SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખવિપાકી કથા ૧૩૫ તેમની ગરદનમાં અસ્તરો ઘુસેડી દે, તો હું તને અડધું રાજ્ય આપું. પછી તું પણ અમારી સાથે ઉદાર–પ્રધાન કામભોગોનો ઉપભોગ કરતો સાનંદ સમય વ્યતીત કરી શકીશ. ચિત્રવાણંદ નંદિષણના ઉક્ત કથનનો સ્વીકાર કર્યો. ૦ નંદિવર્ધનની હત્યા અને ભાવિ ગતિ : પછી ચિત્ર વાણંદને આવો વિચાર આવ્યો કે કોઈ પ્રકારે શ્રીદામ રાજાને આ જયંત્રની ખબર પડી જશે તો ન જાણે મને કેવા કમોતે મારશે. તેથી ભયભીત થઈ એકાંતમાં શ્રીદામ રાજાની પાસે આવી, બે હાથ જોડી, અંજલિ કરી કહ્યું કે, હે સ્વામી ! નંદિષેણ (નંદિવર્ધન) કુમાર રાજ્યમાં આસક્ત – યાવત્ – અધ્યાપન્ન થઈને આપનો વધ કરી સ્વયં રાજ્યલમી ભોગવવા ઇચ્છે છે. ત્યારે શ્રીદામ રાજાએ અત્યંત ક્રોધિત થઈ નંદિષણકુમારને પકડાવી દઈ પૂર્વોક્ત વિધાનથી હત્યા કરવા આજ્ઞા આપી. હે ગૌતમ ! આ રીતે તે પૂર્વકૃતુ પાપકર્મોનું ફળ ભોગવી રહ્યો છે. હે ભગવન્! તે મૃત્યુ પામીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! નંદિષેણકુમાર ૬૦ વર્ષનું આયુ ભોગવી મરીને આ રત્નપ્રભા નામક નરકમાં ઉત્પન્ન થશે. શેષ સંસારભ્રમણ મૃગાપુત્ર માફક જાણવું. પૃથ્વીકાયમાંથી નીકળીને તે હસ્તિનાપુર નગરમાં મત્સ્યરૂપે ઉત્પન્ન થશે. ત્યાં માછીમારો તેની હત્યા કરશે. પછી હસ્તિનાપુરનાં એક શ્રેષ્ઠીકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, પ્રવ્રજિત થશે. યથાવિધિ પાલન કરી મુક્તિ પામશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ ઠા. ૯૬૮ની વૃ; વિવા. ૩, ૨૯, ૩૦; —- X - X ૦ ઉંબરદત્તની કથા - તે કાળે, તે સમયે પાટલિખંડ નગર હતું ત્યાં વનખંડ ઉદ્યાન હતું. ત્યાં ઉબરદત્ત યક્ષનું ચક્ષાયતન હતું. તે નગરમાં સિદ્ધાર્થ રાજા હતો. તે જ નગરમાં સાગરદત્ત નામે ધનાઢ્ય સાર્થવાહ હતો. તેની ગંગદત્તા નામે પત્ની હતી. તે દંપતિને ઊંબરદત્ત નામે અન્યન અને પરિપૂર્ણ પંચેન્દ્રિયોથી યુક્ત સુંદર શરીરવાળો એક પુત્ર હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્યાં પધાર્યા – યાવત્ – ધર્મોપદેશ સાંભળીને રાજા તથા પર્ષદા પાછા ફર્યા. ૦ ગૌતમસ્વામીને રોગી પુરુષનું દર્શન – તે કાળે, તે સમયે ગૌતમસ્વામી પારણા નિમિત્તે ભિક્ષાર્થે નગરમાં પૂર્વ દિશાથી પ્રવેશ્યા. ત્યાં એક પુરુષને જોયો. તે પુરુષ કંઠુ, કોઢ, જલોદર, ભગંદર, અ8ના રોગથી ગ્રસ્ત હતો. તેને ખાંસી–શ્વાસ પણ હતા. તેના હાથ, પગ, મુખ સૂઝી ગયા હતા. હાથપગની આંગળીઓ સડી ગયેલી. નાક અને કાન ગળી ગયેલા ઘામાંથી પરુ આદિ ખદબદી રહ્યા હતા. કૃમિઓથી અત્યંત પીડિત તથા પડતા એવા પરુ આદિથી તેના ઘા ભરેલા હતા. તેના કાન અને નાક ગુમડાના રસી આદિ વહેવાથી ગળી ગયેલા. વારંવાર તે લોહી, પરુ,
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy