SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકિર્ણક કથાનક ૧૫૧ ૦ આગમ સંદર્ભ :નિર. ૨૧; કંપ 3; – ૮ – – ૦ મહેશ્વરની ઉત્પત્તિની કથા - વૈશાલી રાજા ચેટકની પુત્રી સુજ્યેષ્ઠાએ વૈરાગ્ય પામીને પ્રવજ્યા અંગીકાર કરી. (આ સંપૂર્ણ કથન માટે જુઓ સુયેષ્ઠા શ્રમણની કથા) કોઈ વખતે સુજ્યેષ્ઠા સાધ્વીજી ઉપાશ્રયની અંદર આતાપના લઈ રહ્યા હતા. તે વખતે પેઢાલ નામનો પરિવ્રાજક વિદ્યાસિદ્ધ (વિદ્યાધર) પોતાની વિદ્યા કોઈને આપવા માટે યોગ્ય પુરુષની ગવેષણા કરતો હતો. ત્યારે તેને વિચાર આવ્યો કે જો બ્રહ્મચારિણીનો પુત્ર થાય તો તે સમર્થ–શક્તિમાન પુત્ર બને. ત્યારે આતાપના લેતી સુજ્યેષ્ઠાસાધ્વીને જોઈને તેણે ધુમાડો વિફર્યો. પોતાની વિદ્યાના વિપર્યાસથી (ભ્રમરરૂપ કરીને તેણીની યોનિમાં પ્રવેશ કરી) ત્યાં વીર્યનું સ્મલન કર્યું. સમય વીતતા સુજ્યેષ્ઠાનો ગર્ભવૃદ્ધિ પામ્યો. ત્યારે અતિશયજ્ઞાનીને પૂછવામાં આવ્યું કે, આ સાધ્વી તો શીલવતી અને બ્રહ્મચારિણી છે, તો પણ આમ કેમ બન્યું ? ત્યારે જ્ઞાની મહાત્માએ જણાવ્યું કે, આમાં આ સાધ્વીનો કોઈ જ દોષ નથી. તેણીના કામ વિકારનું ફળ નથી. ત્યારપછી શ્રાદ્ધ કુળમાં તે બાળક વૃદ્ધિ પામ્યો. કોઈ વખતે તે પુત્ર સાધ્વીજીઓ સાથે સમવસરણમાં ભગવંત સમીપે ગયો. ૦ કાલસંદીપ વિદ્યાધરનું સત્યકી દ્વારા મૃત્યુ થશે તે કથન : તે વખતે સમોસરણમાં કાલસંદીપ નામે વિદ્યાધર આવ્યો. તેણે ભગવંત મહાવીરને વંદન કરીને પૂછયું કે, હે સ્વામી ! મને કોનાથી (મૃત્યુનો) ભય છે ? ભગવંતે કહ્યું કે, આ સત્યકી (બાળક) તને મારનાર થશે. ત્યારે કાલસંદીપે (પેઢાલ અને સુજ્યેષ્ઠના પુત્ર સત્યકીને જઈને કહ્યું કે-) અરે ! તું મને મારવાનો છે? એમ કહી સત્યકીને લાત મારીને પાડી દીધો. ત્યારપછી સત્યકી યુવાન થયો. ત્યારે પેઢાલ પરિવ્રાજકે તેનું સાધ્વી પાસેથી હરણ કરી લીધું. સત્યકીને વિદ્યાઓ શીખવી. સત્યકી મહારોહિણી વિદ્યાની આ પૂર્વેના છ ભવથી સાધના કરતો હતો. આ તેનો સાતમો ભવ હતો. પૂર્વે પાંચ ભવમાં રોહિણી (વિદ્યા)એ તેને મારી નાંખ્યો હતો. છઠા ભવમાં તેનું માત્ર છ માસનું આવું જ બાકી રહ્યું હોવાથી તેણે રોહિણી વિદ્યા ગ્રહણ કરેલી નહીં. આ સાતમાં ભવમાં ફરી સાધના શરૂ કરી. અનાથ મૃતક વડે ચિતા બનાવી, તેને પ્રજ્વલિત કરી આર્તધર્મ પાવરણ કરીને ડાબા અંગુઠાથી ત્યાં સુધી ફેરવ્યા કર્યું, જ્યાં સુધી કાષ્ઠ બળવા લાગ્યા. તેટલામાં કાલસંદીપ વિદ્યાધર આવીને લાકડા ફેંકવા લાગ્યો. સાત રાત્રિ પસાર થતા રોહિણી વિદ્યાની દેવી જાતે ઉપસ્થિત થયા. તેણે કાલસંદીપને કહ્યું કે, તું આને વિઘ્ન ન કર. હું સત્યકીને વિદ્યાસિદ્ધિ ઇચ્છું છું. - જ્યારે વિદ્યા સિદ્ધ થઈ ત્યારે તેની દેવીએ કહ્યું કે, તે શરીરનું એક અંગ મને આપ, જ્યાંથી હું તારા શરીરમાં પ્રવેશ કરું. સત્યકીએ લલાટમાં પ્રતિષ્ઠિત કરી. વિદ્યાએ પણ કપાળ મધ્ય પ્રવેશ કર્યો. ત્યાં છિદ્ર થઈ ગયું. દેવીએ તેના પર ખુશ થઈને ત્યાં ત્રીજી
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy