SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખવિપાકી કથા તૈયાર કરાવી. ૫૦૦ ચોરો સાથે સ્નાનાદિ કર્યા, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા. પછી વિપુલ અશનાદિ અને મદિરાઓનું યથારુચિ આસ્વાદન—વિસ્વાદન કર્યું. પછી આચમન કર્યું, પરમ શુદ્ધ થયા. ૫૦૦ ચોરો સાથે આર્દ્રચર્મ પર આરોહણ કર્યું. દૃઢ બંધનબદ્ધ લોહમય કવચ ધારણ કર્યા – યાવત્ – આયુધો અને પ્રહરણોથી સજ્જિત થઈને – ચાવત્ – સિંહનાદ કરતા અભગ્રસેને સાલાટવી ચોરપલ્લીથી મધ્યાહ્ન સમયે પ્રસ્થાન કર્યું. ખાદ્ય પદાર્થો સાથે લઈને વિષમ અને દુર્ગવનમાં રહીને દંડનાયકની પ્રતીક્ષા કરવા લાગ્યા. - ત્યારપછી તે કોટવાલ અભગ્ન ચોર સેનાપતિ હતો ત્યાં આવ્યો. તેની સાથે યુદ્ધ થયું. અભગ્રસેને તેને જલ્દીથી હતમથિત કરી દીધો. વીરોનો ઘાત કર્યો. ધજા-પતાકા નષ્ટ કરી દીધી, દંડનાયકનું માનમર્દન કરી તેને તેના સાથીઓ સાથે ભગાડી મૂક્યો. ત્યારે તે દંડનાયક અભગ્રસેન દ્વારા હતમથિત આદિ થઈને તેજ, બળ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમહીન થઈ, પુરિમતાલ નગરે મહાબલ નરેશ પાસે આવ્યો. આવીને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી મસ્તકે અંજલિ કરી બોલ્યો – અભગ્નસેન ચોર ઉચ્ચ, નીચ, દુર્ગમાં પર્યાપ્ત ખાદ્ય તથા પેયસામગ્રી સાથે અવસ્થિત છે. તેથી ઘણી જ અશ્વ ગજ, યોદ્ધા, રથસહિત ચતુરંગિણી સેના સાથે પણ પકડવો અશક્ય છે. ત્યારે રાજા સામ, ભેદ, ઉપપ્રદાન નીતિથી તેને વિશ્વાસમાં લાવવા પ્રવૃત્ત થયો. તે માટે રાજા તે ચોરના શિષ્યતુલ્ય, સમીપવર્તી પુરુષો તથા મિત્ર, જ્ઞાતિજન, સ્વજન આદિને ધન, સુવર્ણ, રત્ન, સારભૂત દ્રવ્યો દ્વારા તેઓને જુદા કરવા પ્રયત્ન કરવા લાગ્યો. અભગ્રસેનને પણ વારંવાર મહાર્થ, મહાઈ, મહાર્ણ ભેટ મોકલવા લાગ્યો. એ રીતે તેને વિશ્વાસમાં લીધો. ૧૨૭ ત્યારપછી કોઈ અન્ય સમયે મહાબલ રાજાએ પુરિમતાલ નગરમાં મોટી, સુંદર, વિશાળ, પ્રાસાદીય, દર્શનીય, રમણીય એવી સેંકડો સ્તંભોવાળી કૂટાગારશાલા બનાવડાવી. ત્યારપછી તે કૂટાગાર શાળા નિમિત્તે ઉશૂલ્ક – યાવત્ દશ દિવસના પ્રમોદોત્સવની ઉદ્ઘોષણા કરાવી. કૌટુંબિક પુરુષો દ્વારા અભગ્રસેનને કહેવડાવ્યું કે, હે દેવાનુપ્રિય ! પુરિમતાલ નગરે મહાબલ નરેશે ઉન્શુલ્ક – યાવત્ – દશ દિવસની પ્રમોદોત્સવની ઘોષણા કરાવી છે. આપને માટે વિપુલ અશનાદિ, પુષ્પ, વસ્ત્ર, અલંકાર અહીં જ લાવીને ઉપસ્થિત કરે કે આપ સ્વયં અહીં પધારશો ? ત્યારે મહાબલ રાજાના કૌટુંબિક પુરુષો પાસે આ આમંત્રણ જાણીને અભગ્રસેન ચોર સેનાપતિએ કહ્યું કે, હે ભદ્રપુરુષો ! હું પોતોજ પ્રમોદોત્સવમાં પુરિમતાલ નગરમાં આવીશ. ત્યારપછી અભગ્રસેને તેઓનો ઉચિત સત્કાર—સન્માન કરીને તેઓને વિદાય કર્યા. ત્યારપછી મિત્ર, જ્ઞાતિજન અને પરિજનથી ઘેરાયેલો તે અભગ્રસેન ચોર સેનાપતિ સ્નાનાદિથી નિવૃત્ત થઈને યાવત્ -- પ્રાયશ્ચિત્તાદિ કરી, સમસ્ત આભુષણોથી અલંકૃત્ થઈને શાલાટવી ચોરપલ્લીથી નીકળ્યો. પુરિમતાલ નગરે મહાબલ નરેશ હતા ત્યાં આવ્યો. બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી મહાબલ રાજાને જયવિજયથી વધાવ્યા. મહાર્થ, મહાઈ, મહાર્ણ ભેટ અર્પણ કરી. ત્યારપછી મહાબલ રાજાએ તે ભેટ સ્વીકારી સત્કાર— સન્માનપૂર્વક વિદાય કરી કૂટાગારશાળામાં રહેવા જગ્યા આપી. -
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy