SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દુખવિપાકી કથા ૧૩૧ ત્યાં સમ્યકત્વ અને અણગાર ધર્મ પ્રાપ્ત કરીને સૌધર્મ નામક પ્રથમ દેવલોકે દેવ થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં શ્રમણપણાનું પાલન કરીને સિદ્ધ, બુદ્ધ થશે, સમસ્ત કર્મોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભઃઠા ૯૬૮ની વૃ વિવાર ૩, ૨૪થી ૨૬, – ૪ – ૪ – ૦ બૃહસ્પતિદત્ત કથા : તે કાળે, તે સમયે કૌશાંબી નગરી હતી. જે દ્ધ, તિમિત, સમૃદ્ધ હતી. તે નગરીની બહાર ચંદ્રાવતરણ ઉદ્યાન હતું. ત્યાં શ્વેતભદ્ર યક્ષનું વલાયતન હતું. તે કૌશાંબીમાં શતાનીક રાજા હતો. તેને મૃગાદેવી રાણી હતી. તેઓનો ઉદાયન નામે પુત્ર હતો. જે સર્વેન્દ્રિય સંપન્ન અને યુવરાજ પદે અલંકૃત્ હતો. તે ઉદાયનની પદ્માવતી નામે પત્ની હતી. તે શતાનીક રાજાને સોમદત્ત પુરોહિત હતો. જે ગુવેદાદિ ચાર વેદોનો પૂર્ણ જ્ઞાતા હતો. તે સોમદત્ત પુરોહિતની વસુદત્તા નામે પત્ની હતી. તે બંનેનો બૃહસ્પતિદત્ત નામે સર્વાંગસંપન્ન સુંદર બાળક હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાનું મહાવીર કૌશાંબી નગરની બહાર ચંદ્રાવતરણ ઉદ્યાનમાં પધાર્યા. ગૌતમસ્વામી પૂર્વવત્ કૌશાંબીમાં ભિક્ષાર્થે પધાર્યા. પાછા ફરતા રાજમાર્ગેથી નીકળ્યા. ૦ ગૌતમસ્વામી દ્વારા વધ્ય પુરુષદર્શન તેનો પૂર્વભવ : ગૌતમસ્વામીએ હાથી, ઘોડા, બહુસંખ્યક પુરુષો મધ્યે એક વધ્ય પુરુષને જોયો. મનોગતુ સંકલ્પ થયો. સ્વસ્થાને આવીને ભગવંતને તેનો પૂર્વભવ પૂછયો. ભગવંતે કહ્યું, તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સર્વતોભદ્ર નામક એક દ્ધ, તિમિત, સમૃદ્ધ નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. મહેશ્વર દત્ત પુરોહિત હતો. જે ટ્વેદાદિ વેદોમાં કુશળ હતો. મહેશ્વરદત્ત પુરોહિત જિતશત્રુ રાજાનારાજ્યની અને બળની વૃદ્ધિ માટે પ્રતિદિન એક–એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બાળકને પકડાવીને, જીવતા જ તેના હૃદયોના માંસપિંડોને ગ્રહણ કરાવતો હતો. જિતશત્રુ રાજા નિમિત્તે તેનાથી શાંતિ હોમ કરાવતો હતો. તે સિવાય તે પુરોહિત આઠમ અને ચૌદશે બબ્બે બાળકોને, ચાર–ચાર માસે ચારચાર બાળકોના હૃદયોના માંસપિંડોથી શાંતિ હોમ કરતો હતો. - જ્યારે જ્યારે જિતશત્રુ રાજાનું કોઈ શત્રુની સાથે યુદ્ધ થતું ત્યારે ત્યારે તે મહેશ્વર દત્ત પુરોહિત ૧૦૮ બ્રાહ્મણ બાળક – યાવત્ – ૧૦૮ શુદ્ર બાળકોનો – યાવત – જિતશત્રુ રાજાના વિજય નિમિત્તે શાંતિ હોમ કરતો હતો. તેના પ્રભાવે જિતશત્રુ રાજા શીધ્ર જ શત્રુનો વિધ્વંસ કરી દેતો. આ પ્રકારે ક્રુર કર્મોનું અનુષ્ઠાન કરનાર, કુર કર્મોમાં પ્રધાન, વિવિધ પ્રકારે પાપકર્મોને એકત્રિત કરી, ૩૦૦૦ વર્ષનું આયુ ભોગવી મહેશ્વરદત્ત પુરોહિત પાંચમી નરકમાં ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની સ્થિતિવાળા નારક રૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને સીધો જ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy