SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખવિપાકી કથા ૧૩૩ ૦ નંદિવર્ધનની કથા - તે કાળે, તે સમયે મથુરા નગરી હતી. ત્યાં ભંડીર ઉદ્યાન હતું. સુદર્શન યક્ષનું આયતન હતું. શ્રીદામ રાજા અને બંધુશ્રી રાણી હતી. તેમને સર્વાગ સંપન્ન અને યુવરાજ પદથી અલંકૃત્ નંદિવર્તને નામે પુત્ર હતો. શ્રીદામ નરેશને સુબંધુ મંત્રી હતો. જે સામ, દંડ, ભેદાદિમાં કુશળ હતો. તે મંત્રીને બહમિત્રા પૂત્ર નામક સવાંગ સંપન્ન, સુરૂપ બાળક હતો. શ્રીદામ નરેશને ચિત્ર નામે વાણંદ હતો. તે રાજાનું સૌરકર્મ કરતો, રાજાજ્ઞાથી સર્વ સ્થાનો, સર્વભૂમિકા તથા અંતઃપુરમાં બેરોકટોક આવાગમન કરતો હતો. તે કાળે, તે સમયે મથુરા નગરીમાં ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા અને રાજા નીકળ્યા. ભગવંતે ધર્મ કહ્યો. પર્ષદા પાછી ફરી. ૦ ગૌતમસ્વામીને વધ્ય પુરુષનું દર્શન : તે સમયે ભગવાન્ મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામી ભિક્ષાર્થે નગરીમાં પધાર્યા. ત્યાં તેઓએ હાથી, ઘોડા, પુરષોને જોયા. તે પુરુષોના મધ્યમાં – યાવત્ – ઘણાં નર નારીના વૃંદથી ઘેરાયેલા એક પુરુષને જોયો. રાજપુરુષોએ તે પુરુષને ચત્ર સ્થાને અગ્નિસમાન લોહમય સિંહાસન પર બેસાડે છે પછી કોઈ કોઈ રાજપુરુષ તેને અગ્નિસમાન ઉષ્ણ લોઢાથી પરિપૂર્ણ, કોઈ તામ્રપૂર્ણ, કોઈ ત્રપૂથી પૂર્ણ, કોઈ સીસાથી પૂર્ણ, કોઈ કલકલથી પૂર્ણ, ક્ષારયુક્ત તેલથી પૂર્ણ, અગ્નિસમાન તમ કળશો દ્વારા મહાનું રાજ્યાભિષેકથી તેનો અભિષેક કરે છે. ત્યારપછી તેને લોહમય સંડાસાથી પકડીને અગ્નિ સમાન તપેલ અયોમય, અર્ધ્વહાર – યાવત્ – પહેરાવે છે. ૦ પૂર્વભવ વર્ણન :' હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપના ભારતવર્ષમાં સિંહપુર નામક એક »દ્ધ, સ્તિમિત, સમૃદ્ધ નગર હતું ત્યાં સિંહરથ રાજા હતો. દુર્યોધન નામક કારાગારરક્ષક હતો. જે અધર્મી – યાવત્ – દુષ્પત્યાનંદ હતો. દુર્યોધન નામના તે ચારકપાલના આવા ચારક ભાંડ હતા – અનેક પ્રકારની લોહમય કુંડીઓ હતી. જેમાંથી કોઈ તાંબાથી, કોઈ ત્રપુથી, કોઈ સીસાથી, કોઈ ચૂર્ણ મિશ્રિત જળથી, કોઈ ક્ષારયુક્ત તેલથી ભરી હતી. જે અગ્નિપર રાખી હતી. દુર્યોધન ચારકપાલ પાસે ઉણિકાઓ હતી. જેમાંના કેટલાંક અશ્વમૂત્રથી, કોઈ હાથીના મૂત્રથી, કોઈ ઊંટના મૂત્રથી, કોઈ ગોમૂત્રથી, કોઈ મહિષમૂત્રથી, કોઈ બકરાના મૂત્રથી, કોઈ ભેડોના મૂત્રથી ભરેલી હતી. તે દુર્યોધન ચારકપાલની પાસે અનેક હસ્તાંદુક, પાદાંદૂક, હડિ અને શૃંખલા તથા નિકર લગાવેલા હતા. તે દુર્યોધન ચારકપાલ પાસે વેણુલતા, નેતરના ચાબુકો, આંબલીના ચાબુકો, કોમળ ચર્મચાબુકો, સામાન્ય ચાબુકો, વલ્કલરશ્મિના પુંજ અને નીકટ રહેતા હતા. તેની પાસે અનેક શિલા, લાકડીઓ, મુગરો, કનજરોના પુંજ અને નીકટ રહેતા હતા. તે દુર્યોધન ચરકપાલ પાસે ચામડાની રસ્સી, સામાન્ય રસ્સી, વલ્કલ રજૂ, છાલની રસ્સી, કેશ રસ્સીના ઢગલા રહેતા હતા. તે દુર્યોધન ચારકપાલ પાસે અસિપત્ર, કરપત્ર, સુરપત્ર અને કદંબચીરપત્રના પણ ઢગ રહેતા. તેની પાસે લોઢાના ખીલા, વાંસની સળી, ચામડાના પટ્ટા આદિના ઢગ રહેતા. તેની પાસે અનેક સોયો, દમણો તથા લઘુ મુદુગરોના
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy