SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ આગમ કથાનુયોગ-૬ યુક્ત, અવસર પ્રાપ્ત, ગ્લાધનીય લાગે તથા આ સંયોગ અનુરૂપ લાગે તો દેવદત્તાને યુવરાજ પુષ્પગંદી માટે આપો અને બતાવો કે તે માટે આપને શું ઉપહાર આપીએ ? ત્યારે દત્ત સાર્થવાહે કહ્યું- હે દેવાનુપ્રિયો ! મારે માટે આ જ ઉપહાર છે કે રાજા વૈશ્રમણદત્ત મારી આ પુત્રીને ગ્રહણ કરી મને અનુગૃહીત કરી રહ્યા છે. પછી ગાથાપતિદત્તે તે આત્યંતર પુરુષોનું પુષ્પ, ગંધ, માલા તથા અલંકારાદિથી યથોચિત સત્કાર-સન્માન કરી વિસર્જિત કર્યા. આવ્યંતર પુરુષોએ આવીને વૈશ્રમણ રાજાને બધો વૃત્તાંત કહ્યો. ત્યારપછી કોઈ સમયે દત્ત ગાથાપતિએ શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહુર્ત વિપુલ અશનાદિ સામગ્રી તૈયાર કરાવી, મિત્ર, જ્ઞાતિજન આદિને આમંત્રિત કર્યા સ્નાનાદિથી નિવૃત્ત થઈ, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા. ભદ્રાસને સ્થિત થઈ વિપુલ અશનાદિકનું મિત્ર, જ્ઞાતિજન આદિ સાથે આસ્વાદન, વિસ્વાદન કર્યા પછી ઉચિત સ્થાને બેસી આચમન, ચોલ, શુચિભૂત થઈને મિત્ર, જ્ઞાતિજન આદિનું વિપુલ પુષ્પ, માલા, ગંધ, વસ્ત્ર, અલંકારાદિથી સત્કાર, સન્માન કર્યો. દેવદત્તા પુત્રીને સ્નાન કરાવી – યાવત્ – આભુષણોથી આભૂષિત કરી પુરુષ સહસ્ત્રવાહિનીમાં બેસાડી, ઘણાં જ મિત્ર, જ્ઞાતિજન આદિથી પરિવરીને સર્વ પ્રકારની ઋદ્ધિ અને વાજિંત્ર ધ્વનિ સાથે વૈશ્રમણ રાજાને ત્યાં આવી રાજાને હાથ જોડીને વધાવ્યા. દેવદત્તા કન્યા અર્પણ કરી. ત્યારે વૈશ્રમણ રાજા દેવદત્તા કન્યાને જોઈને અતિ હર્ષિત થયો અને વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિજન આદિને આમંત્રિત કરીને ભોજન કરાવ્યું. તેમનું પુષ્પ, વસ્ત્ર આદિથી સત્કાર-સન્માન કર્યા. ત્યારપછી પુષ્પનંદી અને દેવદત્તાને પાટ પર બેસાડી સોના-ચાંદીના કળશો વડે સ્નાન કરાવ્યું. સુંદર વેશભૂષાથી સુસજ્જિત કર્યા. અગ્રિહોમ કર્યો. પછી પુષ્પનંદીનું દેવદત્તા સાથે પાણિગ્રહણ કરાવ્યું. ત્યારપછી વૈશ્રમણદત્ત રાજાએ પુષ્પગંદી અને દેવદત્તાનું સંપૂર્ણ ઋદ્ધિ – યાવત્ - મહાનું વાદ્યધ્વનિ અને ઋદ્ધિ સમુદાય અને સન્માન સહ વિવાહ રચાવ્યો. ત્યારપછી દેવદત્તાના માતાપિતા તથા તેમની સાથે આવેલ મિત્ર, જ્ઞાતિજન આદિનો પણ વિપુલ અશનાદિ તથા વસ્ત્ર, ગંધ, માલા, અલંકારાદિથી સત્કાર-સન્માન કરીને વિદાય આપી. - રાજકુમાર પુષ્પગંદી શ્રેષ્ઠી કન્યા દેવદત્તાની સાથે ઉત્તમ પ્રાસાદમાં વિવિધ પ્રકારના વાદ્યો અને જ્યાં મૃદંગ આદિ વાગી રહ્યા છે. એવા બત્રીસ પ્રકારના નાટકો દ્વારા ઉપગીયમાન થતા સાનંદ મનુષ્યસંબંધી શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધરૂપ ભોગ ભોગવતા વિચરવા લાગ્યા. ૦ દેવદતા દ્વારા શ્રીદેવીની હત્યા : કોઈ દિવસ વૈશ્રમણ રાજા મૃત્યુ પામ્યો. શોકગ્રસ્ત પુષ્પનંદીએ ઋદ્ધિપૂર્વક તેમનું નિહરણ કર્યું. મૃતક કર્મ કર્યા – યાવત્ – તે રાજા બન્યો. પુષ્પગંદી રાજા પોતાની માતા શ્રીદેવીનો પરમ ભક્ત હતો. પ્રતિદિન માતા શ્રીદેવીના ચરણોમાં પ્રણામ કરીને શતપાક સહસ્ત્રપાક તેલ વડે માલિશ કરાવતો હતો. અસ્થિ, માંસ, ત્વચાને સુખપ્રદ અંગમર્દનથી સુખશાંતિ પામતો હતો. સુગંધિત ગંધવર્તકથી
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy