SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખવિપાકી કથા ૧૨૯ તે કાળે, તે સમયે સાહંજની નગરી બહાર દેવરમણ ઉદ્યાનમાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદ અને રાજા નીકળ્યા. ભગવંતે ધર્મ દેશના આપી, રાજા અને પર્ષદા પાછા ફર્યા. ૦ ગૌતમસ્વામીનો પ્રશ્ન અને શકટનો પૂર્વભવ : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામી ભિક્ષાર્થે નીકળ્યા. ત્યાં તેમણે હાથી-ઘોડા અને ઘણાં જ પુરષોને જોયા. તેમની મધ્યે અવકોટક બંધનયુક્ત, નાક અને કાન કાપેલ – યાવત્ – ઉદ્દઘોષણા સહિત એક સસ્ત્રીક પુરુષને જોયો. જોઈને ગૌતમસ્વામીને પૂર્વવતુ વિચાર આવ્યો. ભગવંતને પ્રશ્ન કર્યો. હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપના ભારતવર્ષમાં છગલપુર નગર હતું. ત્યાં સિંહગિરિ રાજા હતો. તે જ નગરમાં છણિક નામે એક છોગલિક કસાઈ રહેતો હતો. જે ધનાઢ્ય, અધર્મી – યાવત્ – દુwત્યાનંદ હતો. તે છણિક છોગલિકને ત્યાં અનેક બકરા, રોઝ, વૃષભ, ખરગોમૃગબાળ, શુકર, સિંહ, હરણ, મયૂર, મહિષના શત. સહસ્ત્રચૂથ વાડામાં સમ્યક્ પ્રકારે રોકેલા રહેતા હતા. ત્યાં વેતનભોજન અને ધન આપીને અનેક માણસો અજ આદિના સંરક્ષણ – સંગોપન કરવા માટે રાખેલા હતા. અનેક કિંકરપુરષો હજારો બકરા આદિ પશુઓને મારીને તેના માંસને છરીથી કાપી–કાપીને છણિક છોગલિકને આપતા હતા. તેના બીજા અનેક નોકર તે ઘણાં જ બકરા આદિના માંસને તવી, કડાઈ હાંડા આદિ પાત્રવિશેષોમાં, ભુંજતા, તળતા, શૂલ દ્વારા પકાવતા પોતાની આજીવિકા ચલાવતા હતા. તે છણિક સ્વયં પણ તે માંસને સુરા આદિ પાંચ પ્રકારની મદિરા સાથે આસ્વાદન–વિસ્વાદન કરતો ત્યાં જીવન–યાપન કરતો હતો. તે છણિક છોગલિક માંસમદિરાને પોતાનું જીવન બનાવી દીધેલ. આ જ પાપકાર્યમાં તે સદા તત્પર રહેતો હતો. આ પાપકર્મ જ તેનું આચરણ હતું. તેનાથી તેણે કલેશોત્પાદક અને કાલુષ્યપૂર્ણ એવા ક્લિષ્ટ કર્મોનું ઉપાર્જન કરી, ૭૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરી, મૃત્યુ પામી ચોથી નરકે દશ સાગરોપમ સ્થિતિવાળા નારકીઓમાં નારકરૂપે ઉત્પન્ન થયો. ૦ શકટકુમારનો જન્મ : ત્યારે તે સુભદ્ર સાર્થવાહની ભદ્વાભાર્યા જાતનિંદુકા હતી. તેના બાળકો જન્મતાં જ મૃત્યુ પામતા હતા. આ તરફ છણિક છોગલિકનો જીવ ચોથી નરકથી નીકળીને સાહંજની નગરીમાં આ ભદ્રાની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો. પ્રસવકાળે તે ભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. ઉત્પન્ન થતાં જ માતા-પિતાએ તે બાળકને એક શકટ નીચે રાખ્યો. પછી ઉઠાવી લીધો. પછી તેનું સંગોપન અને સંવર્ધન કર્યું – યાવત્ – તેનું શકટ એવું નામ પાડ્યું. શકટનું બાકીનું જીવન ઉક્ઝિતક માફક જ જાણવું. આ તરફ સુભદ્ર સાર્થવાહ લવણસમુદ્રમાં મૃત્યુ પામ્યો. શકટની માતા ભદ્રા પણ મૃત્યુ પામી. ત્યારે રાજપુરુષોએ શકટકુમારને ઘેરથી કાઢી મૂક્યો. પછી તે શકટકુમાર સાહંજની નગરીના શૃંગાટક આદિ સ્થાનોમાં ભટકવા લાગ્યો. જુગારખાના અને શરાબખાનામાં જવા લાગ્યો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy