SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખવિપાકી કથા પોતાની ઔત્પાતિકી આદિ બુદ્ધિ દ્વારા પરિણામને પ્રાપ્ત કરી વિવિધ પ્રયોગો દ્વારા અંજૂશ્રીના યોનિશૂળને ઉપશાંત કરવા પ્રયત્ન કર્યો. પણ યોનિશૂળ શાંત થયું નહીં. જ્યારે તે વૈદ્ય આદિ અંજૂથ્રીના યોનિશૂળનું શમન કરવામાં નિષ્ફળ ગયા ત્યારે તેઓ ખિન્ન, શ્રાંત અને હતોત્સાહ થઈને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા. ત્યારપછી અંજૂ—દેવી તે યોનિશૂળ વેદનાથી અભિભૂત થઈને શુષ્ક, બુંભૂક્ષિત રહેતી, નિર્માંસ થઈને કષ્ટહેતુક, કરુણોત્પાદક અને દીનતાપૂર્ણ શબ્દોમાં વિલાપ કરતી વિચરવા લાગી. હે ગૌતમ ! આ પ્રકારે રાણી અંજૂશ્રી પોતાના પૂર્વોપાર્જિત પાપકર્મોનું ફળ ઉપભોગ કરતી વિચરી રહી છે. હે ભગવન્ ! અંજૂદેવી મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થશે ? ૦ અંજૂદેવીનું મૃત્યુ અને ભાવિ ગતિ :– હે ગૌતમ ! અંજૂદેવી ૬૦ વર્ષનું આયુ ભોગવી કાળ કરીને રત્નપ્રભા નરક પૃથ્વીમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. શેષ સંસાર ભ્રમણ દેવદત્તા મુજબ જાણવું. ત્યાંની ભવ સ્થિતિને પૂર્ણ કરીને આ સર્વતોભદ્ર નગરમાં મોરરૂપે જન્મ લેશે. ત્યાં મોર શિકારી દ્વારા તેનો વધ થશે. ત્યારપછી સર્વતો ભદ્ર નગરમાં જ કોઈ એક શ્રેષ્ઠીકૂળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાલ્યભાવનો ત્યાગ કરી, યુવાવસ્થાને પ્રાપ્ત કરીને, વિજ્ઞ થઈને, તથારૂપ સ્થવિરો પાસેથી બોધિલાભ પ્રાપ્ત કરશે. ત્યારપછી પ્રવ્રજ્યા અંગીકાર કરી સૌધર્મકલ્પે ઉત્પન્ન થશે. ૧૪૭ હે ભગવન્ ! સૌધર્મકલ્પથી ચ્યવીને તે ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમકૂળમાં જન્મ લેશે – યાવત્ – સિદ્ધ, બુદ્ધ થઈ સર્વે દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ ઠા.મૂ. ૯૬૮ની વૃ; X — x મુનિ દીપરત્નસાગર સંકલિત—અનુવાદિત દુઃખ વિપાકી કથા સમાપ્ત X = x = ―――――― વિવા. ૩, ૩૪;
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy