SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ આગમ કથાનુયોગ-૬ - કોઈ સમયે સુદર્શના ગણિકા સાથે તેને ગાઢ પ્રીતિ બંધાઈ. ત્યારે સિંહરાજાના મંત્રી સુષેણે કોઈ સમયે શકટકુમારને સુદર્શના ગણિકાના ઘેરથી કઢાવી મૂક્યો અને સુદર્શના ગણિકાને પોતાને ઘેર પત્નીના રૂપે રાખી લીધી. પછી તેણીની સાથે મનુષ્ય સંબંધી ઉદાર કામભોગોનો યથારુચિ ઉપભોગ કરતો સમય વીતાવવા લાગ્યો. ત્યારે શકટકુમાર સુદર્શના ગણિકામાં મૂર્ણિત, ગૃહ, આસક્ત થઈને અન્યત્ર ક્યાંય પણ સુખ, રતિ, શાંતિ પામતો ન હતો. તેનું ચિત્ત, મન, વેશ્યા, અધ્યવસાય વેણીમાં જ લીન રહેતા હતા. તે સુદર્શના બાબતે જ વિચાર્યા કરતો, તેણીની જ ભાવનામાં ભાવિત રહેતો હતો. તે તેણીની પાસે જવાનો અવસર શોધતો રહેતો હતો. એક વખત અવસર પ્રાપ્ત થતા તે સુદર્શનાના ઘરમાં ઘુસી ગયો. પછી તેણીની સાથે ભોગો ભોગવવા લાગ્યો. આ તરફ કોઈ દિવસે સ્નાન કરીને સર્વ અલંકારોથી વિભૂષિત થઈને સુષણમંત્રી સુદર્શનાને ઘેર આવ્યો. આવતા જ તેણે સુદર્શનાની સાથે યથારુચિ કામભોગ ભોગવતા શકટકુમારને જોયો. જોઈને તે કોપાયમાન થયો – યાવત્ – શકટકુમારને પોતાના પુરષોથી પકડાવી, લાકડી, મુઠી ઇત્યાદિનો માર મારીને તેના શરીરને મથિત કરીને અવકોટક બંધનથી બંધાવી દીધું. ૦ શકટકુમારનું મૃત્યુ અને ભાવિગતિ : ત્યારપછી સુષેણમંત્રી તે શકટકુમારને મહચંદ્ર રાજા પાસે લઈ ગયો. બંને હાથ જોડીને કહ્યું કે, હે સ્વામી! આ શકટકુમારે મારા અંતઃપુરમાં પ્રવેશ કરવાનો અપરાધ કરેલ છે. ત્યારે રાજાએ મંત્રીને કહ્યું કે, તમે તમારી ઇચ્છાનુસાર દંડ કરી શકો છો. ત્યારે સુષેણ. મંત્રીએ શકટકુમાર અને ગણિકા સુદર્શનાને પૂર્વોક્ત વિધિથી વધ કરવાની આજ્ઞા રાજપુરુષોને આપી. ત્યારે ગૌતમસ્વામીએ પૂછ્યું, હે ભગવન્! શકટકુમાર બાળક અહીંથી મૃત્યુ પામીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! શકટ પ૭ વર્ષની આયુ ભોગવીને આજે ત્રિભાગશેષ દિવસ રહેશે ત્યારે એક મહાલોમય તપેલી અગ્નિ સમાન દેદીપ્યમાન સ્ત્રી પ્રતિમાથી આલિંગિત કરાવાશે. પછી મૃત્યુ પામીને રત્નપ્રભાનામક પ્રથમ નરકભૂમિમાં નારકરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી રાજગૃહનગરે માતંગકુળમાં યુગલ રૂપે ઉત્પન્ન થશે. યુગલના માતા-પિતા બારમા દિને તે બાળક-બાલિકાના નામ શકટકુમાર અને સુદર્શના રાખશે. ત્યારપછી શકટ યૌવન પ્રાપ્ત કરશે. સુદર્શન પણ યુવાવસ્થાને પ્રાપ્ત થશે. તેણી રૂપ, યૌવન, લાવણ્યમાં ઉત્કૃષ્ટ–સુંદર શરીરવાળી થશે. ત્યારપછી સુદર્શનાના રૂપ, યૌવન, લાવણ્યની સુંદરતામાં મૂર્ણિત થઈને શકટકુમાર પોતાની બહેન સુદર્શન સાથે મનુષ્યસંબંધી પ્રધાન કામભોગોનું સેવન કરતા જીવન વ્યતીત કરશે. કોઈ સમયે તે શકટકુમાર સ્વયમેવ કૂટગ્રાહિત્વ પ્રાપ્ત કરી વિચરશે, તે મહાઅધર્મી અને દુષ્કૃત્યાનંદ થશે. આવા અધર્મપ્રધાન કર્મોથી ઘણાં જ પાપકર્મોને ઉપાર્જિત કરી મૃત્યુ પામી રત્નપ્રભા નરકમાં નારકીરૂપે ઉત્પન્ન થશે. તેનું સંસારભ્રમણ પણ પૂર્વવત્ જાણવું – થાવત્ – તે પૃથ્વીકાયાદિમાં લાખો વખત ઉત્પન્ન થશે. ત્યાંથી વાણારસીમાં મત્સ્યરૂપે જન્મ લેશે. ત્યાં મત્સ્ય ઘાતકો દ્વારા વધ પ્રાપ્ત થઈ, ત્યાંજ શ્રેષ્ઠીપુત્રરૂપે જન્મશે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy