SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૬ ગ્રથિત અને અધ્યુપપન્ન થઈને અન્ય દેવીઓનો આદર ન કરતો. તેમનું ધ્યાન રાખતો ન હતો. પણ તેમનો અનાદર અને વિસ્મરણ કરતો સમય વ્યતીત કરતો હતો. ૧૪૨ ત્યારપછી એક સિવાયની ૫૦૦ દેવીઓની ૪૯૯ માતાઓને જ્યારે આ ખબર પડી કે રાજા સિંહસેન શ્યામાદેવીમાં મૂર્છિત, ગૃદ્ધ, ગ્રથિત અને અધ્યુપપન્ન થઈને અમારી કન્યાનો આદર કરતો નથી. ત્યારે તેઓએ નિશ્ચય કર્યો કે અમારે શ્યામાદેવીને અગ્નિ, વિષ, શસ્ત્રપ્રયોગથી જીવન રહિત કરી નાંખીએ. આવો વિચાર કરી સમય વિતાવવા લાગી. આ તરફ શ્યામાદેવીને આ ષડ્યુંત્રની ખબર પડી. ત્યારે તેણીએ વિચાર્યું કે, મારી ૪૯૯ સપત્નીઓની માતાઓ મારા જીવનનો અંત કરી દેવાનો અવસર શોધે છે. ન જાણે તેઓ મને કેવા કમોતે મારશે ? તે શ્યામા ભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન અને ભયભીત થઈને કોપભવને આવીને માનસિક સંકલ્પોથી નિરાશ થઈ આર્તધ્યાન કરવા લાગી. ત્યારે સિંહસેન રાજા આ વૃત્તાંત જાણીને કોપભવને ગયો. શ્યામાદેવી પાસે આવ્યો. નિરાશ, ચિંતિત, નિસ્તેજ શ્યામાદેવીને જોઈને કહ્યું, હે દેવાનુપ્રિયે ! તું કેમ અપહત મનઃસંકલ્પા થઈને આર્દ્રધ્યાન કરે છે ? સિંહસેન રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે દૂધના ઉભરા સમાન તે ક્રુદ્ધ થઈને બોલી, તે હે સ્વામી ! મારી ૪૯૯ સપત્નીઓની માતાઓ - યાવત્ – મને જીવિતથી રહિત કરવા માટેનો અવસર જોઈ રહી છે. ન જાણે મને કયા કમોતે તેઓ મારશે ? આ કારણે ભયાક્રાન્ત થઈને હું કોપભવનમાં આર્તધ્યાન કરી રહી છું. ત્યારે સિંહસેન રાજાએ શ્યામાદેવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! તું આ રીતે અપહત મનવાળી થઈને આર્તધ્યાન ન કર. નિશ્ચયથી હું એવો ઉપાય કરીશ કે તારા શરીરને ક્યાંયથી કોઈ પ્રકારે આબાધા કે પ્રબાધા થશે નહીં. આ પ્રમાણે શ્યામાદેવીને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર વચનોથી આશ્વાસન આપી ત્યાંથી નીકળી ગયો. પછી તેણે કૌટુંબિક પુરુષોને કહ્યું કે, તમે લોકો જઈને નગરની બહાર પશ્ચિમ દિશામાં એક મોટી કૂટાગારશાળા બનાવો, જે સેંકડો સ્તંભોથી યુક્ત હોય, પ્રાસાદીય, અભિરૂપ, પ્રતિરૂપ, દર્શનીય હોય. તે કૌટુંબિક પુરુષોએ સિંહસેન રાજાની આજ્ઞા – યાવત્ • શિરોધાર્ય કરી યાવત્ – વિશાળ કૂટાગારશાળા બનાવી રાજાને જણાવ્યું. ત્યારપછી સિંહસેન રાજા કોઈ સમયે ૪૯૯ રાણીઓ અને તેની ૪૯૯ માતાઓને આમંત્રિત કરી. ત્યારે ૪૯૯ રાણીઓ તથા પ્રત્યેકની માતા સર્વ પ્રકારે વસ્રો અને આભુષણોથી સુસજ્જિત થઈ પોતપોતાના વૈભવ અનુસાર સુપ્રતિષ્ઠ નગરમાં સિંહસેન રાજા પાસે આવી. સિંહસેન રાજાએ પણ તે ૪૯૯ રાણીઓ અને તે પ્રત્યેકની માતાને કૂટાગાર શાળામાં નિવાસ માટે સ્થાન આપ્યું. ત્યારપછી સિંહસેન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ અશનાદિ તથા અનેકવિધ પુષ્પો, વસ્ત્રો, ગંધો, માળાઓ, અલંકારો લઈને કૂટાગાર શાળામાં પહોંચાડો. કૌટુંબિક પુરુષોએ રાજાજ્ઞા મુજબ સામગ્રી પહોંચાડી. ત્યારપછી સર્વાલંકારોથીત વિભૂષિત તે ૪૯૯ રાણીઓ અને પ્રત્યેકની માતાઓએ તે વિપુલ અશનાદિક અને સુરા આદિનું આસ્વાદન કર્યું અને ગાંધર્વ તથા નાટક—નર્તકોથી
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy