SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખવિપાકી કથા ઉર્તન કરાવતો. પછી ઉષ્ણ, શીત, સુગંધી જળથી સ્નાન કરાવતો. પછી વિપુલ અશનાદિ ચાર પ્રકારનું ભોજન કરાવતો. કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરાવતો. પરમ શુચિભૂત થઈ ભદ્રાસને બેસતો. ત્યારપછી જ મનુષ્યસંબંધી ઉદાર ભોગો ભોગવતો વિચરતો. કોઈ સમયે મધ્યરાત્રિએ જાગતી દેવદત્તાના હૃદયમાં આ સંકલ્પ ઉત્પન્ન થયો કે, નિશ્ચયથી પુષ્પનંદી રાજા પોતાની માતા શ્રીદેવીને પૂજ્ય બુદ્ધિથી પરમ ભક્તિ કરે છે. પણ આ વિક્ષેપને કારણે હું પુષ્પનંદી રાજા સાથે પર્યાપ્તરૂપે ભોગો ભોગવી શકતી નથી. તેથી મારે શ્રીદેવીને વિષ—મંત્ર કે શસ્ત્ર પ્રયોગથી જીવનથીરહિત કરવી ઉચિત છે. જેથી હું પુષ્પનંદી સાથે ઉદાર—પ્રધાન ભોગોને યથેષ્ટ ભોગવી શકું. ત્યારપછી કોઈ સમયે સ્નાન કરેલી શ્રીદેવી એકાંતમાં શય્યા પર સૂતી હતી. અવકાશ પ્રાપ્ત થતા દેવદત્તા પણ શ્રીદેવી પાસે આવી. પછી દેવદત્તાએ દિશા અવલોકન કર્યું. પછી ભોજનગૃહે આવી. લોદંડ લીધો. લોહદંડ તપાવ્યો, અગ્નિ સમાન દેદીપ્યમાન કર્યો. લાલચોળ બનેલા તે દંડને સંડાસીથી પકડીને શ્રીદેવી પાસે આવીને તેણીની ગુદામાં ઘુસેડી દીધો. શ્રીદેવી અતિ વેદનાથી ચિત્કાર કરતી તત્કાળ મૃત્યુ પામી. ૦ દેવદત્તાના વધનો આદેશ અને ભાવિગતિ : ત્યારપછી શ્રીદેવીની દાસીઓ ભયાનક ચિત્કાર શબ્દો સાંભળી શ્રીદેવી પાસે આવી. ત્યાંથી દેવદત્તાદેવીને નીકળતી જોઈ. શ્રીદેવીને ત્યાં પ્રાણરહિત અને ચેષ્ટારહિત જોઈ. તે દાસીઓ રુદન, આક્રંદન, વિલાપ કરતી પુષ્પનંદી રાજા પાસે આવીને કહ્યું, નિશ્ચયથી હે સ્વામી ! શ્રીદેવીને દેવદત્તાદેવીએ અકાળે જ જીવનરહિત કરેલી છે. ત્યારે પુષ્પનંદી રાજા આ વૃત્તાંત સાંભળી માતૃશોકથી આક્રાંત થઈ કુહાડીથી કાપેલા ચંપકવૃક્ષ સદેશ ધડામથી પૃથ્વી પર પડી ગયો. મુહૂર્ત બાદ રાજા હોશમાં આવ્યો. અનેક રાજા, ઈશ્વર – યાવત્ સાર્થવાહ, મિત્રો – યાવત્ - પરિજનો સાથે રુદન, આક્રંદન, વિલાપ કરતો શ્રીદેવીનો મહાઋદ્ધિ-સત્કાર સાથે નિહરણ કૃત્ય કરે છે. ૧૪૫ ત્યારપછી ક્રોધાવેશથી રુષ્ટ-કુપિત થઈ દેવદત્તાને રાજપુરુષો દ્વારા પકડાવી, પૂર્વોક્ત વિધાનથી ‘આ વધ્યા છે' તેવી આજ્ઞા આપી. આ પ્રકારે નિશ્ચયથી હે ગૌતમ ! દેવદત્તાદેવી પોતાના પૂર્વકૃત્ અશુભ પાપ કર્મોનું ફળ ભોગવી રહી છે. હે ભગવન્ ! દેવદત્તાદેવી મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! દેવદત્તાદેવી ૮૦ વર્ષનું આયુ ભોગવી, મૃત્યુ પામી રત્નપ્રભા નામક નરકમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે. શેષ સંસાર ભ્રમણ મૃગાપુત્રાનુસાર કરતી – યાવત્ - વનસ્પતિ અંતર્ગત્ કટુવૃક્ષાદિમાં લાખો વખત ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી ગંગપુરમાં હંસરૂપે ઉત્પન્ન થશે. ત્યાં શાકુનિકો દ્વારા વધ પામશે. - - પછી તેણી ગંગપુરમાં શ્રેષ્ઠીકુળમાં પુત્રરૂપે જન્મશે. ત્યાં સમ્યકત્વ પ્રાપ્ત કરી સૌધર્મકલ્પે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રે ઉત્પન્ન થઈ, દીક્ષા લઈ – યાવત્ - સિદ્ધિને પ્રાપ્ત કરશે. ૦ આગમ સંદર્ભ :-- ઠા. ૯૬૮ની |૬/૧૦ વિવા. ૩, ૩૩;
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy