SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આગમ કથાનુયોગ-૬ જ્યારે સૂર્યોદય થયો ત્યારે સાગરદત્ત સાર્થવાહ પાસે આવીને કહ્યું કે, હે સ્વામી! તે માતાઓ ધન્ય છે – યાવત્ – ઉક્ત પ્રકારે પોતાનો દોહદ પૂર્ણ કરે છે. હું પણ મારો દોહદ પૂર્ણ કરવા ઇચ્છું છું. સાગરદત્ત સાર્થવાહે ગંગદત્તાને તે વાતમાં અનુમતિ આપી. ત્યારપછી ગંગદત્તા પર્યાપ્ત માત્રામાં અશનાદિ આહાર તૈયાર કરાવી, મદિરાદિ પદાર્થ અને ઘણી જ પુષ્પાદિ પૂજા સામગ્રી લઈને મિત્ર, જ્ઞાતિજન આદિની મહિલા સાથે નીકળી – યાવત્ – સ્નાનાદિ કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરી ઊંબરદત્ત યક્ષના આયતને આવી. ત્યાં પ્રથમની માફક પૂજાદિ કર્યા. પછી પુષ્કરિણીએ ગઈ. મિત્ર આદિ મહિલાઓએ ગંગદત્તાને સર્વાલંકારોથી વિભૂષિત કરી. પછી તે સર્વેની સાથે – યાવતું - ગંગદત્તાએ પોતાનો દોહદ પૂર્ણ કર્યો. પછી સંપૂર્ણ, સંમાનિત, વિનિત દોહદવાળી તે ગર્ભને વહન કરવા લાગી. ત્યારપછી નવ માસ પૂર્ણ થતાં ગંગદત્તાએ એક બાળકને જન્મ આપ્યો. સ્થિતિપતિતા મનાવી. તે બાળક ઊંબરદત્ત યક્ષની માનતા માનવાથી થયો હોવાથી તેનું ઉંબરદત્ત નામ રાખ્યું. તે બાળક પાંચ ધાવમાતાઓ દ્વારા ઉછેરાવા લાગ્યો. કોઈ દિવસ સાગરદન સાર્થવાહ વિજયમિત્રની માફક મૃત્યુ પામ્યો. ગંગદત્તા પણ મૃત્યુ પામી. આ તરફ ઉઝિતકની માફક રાજપુરુષોએ ઊંબરદત્તને ઘેરથી કાઢી મૂક્યો. • ઊંબરદત્તને રોગાતંક અને ભાવિ ગતિ : ત્યારપછી કોઈ સમયે ઊંબરદત્તના શરીરમાં એક સાથે સોળ રોગો ઉત્પન્ન થયા. જેવા કે શ્વાસ, કાસ – યાવત્ – કોઢ. આ સોળ રોગોથી અભિભૂત થયેલો ઊંબરદત્ત ખુજલી – યાવત્ – હાથ આદિના સડી જવાથી દુઃખપૂર્ણ જીવન વિતાવવા લાગ્યો. હે ગૌતમ ! આ રીતે તે પૂર્વકૃત્ અશુભકર્મોનું ફળ ભોગવી રહ્યો છે. હે ભગવન્! આ ઉબરદત્ત બાળક મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! ઉંબરદત્ત ૭૨ વર્ષનું પરમ આયુ ભોગવી, મૃત્યુ પામી, રત્નપ્રભા નરકે નારકરૂપે ઉત્પન્ન થશે. ત્યાં મૃગાપુત્રની જેમ સંસાર ભ્રમણ કરશે. ત્યાંથી નીકળી હસ્તિનાપુરમાં કુકડારૂપે ઉત્પન્ન થશે. ત્યાં જન્મતાં જ ગોષ્ઠિકો દ્વારા તેની હત્યા થશે. પુનઃ હસ્તિનાપુરમાં જ એક શ્રેષ્ઠિકૂળમાં ઉત્પન્ન થશે. ત્યાં તે સમ્યકત્વ પ્રાપ્ત કરશે. ત્યાંથી સૌધર્મકલ્પ ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં અણગાર ધર્મ પ્રાપ્ત કરી યથાવિધિ સંયમની આરાધના કરી, કર્મક્ષય કરીને સિદ્ધ થશે. ૦ આગમ સંદર્ભ :ઠામૂ. ૬૮ની વૃ; વિવાદ ૩, ૩૧; ૦ શૌર્યદત્તની કથા - તે કાળે, તે સમયે શૌરિકપુર નામક નગર હતું. ત્યાં શૌરિકાવતંસક નામક ઉદ્યાન હતું. શૌરિકયણનું આયતન હતું. શૌરિકદર રાજા હતો. તે નગરની બહાર ઇશાનખૂણામાં માછીમારોનો વાડો હતો. ત્યાં સમુદ્રદત્ત નામક મચ્છીમાર હતો. તે મહાઅધર્મી – યાવત્ – દુષ્પત્યાનંદ હતો. તેની સમુદ્રદત્તા નામની અન્યૂન અને પૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળી પત્ની
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy