SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ આગમ કથાનુયોગ-૬ કૃમિનું વમન કરી રહ્યો હતો. તે પુરુષ કષ્ટોત્પાદક, કરુણાજનક અને દીનતાપૂર્ણ શબ્દ કરી રહેલો. તેની પાછળ માખીના ઝુંડ ભમી રહ્યા હતા. તેના વાળ અસ્તવ્યસ્ત હતા. થીગડાવાળા વસ્ત્ર તેણે પહેરેલા તેનું ભિક્ષાપાત્ર માત્ર ફૂટલો ઘડો હતો. શકોરાના ટુકડો તેનું જલપાત્ર હતું. એના દ્વારા તે ભિક્ષાવૃત્તિ કરતો હતો. ગૌતમસ્વામી ઉચ્ચ, નીચ, મધ્યમ ધરોમાં ભિક્ષાર્થે ભ્રમણ કરતા પાટલિખંડ નગરથી નીકળી શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. ભક્તપાનની આલોચના કરી, ભગવંતને દેખાડી, તેમની આજ્ઞાથી નિર્લેપ ભાવે આહાર કરી સંયમ અને તપથી પોતાની આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી ગૌતમસ્વામી બીજી વખત ભિક્ષાર્થે નીકળ્યા. પાટલિખંડનગરની દક્ષિણ દિશાએથી પ્રવેશ્યા. તેણે ત્યાં રોગ વ્યાપ્ત પૂર્વ પુરુષને જોયો. ભિક્ષા લઈ પાછા આવ્યા. ત્યારપછી ત્રીજી વખત છઠના પારણા નિમિત્તે તે જ નગરમાં પશ્ચિમ દિશાના કારેથી પ્રવેશ્યા, ત્યાં તેમણે પૂર્વવર્ણિત પુરુષને જોયો. આ જ પ્રમાણે ગૌતમસ્વામી ચોથી વખત ભિક્ષાર્થે ઉત્તર દિશાથી તે જ નગરમાં પ્રવેશ્યા. ત્યારે પણ તે જ પુરુષને જોયું. તે જોઈને તેમના મનમાં આવો સંકલ્પ થયો કે, અહો ! આ પુરષ પૂર્વકૃત્ અશુભ કર્મોના કટુ વિપાકને ભોગવતો દુઃખપૂર્ણ જીવન વીતાવે છે. – યાવત્ – પાછા ફરીને, આવીને ભગવંતને કહ્યું હે ભગવન્! હું છઠના પારણા નિમિત્તે પાટલિખંડ નગરમાં ગયો. પૂર્વ દિશાએથી પ્રવેશ કર્યો. મેં એક રોગી પુરુષને જોયો. ઇત્યાદિ સર્વ વર્ણન કર્યું. તો હે ભગવન્! આ પુરુષ પૂર્વભવમાં કોણ હતો ? જે આવું રોગાક્રાંત કષ્ટપૂર્ણ જીવન વિતાવી રહ્યો છે. હે ગૌતમ! તે કાળે, તે સમયે આ જંબૂઢીપના ભારતવર્ષમાં વિજયપુર નામે શ્રદ્ધ, સ્વિમિત, સમૃદ્ધ નગર હતું. ત્યાં કનકરથ રાજા હતો. તેને ધવંતરી નામે વૈદ્ય હતો. જે આયુર્વેદના આઠ અંગોનો જ્ઞાતા હતો. તે વૈદ્ય શિવહસ્ત–શુભહસ્ત અને લઘુહસ્ત હતો. તે ધવંતરી વૈદ્ય વિજયપુર નગરના રાજા કનકરથના અંતઃપુર નિવાસી રાણીઓ તથા બીજા ઘણાં જ રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહો તથા બીજા પણ ઘણાં દુર્બળ, ગ્લાન, રોગી, વ્યાધિત, રુણ લોકોનો તથા સનાથો, અનાથો, શ્રમણો, બ્રાહ્મણો, ભિક્ષુકો, કાપાલિક, કાપેટિક અને આતુરોની ચિકિત્સા કરતો હતો. તેઓને તે મત્સ્ય, કાંચબા, ગ્રાહ, મગર, સુંસુમાર, બકરા, ભેડ, ગવય, શૂકર, મૃગ, શસક, ગાય, ભેંસ, તિતર, બટર, લાવક, કબૂતર, કુકડા, મોર આદિ તથા બીજા પણ અનેક જલચર, સ્થલચર તથા ખેચરો આદિના માંસને ખાવાનો ઉપદેશ આપતો હતો. તદુપરાંત તે ધવંતરી વૈદ્ય પોતે પણ અનેકવિધ મત્સ્ય આદિમાં માંસ તથા બીજા અનેક જલચરાદિ જીવોનું માંસ તથા મત્સ્ય, મયૂર આદિના રસમાં પકાવેલ, તળેલ, ભુજેલ માંસની સાથે પાંચ પ્રકારની મદિરાઓનું આસ્વાદન, વિસ્વાદન, પરિભાજન, પરિભોગ કરતો સમય વ્યતીત કરતો હતો. ત્યારે તે ધનવંતરી વૈદ્ય આવા પાપકર્મ વિજ્ઞાન, આચરણ પૂર્વક અત્યધિક પાપકર્મો
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy