SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ આગમ કથાનુયોગ અહીં કૌશાંબીમાં સોમદત્ત પુરોહિતની વસુદત્તા પત્નીની કુલિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. ૦ બૃહસ્પતિ દત્તનો ભવ : તે બાળકના માતાપિતાએ જન્મના બારમાં દિવસે નામકરણ કરતા કહ્યું કે, આ બાળક સોમદત્તનો પુત્ર અને વસુદત્તાનો આત્મજ હોવાથી તેનું નામ બૃહસ્પતિદત્ત રાખવું. પછી તે બાળક પાંચ ધાવમાતા દ્વારા પાલન કરાતો કાળક્રમે યુવાન થયો. તે ઉદાયનકુમારનો બાલ્યકાળથી પ્રિયમિત્ર હતો. બંને સાથે જમ્યા, રમ્યા, મોટા થયા. ત્યારપછી જ્યારે શતાનીક રાજા કાળધર્મ પામ્યો. ત્યારે ઉદયન કુમાર ઘણાં રાજા, તલવર – યાવત્ – સાર્થવાહ આદિની સાથે રડતો, આકંદન અને વિલાપ કરતો શતાનીક નરેશનો રાજકીય ઋદ્ધિ અનુસાર નીકરણ અને મૃતકસંબંધી લૌકિક કાર્યો કરે છે. ત્યારપછી તે રાજા ઈશ્વર – યાવત્ – સાર્થવાહે મળીને મોટા સમારોહ સાથે ઉદયનકુમારના રાજ્યાભિષેક કર્યો. ઉદયનકુમાર હિમાલય પર્વત સમાન મહાનું રાજા થયો. ૦ બૃહસ્પતિદત્તનું પુરોહિતત્વ અને કુકૃત્ય : ત્યારપછી બૃહસ્પતિદત્ત ઉદયન રાજાનો પુરોહિત થઈ ગયો. પૌરોહિત્ય કર્મ કરતો, સર્વસ્થાનો – સર્વ ભૂમિકાઓ તથા અંતઃપુરમાં પણ ઇચ્છાનુસાર બેરોકટોક ગમનાગમન કરવા લાગ્યો. ત્યારપછી તે ઉદયન રાજાના અંતઃપુરમાં સમય-સમય, કાલ–અકાલ તથા રાત્રિ અને વિકાલે સ્વેચ્છાપૂર્વક પ્રવેશ કરતો ક્રમશઃ પદ્માવતીદેવી સાથે આસક્ત થયો. તેણીની સાથે ઉદાર, યથેષ્ટ, મનુષ્યસંબંધી કામભોગોનું સેવન કરતો સમય વ્યતીત કરવા લાગ્યો. કોઈ સમયે ઉદયન નરેશ સ્નાનાદિ નિવત્ત થઈને સમસ્ત અલંકારોથી અલંકત થઈને જ્યાં પદ્માવતીદેવી હતી ત્યાં આવ્યો. તેણે બૃહસ્પતિદત્ત પુરોહિતને પદ્માવતી દેવી સાથે ભોગ ભોગવતો જોયો. જોતાં જ ક્રોધથી ધમધમી ઉઠયો. રાજપુરુષો દ્વારા બૃહસ્પતિદત્તને પકડાવી લાકડી, મુઠી, ઘૂંટણ, કોણી આદિના પ્રહારોથી તેનું શરીર ભગ્ન કરી દીધું. મથિત કરી દીધું. પછી આવા પ્રકારનો કઠોર દંડ દેવાની રાજપુરુષોને આજ્ઞા કરી. હે ગૌતમ! આ રીતે બૃહસ્પતિદત્ત પૂર્વકૃત્ પાપકર્મોના ફળને પ્રત્યક્ષ અનુભવી રહ્યો છે. ૦ બૃહસ્પતિ દત્તની ગતિ : હે ભગવન્! બૃહસ્પતિદત્ત મૃત્યુ પામીને ક્યાં જશે ? હે ગૌતમ ! તે ૬૪ વર્ષનું આયુ પૂર્ણ કરી દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે ત્યારે શૂળીએ મેદાઈને મૃત્યુ પામી રત્નપ્રભા નરકમાં એક સાગરની સ્થિતિવાળા નારકોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી મૃગાપુત્ર માફક ભવભ્રમણ કરશે. પછી હસ્તિનાપુરમાં મૃગરૂપે જન્મશે. ત્યાં શિકારી દ્વારા હણાશે. પછી હસ્તિનાપુરના શ્રેષ્ઠી કુળમાં પુત્રરૂપે જન્મશે. ત્યાં તે સમ્યકત્વ પ્રાપ્ત કરશે. કાળ કરીને સૌધર્મકલ્પ ઉત્પન્ન થશે, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં અનગારવૃત્તિ ધારણ કરી, સંયમ આરાધી, સર્વ કર્મોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ:ઠા ૯૬૮ની : વિવાદ ૩, ૨૭, ૨૮;
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy