કરું છું તેટલી વખત મારી વિદ્યા દૂર હોય છે. ઉમાએ આ વાત પ્રદ્યોત રાજાને જણાવીને કહ્યું કે, તમે મને મારશો નહીં. ત્યારે કોઈ ભાલાની કલામાં નિપુણ પુરુષે પોતાનું કૌશલ્ય દેખાડતા પત્રોના ઢગલામાં વિંધીને કહ્યું કે, આ રીતે તું બચી જઈશ. પછી પ્રદ્યોતે તે પુરુષને આજ્ઞા કરી કે, મહેશ્વર જ્યારે ઉમા સાથે સંભોગરત હોય ત્યારે તે બંનેને જ મારી નાખજે. ત્યારે તે મનુષ્યો ગુપ્ત રીતે ગયા. સંભોગરત એવા મહેશ્વર અને ઉમા બંનેને મારી નાંખ્યા. ત્યારે નંદીશ્વરે તે વિદ્યાથી અધિષ્ઠિત એવી શિલા આકાશમાં વિકર્વી – ઉચ્ચ સ્વરે કહ્યું કે, હવે તમે બધાં જ મરવાના છો. ત્યારે રાજા નગરજનો સાથે ભીના વસ્ત્રો પહેરીને આવ્યો. પોતાના અપરાધની ક્ષમા યાચના કરવા લાગ્યો ત્યારે નંદીએ કહ્યું કે, જે અવસ્થામાં તમે આને મારી નાંખ્યો છે એ જ અવસ્થામાં (યોનિમાં રહેલ લિંગની) તમે પૂજા કરવાનું સ્વીકારો, તો જ તમને બધાને મુક્ત કરું. તથા નગરે નગરે તમે આવી મૂર્તિઓની સ્થાપના કરો તો બચશો. ત્યારે રાજાએ તે વાતને સ્વીકારી અને મહેશ્વરના (લિંગના)
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy