SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ આગમ કથાનુયોગ-૬ ઢગ રહેતા. તેની પાસે અનેક પ્રકારના શસ્ત્ર, પિપ્પલ, કુહાડા, નખોદનક, ડાભના અગ્રભાગ જેવા તીક્ષ્ણ હથિયારોના ઢગ રહેતા હતા. ત્યારે તે દુર્યોધન ચારકપાલ સિંહરથ રાજાના અનેક ચોર, પરસ્ત્રી લંપટ, ગ્રંથિભેદક, રાજાના અપકારી, ઋણધારકો, બાલઘાતકો, વિશ્વાસઘાતીઓ, જુગારી, ધૂર્ત પુરુષોથી પકડાવી ઊંધા માથે લટકાવતો, પછી લોહદંડ વડે મુખ ખોલતો, ખોલીને કોઈને તમ તામ્ર, તો કોઈને રાંગા, સીસા, ચૂર્ણ મિશ્રિત જળ, કલકલ કરતું ઉષ્ણ જળ, ક્ષારયુક્ત તેલ પીવડાવતો હતો. તથા કેટલાંકનો આ બધાંથી અભિષેક કરતો હતો. કેટલાંકને ઊંધે માથે લટકાવીને તેમને અશ્વમૂત્ર, હસ્તિમૂત્ર – યાવત્ – ભેડમૂત્રા પીવડાવતો હતો. કેટલાંકને અધોમુખ કરી વમન કરાવતો અને એ રીતે પીડતો, કોઈને હાથકડી, બેડી, હડિબંધન, નિગડબંધનોથી બાંધતો હતો. કેટલાંકના શરીર સંકોડતોમરોડતો, કોઈને સાંકડથી બાંધતો હતો. કેટલાંકના હસ્તછેદન – યાવત્ – શસ્ત્રોથી ચીરતો, કોઈને વેણુલતા આદિથી મરાવતો. કેટલાંકને ઉર્ધ્વમુખ પછાડી તેની છાતી પર શિલા અને લાકડા રાખી ઉત્કંપન કરાવતો, જેનાથી તે લોકોના હાડકા ટૂટી જતા હતા. કેટલાંકને ચર્મ કે સૂત્રરજુથી હાથપગ બંધાવતો, કૂવામાં ઉલટો લટકાવતો, ગોથા ખવડાવતો, કેટલાંકને અસિપત્રો – યાવત્ - કલંબચીરપત્રોથી છેદન કરતો અને તેના પર સારમિશ્રિત તેલથી મર્દન કરાવતો. કેટલાંકના મસ્તક, કંઠમણિ, ઘુંટી, કોણી, જાનુ તથા ચૂંટણીમાં લોઢાના ખીલા તથા વાંસની શલાકા ઠોકાવતો તથા વિંછીના કાંટાનો શરીરમાં પ્રવેશ કરાવતો. કેટલાંકના હાથ કે પગની આંગળીઓમાં મુગરો દ્વારા સોય વગેરેનો પ્રવેશ કરાવી ભૂમિમાં ખોદાવતો, કેટલાંકને શસ્ત્રો તથા નખછેદનીથી અંગો છોલાવતો અને દર્ભ, કુશ તથા આર્ટચર્મ બંધાવતો. પછી ધૂપમાં સૂવડાવી તેના સૂકાયા બાદ ચડચડ શબ્દપૂર્વક તેનું ઉત્પાદન કરાવતો. આ રીતે તે દુર્યોધન ચારકપાલક આવા પ્રકારની નિર્દયતાપૂર્ણ પ્રવૃત્તિને પોતાનું કર્મ, વિજ્ઞાન, આચરણ બનાવી અતિ પાપકર્મોનું ઉપાર્જન કરી ૩૧૦૦ વર્ષનું આયુ ભોગવી મૃત્યુ પામી છટ્ઠી નરકે ૨૨ સાગરોપમ સ્થિતિવાળા નારકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થયો. ૦ નંદિષેણકુમારનો જન્મ, વૃદ્ધિ, રાજાવાનો પ્રયાસ : તે દુર્યોધન ચારકપાલનો જીવ છઠી નરકેથી નીકળી આ મથુરા નગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. નવ માસ પૂર્ણ થતાં બંધુશ્રીએ પુત્રને જન્મ આપ્યો. બારમે દિવસે તે બાળકનું નંદિષણ (નંદિવર્ધન) નામ રાખ્યું. પાંચ ધાવમાતા દ્વારા મોટો થવા લાગ્યો. યુવાન થઈને યુવરાજ પદે અલંકૃત્ થયો. રાજ્ય અને અંતઃપુરમાં આસક્ત નંદીષણકુમાર શ્રીદામ રાજાને મારીને સ્વયં રાજ્યશ્રી ભોગવવાની ઈચ્છા કરવા લાગ્યો. તે માટે તે શ્રીદામ રાજાના અનેક અંતર, છિદ્ર આદિના અવસરો શોધવા લાગ્યો. શ્રીદામ નરેશના વધનો અવસર પ્રાપ્ત ન થવાથી નંદિષેણે (નંદિવર્ધન) કોઈ સમયે ચિત્ર નામના વાણંદને કહ્યું, તું શ્રીદામ રાજાના સર્વ સ્થાનો આદિમાં સ્વેચ્છાપૂર્વક આવજા કરી શકે છે. રાજાનું સૌરકમ પણ કરે છે. તો હે દેવાનુપ્રિય ! તું સૌરકર્મ અવસરે
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy