SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખવિપાકી કથા ૧૩૭ ઉપાર્જીને ૩૨૦૦ વર્ષનું આયુ ભોગવીને મૃત્યુ પામીને છઠી નરકે ૨૨–સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થયો. ૦ ઊંબરદત્તનો જન્મ : તે સમયે સાગરદત્તની પત્ની ગંગદત્તા જાતનિંદુકા હતી. તેના બાળકો જન્મતાં જ મૃત્યુ પામતા હતા. કોઈ મધ્યરાત્રિએ તેણીને થયું કે, હું દીર્ધકાળથી સાગરદત્ત સાર્થવાહ સાથે મનુષ્યસંબંધી ઉદાર વિપુલ કામભોગોને ભોગવી રહી છું. પણ આજ સુધી મેં કોઈ જીવિત રહેનાર પુત્ર કે પુત્રીને જન્મ દેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું નથી. તે માતાઓ ધન્ય છે, કૃતપુણ્ય છે, તેમનો જન્મ અને જીવન બંને સફળ છે. જેના સ્તનોના દૂધમાં લુબ્ધ, મધુર ભાષણથી યુક્ત, વ્યક્ત તથા તોતળાતા વચનવાળા, સ્તનના મૂળથી કાંખ સુધી સરકતા, સુકુમાર હાથથી પકડીને ગોદમાં સ્થાપિત કરાયેલા તેઓ પુનઃ પુનઃ સુમધુર કોમળ મંજુલ વચનો બોલનારા, પોતાની જ કુક્ષિથી ઉત્પન્ન બાળક કે બાલિકા છે તે માતાઓને ધન્ય છે. હું અધન્યા, પુણ્યહીન છું. કેમકે મને એક પણ સંતાન પ્રાપ્ત થયું નથી. હવે મારે માટે એ શ્રેયસ્કર છે કે હું સવારે સૂર્યોદય થતા સાગરદત્ત સાર્થવાહને પૂછીને વિવિધ પ્રકારના પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર લઈને અનેક જ્ઞાતિજનો, મિત્રો – યાવત્ – સંબંધી સ્ત્રીઓ સાથે પાટલિખંડ નગર બહાર ઉદ્યાનમાં ઊંબરદત્ત ચક્ષના આયતને જઈને યક્ષની મહાઈ પુષ્પાર્ચના કરીને તેમના ચરણમાં નતમસ્તક થઈને પ્રાર્થના કરું કે હે દેવાનુપ્રિય ! જો હું હવે જીવિત રહેનાર બાળકને જન્મ આપીશ તો તમારો યાગ, ભાગ, દેવભંડારાદિમાં વૃદ્ધિ કરીશ. આ પ્રમાણે તેણીએ સંકલ્પ કર્યો. સવારે સાગરદત્ત સાર્થવાહ પાસ આવી. “પૂર્વોક્ત” વાત કહી – યાવત્ – હું ઉબરદત્ત યક્ષની માનતા માનું. સાગરદત્તે ગંગદત્તાના ઉક્ત પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. ત્યારપછી ગંગદત્તા વિવિધ પ્રકારના પુષ્પ, વસ્ત્ર, ગંધ આદિ પૂજા સામગ્રી લઈને મિત્ર, જ્ઞાતિજન આદિ મહિલા સાથે નીકળી. નગરની મધ્યે પુષ્કરિણી સમીપે પહોંચી. તેમાં પ્રવેશી જલમજ્જન, જલક્રીડા કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા. ભીની સાડી પહેરી, પુષ્કરિણીથી બહાર આવી. પુષ્પાદિ સામગ્રી લઈ ઊંબરદત્ત યક્ષના આયતને પહોંચી. યક્ષને નમસ્કાર કર્યા. મોરપીંછી વડે યક્ષપ્રતિમાનું પ્રમાર્જન કર્યું. જળથી અભિષેક કર્યો. કષાયરંગી, સુગંધિત વસ્ત્રથી પ્રતિમા લુંછી શ્વેત વસ્ત્રો પહેરાવ્યા. મહાઈ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલ્ય, ચૂર્ણનું આરોપણ કર્યું. ધૂપ ઉવેખ્યો. યક્ષને પગે પડીને પૂર્વોક્ત પ્રાર્થના કરી, પાછી ફરી. ત્યારપછી પેલો ધનવંતરી વૈદ્યનો જીવ નરકથી નીકળી પાટલિખંડ નગરમાં ગંગદત્તા ભાર્યાની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્રણ માસ પૂર્ણ થયા બાદ ગંગદત્તાને આવો દોહદ થયો કે, તે માતાઓ ધન્ય છે – યાવત્ – તેમનું જીવન સફળ છે. જે વિપુલ અશનાદિ અને મદિરા તૈયાર કરાવી અનેક મિત્ર આદિ મહિલાથી પરિવરીને પાટલિખંડ નગરની પુષ્કરિણીએ જાય છે. ત્યાં સ્નાનાદિથી નિવૃત્ત થઈને જ્ઞાતિજન આદિની મહિલાઓ સાથે આસ્વાદનાદિ કરતી દોહદ પૂર્ણ કરે છે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy