SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખવિપાકી કથા ૧૪૧ – યાવત્ - અસ્થિપિંજર થઈ ગયો. તે દુઃખપૂર્વક સમય વિતાવતો હતો. હે ગૌતમ ! તે શૌરિકદર પોતાના જ પૂર્વવત્ અશુભ કર્મોનું ફળ ભોગવી રહ્યો છે. હે ભગવન્! તે શૌરિકદત્ત મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! ૭૦ વર્ષનું પરમ આયુ ભોગવી મૃત્યુ પામી રત્નપ્રભા નરકે ઉત્પન્ન થશે – યાવત્ – મૃગાપુત્ર માફક સંસારભ્રમણ કરશે. ત્યાંથી નીકળી હસ્તિનાપુરે મત્સ્ય થશે. માછીમારો તેનો વધ કરશે. ત્યાંથી હસ્તિનાપુરમાં શ્રેષ્ઠીકુળે જન્મ લઈ સમ્યકત્વ પ્રાપ્ત કરશે. મરીને સૌધર્મકલ્પ દેવ થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, ચારિત્ર લઈ, સમ્યક્ આરાધનાથી સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઠામૂ. ૯૬૮ની . વિવા. ૩, ૩૨; ૦ દેવદત્તાની કથા : તે કાળે, તે સમયે રોહિતક નગર હતું. ત્યાં પૃથ્વી અવતંસક નામક ઉદ્યાન હતું. તેમાં ધારણ યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં રાજા વૈશ્રમણ દથ હતો, તેને શ્રીદેવી નામે રાણી હતી. પુષ્પગંદી યુવરાજ હતો. તે રોહીતક નગરે દત્ત ગાથાપતિ હતો. જે ધની યાવત્ સંમાનનીય હતો. તેને કૃષ્ણશ્રી ભાર્યા હતી. તે દંપતિને દેવદત્તા નામે પુત્રી હતી. જે અન્યૂન, પૂર્ણ પંચેન્દ્રિય, સુંદર શરીરથી યુક્ત હતી. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા – યાવત્ – તેમની ધર્મદેશના સાંભળી રાજા અને પર્ષદા પાછા ગયા. ૦ ગૌતમ સ્વામી દ્વારા વધ્યસ્ત્રીનું દર્શન : તે કાળે, તે સમયે ભગવંતના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમસ્વામી ભિક્ષાર્થે નગરમાં ગયા. ત્યાં ઘણાં હાથી, ઘોડા, પુરષોને જોયા. તેમની મધ્યે અવકોટક બંધન બદ્ધ, નાક–કાન કપાયેલી – યાવત્ – શૂળીએ ચડાવાનારી એક સ્ત્રી તે જોઈને વિચાર આવ્યો કે આ સ્ત્રી નરકતુલ્ય વેદના ભોગવી રહી છે – યાવત્ – ભગવંત મહાવીર પાસે આવ્યા અને નિવેદન કર્યું કે, હે ભગવન્! આ સ્ત્રી પૂર્વભવે કોણ હતી ? ૦ દેવદત્તાનો પૂર્વભવ : હે ગૌતમ ! તે કાળે, તે સમયે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠ નામે દ્ધ, તિમિત, સમૃદ્ધ નગર હતું. ત્યાં મહાસેન રાજા હતો. તેને ધારિણી આદિ ૧૦૦૦ રાણીઓ હતી. તેઓને સિંહસેન નામનો રાજકુમાર હતો – યાવત્ – કોઈ સમયે સિંહસેનકુમારને માટે ૫૦૦ સુવિશાલ પ્રાસાદાવતંસક બનાવાયા. પછી શ્યામા આદિ ૫૦૦ સુંદર રાજકન્યાઓ સાથે એક જ દિવસે તેનો વિવાહ કરાયો. ૫૦૦-૫૦૦ વસ્તુઓ પ્રીતિદાનમાં આપી. સિંહસેન યુવરાજ શ્યામા આદિ તે પ૦૦ રાજકન્યાઓ સાથે પ્રાસાદોમાં રમણ કરતા સાનંદ વિચારવા લાગ્યો. કોઈ સમયે રાજા મહાસેન મૃત્યુ પામ્યો. સિંહસેને નિકરણ ક્રિયા કરી. પછી તે રાજા થયો. પછી સિંહસેન રાજા શ્યામાદેવીમાં મૂર્ણિત, ગૃદ્ધ,
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy