SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકિર્ણક કથાનક આહત, મર્દિત, ઘાતિત કરતા અને તેની સંકેતસૂચક ધ્વજા–પતાકાઓને ભૂમિસાત કરતા દિશાદિને આલોકશૂન્ય કરતા રથથી રથને લડાવતા ચેટકરાજાની સામે આવ્યો. ત્યારે ચેટકરાજા ક્રોધાભિભૂત – યાવત્ ધમધમતા ધનુષ્યને ઉપાડ્યું. બાણ હાથમાં લીધું. બાણ ચઢાવ્યું. કાન સુધી ખેંચ્યુ. એક જ વખતમાં આહત કરીને, રક્તરંજિત કરી નિષ્પ્રાણ કરી દીધો. હે કાલી ! તે કાલકુમાર મરણને પ્રાપ્ત થયો છે – યાવત્ – હવે તું કાલકુમારને જીવિત જોઈ શકીશ નહીં. -- ૦ કાલી દેવીનો આઘાત, કાલકુમારની ગતિ : શ્રમણ ભગવંત મહાવીર પાસે આ કથન સાંભળીને અને હૃદયમાં અવધારીને કાલીરાણી ઘોર પુત્રશોકથી અભિભૂત, ચંપકલતા સમાન પછાડ ખાઈને ધડામ કરતી પૃથ્વી પર પડી ગઈ. કેટલેક સમયે જ્યારે કાલીદેવી આશ્વસ્ત થઈ, પછી ઊભી થઈને ભગવંતને વંદનનમસ્કાર કર્યા. પછી કહ્યું, હે ભગવન્ ! તે એ પ્રમાણે જ છે, ભગવન્ ! એમ જ છે. આ અવિતથ, અસંદિગ્ધ, સત્ય છે. આ વાત એ જ પ્રમાણે છે, જે આપે બતાવી છે. હે ભગવન્ ! કાલકુમાર રથમૂસલ સંગ્રામ કરતા ચેટક રાજાના એક જ આઘાતથી જીવનરહિત થઈને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? — હે ગૌતમ ! તે કાલકુમાર મૃત્યુ પામીને ચોથી પંકપ્રભા પૃથ્વીના હેમાભ નરકમાં દશ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં નારકરૂપે ઉત્પન્ન થયો. હે ભગવન્ ! કયા પ્રકારના ભોગ–સંભોગોને ભોગવવાથી, કેવા આરંભ અને સમારંભથી તથા કેવા આચારિત અશુભકર્મોના ભારથી મરણ પામીને તે કાલકુમાર ચોથી પંકપ્રભાપૃથ્વીમાં – યાવત્ – નૈરયિકરૂપે ઉત્પન્ન થયો ? - હે ગૌતમ ! રાજગૃહ નગર હતું. શ્રેણિક રાજા હતો. અભયકુમાર રાજ્ય ધુરાનો ચિંતક હતો. ચેલણારાણીને કોણિક નામે પુત્ર થયો. (ઇત્યાદિ સર્વ કથન કોણિક રાજાની કથામાં શ્રાવક વિભાગમાં વિસ્તારથી આવી ગયેલ છે) – યાવત્ – કોણિક રાજાના કહેવાથી કાલ આદિ કુમારો ઉપસ્થિત થયા. ત્યારપછી કાલકુમાર ગરુડવ્યૂહના અગિયારમાં ભાગે કોણિક રાજાની સાથે રસમૂસલ સંગ્રામ કરતો હત—મથિત થઈ ગયો ઇત્યાદિ જે પ્રમાણે ભગવંતે કાલીદેવીને કહ્યું તે પ્રમાણે – યાવત્ – મૃત્યુ પામ્યો. હે ગૌતમ ! આ પ્રકારના આરંભોથી, અશુભ કાર્યોથી તે કાલકુમાર મરણ પામીને ચોથી પંકપ્રભાના હેમાભ નરકમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયો છે. - હે ભગવન્ ! તે કાલકુમાર ચોથીનરક નીકળીને ક્યાં જશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જે આઢ્યકુળ છે, તેમાં જન્મ લઈ દૃઢ–પ્રતિજ્ઞની સમાન સિદ્ધ, બુદ્ધ, મુક્ત યાવત્ – પરિનિર્વાણને પ્રાપ્ત થશે, દુઃખોનો અંત કરશે. આ કાલકુમારને પદ્માવતી નામે પત્ની હતી. તેઓને પદ્મ નામે કુમાર હતો. ૦ આગમ સંદર્ભ : નિર. ૫ થી ૧૯; આવ.નિ. ૧૨૮૪ની ; આયૂ.ર-પૃ. ૧૭૧, ૧૭૨; ૧૪૯ કલ્પ. ૧; - X = X
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy