SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૬ ત્યારે આવા કર્મોને કરતો, તેમાં પ્રધાનતા રાખતો, તેનું વિજ્ઞાન જાણતો, આવા પાપોનું સર્વોત્તમ આચરણ કરતો તે શ્રીયક રસોઈયો અત્યધિક પાપકર્મોનું ઉપાર્જન કરી ૩૩૦૦ વર્ષનું પરમ આયુ ભોગવીને મૃત્યુ પામીને છટ્ઠી નરકે ઉત્પન્ન થયો. ૦ શૌર્યદત્તનો ભવ : ૧૪૦ તે સમયે, તે સમુદ્રદત્તા પત્ની મૃતવત્સા હતી. તેના બાળકો જન્મતાં જ મૃત્યુ પામતા હતા. તેણીએ ગંગદત્તાની માફક જ વિચાર કર્યો. પતિની આજ્ઞા લઈ માનતા માની. ગર્ભવતી થઈ. દોહદ પૂર્ણ કર્યા. સમુદ્રદત્તાએ પુત્રને જન્મ આપ્યો. શૌરિક યક્ષની માનતાથી જન્મેલ હોવાથી શૌર્યદત્ત (શૌરિકદત્ત) નામ રાખ્યું યાવત્ તે યુવાન થયો. કોઈ સમયે સમુદ્રદત્ત મૃત્યુ પામ્યો. શૌરિકદત્ત બાળકે અનેક મિત્ર, જ્ઞાતિ, સ્વજન આદિ સાથે સમુદ્રદત્તનું નિહરણ કર્યું. મૃતક ક્રિયા કરી. પછી કોઈ સમયે તે સ્વયં માછીમારોનો મુખી બની ગયો. ત્યારપછી તે મહાઅધર્મી – યાવત્ – દુષ્પ્રત્યાનંદ બન્યો. ત્યારે શૌરિકદત્ત માછીમાર પૈસા અને ભોજનાદિ વેતનથી કામ કરનારા અનેક વેતનભોગી પુરુષ રાખ્યા. જે નાની હોડીઓ દ્વારા યમુના મહાનદીમાં પ્રવેશ કરતા. દ્રહોનું ગલન, મલન, મન, મન્થન, વહન, પ્રવહનથી તેમજ પ્રપંચુલ, પ્રપંપુલ, મત્સ્યપુચ્છ, જંભા, ત્રિસરા, ભિસરા, વિસરા, દ્વિસરા, હિલિરિ, ઝિલ્લિરિ, લક્ષિરિ, જાલ, ગલ, ફૂટપાશ, વલ્કબંધ, સૂત્ર બંધ અને બાલબંધ સાધનો દ્વારા કોમળ મત્સ્યો યાવત્ પતાકાતિપતાક મત્સ્ય વિશેષને પકડીને તેનાથી નૌકાઓ ભરતા. નદીના કિનારે લાવતા, બહાર એક સ્થળે ઢગલા કરતા હતાં. ત્યારપછી તેને ત્યાં ધૂપમાં સૂકવતા. એ જ રીતે અન્ય વેતનભોગી પુરુષો ધૂપમાં સૂકાયેલ તે મત્સ્યોના માંસોને શૂલથી પકવતા, તળતા, સેકતા તથા તેને રાજમાર્ગે વિક્રયાર્થે રાખીને આજીવિકા કરતા સમય વ્યતીત કરતા હતા. શૌરિકદત્ત પોતે પણ તે મત્સ્યમાંસોની સાથે વિવિધ સુરા આદિનું સેવન કરતો વિચરતો હતો. ૦ શૌરિકદત્ત (શૌર્યદત્ત)નું મૃત્યુ અને ગતિ : ત્યારે કોઈ સમયે શૂલપક્વ, તળેલ, સેકેલ મત્સ્ય માંસનો આહાર કરતી વખતે તે શૌરિકદત્તના ગળામાં માછલીનો કાંટો ફંસાઈ ગયો. તે` કારણે તે ઘણી અસાધ્ય વેદના અનુભવવા લાગ્યો. અતિ દુઃખી શૌરિકે પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું કે, શૌરિકપુર નગરમાં જઈને ઉચ્ચ સ્વરે ધોષણા કરો કે, શૌરિકત્તના ગળામાં મત્સ્યકંટક ફસાઈ ગયો છે. કોઈ વૈદ્ય, વૈદ્યપુત્ર, જાણકાર, જાણકારપુત્ર, ચિકિત્સક કે ચિકિત્સકપુત્ર તે મત્સ્યકંટકને કાઢી દેશે તો શૌરિકદત્ત તેને વિપુલ ધન આપશે. - - - ત્યારપછી ઘણાં જ વૈદ્ય – યાવત્ – ચિકિત્સકપુત્રો ત્યાં આવ્યા. તેમણે ઘણી જ ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી તથા પારિણામિકી બુદ્ધિથી સમ્યક્ પરિણમન કરતા વમન, છર્દન, અવપીડન, કવલગ્રાહ, શલ્યોદ્ધાર, વિશલ્યકરણાદિ ઉપચારોથી શૌરિકદત્તના ગળાનો કાંટો કાઢવા અને પરુ બંધ કરવા ઘણાં પ્રયત્નો કર્યા, પણ તેમાં તેઓ સફળ ન થયા. ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત થઈને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. આ રીતે વૈદ્યો નિષ્ફળ ગયા પછી તે શૌરિકદત્ત ઘણી જ વેદના ભોગવતો સૂકાઈને
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy