SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ આગમ કથાનુયોગ–૬ ઉત્સવ મનાવ્યો. ત્યારપછી બાળકના જન્મના અગિયારમાં દિવસે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા. મિત્ર આદિને આમંત્રિત કરી જમાડ્યા અને કહ્યું કે, આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારે તેણીને દોહદ ઉત્પન્ન થયો તે અભગ્ન રહ્યો માટે અભગ્રસેન નામ થાઓ. કાળક્રમે તે બાળક યુવાન થયો. આઠ કન્યા સાથે તેનો વિવાહ કરાયો. વિવાહમાં તેના માતાપિતાએ આઠ-આઠ વસ્તુઓ પ્રીતિદાનમાં આપી. તે ઊંચા પ્રાસાદોમાં રહીને મનુષ્યસંબંધી ભોગ ભોગવવા લાગ્યો. પછી કોઈ સમયે વિજય ચોર મૃત્યુ પામ્યો. અભગ્રસેને ૫૦૦ ચોર સાથે રોતા, આક્રંદન–વિલાપ કરતા ઘણાં ઋદ્ધિ સત્કારપૂર્વક વિજય ચોરનું નીહરણ કર્યું, મૃતક કાર્યો કર્યા. પછી અભગ્રસેન શોકરહિત થયો. ત્યારપછી તે ૫૦૦ ચોરોએ મહોત્સવપૂર્વક અભગ્રસેનને શાલાટવી ચોરપલ્લીનો ચોર સેનાપતિ બનાવ્યો. પછી તે અધાર્મિક, અધર્મનિષ્ઠ, અધર્મદર્શી યાવત્ - રાજદેયકર પણ લઈ લેવા લાગ્યો. પછી અભગ્રસેન ચોર સેનાપતિ દ્વારા અનેક ગામોના વિનાશથી સંતપ્ત તે દેશના લોકો એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા, ચોર સેનાપતિ અભગ્રસેન પુરિમતાલ નગરના ઉત્તર દિશાના ઘણાં ગામોનો વિનાશ કરી રહ્યો છે. માટે આપણે મહાબલ રાજાને આ વાતથી સૂચિત કરવા યોગ્ય છે. ત્યારપછી તે લોકો એકઠા થઈ મહાબલ રાજા પાસે મહાર્થ, મહાઈ, મહાર્ણ ભેટ લઈને આવ્યા. બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરી મહાબલ રાજાને તે ભેટ અર્પણ કરી – કહ્યું કે, હે સ્વામી ! શાલાટવી ચોરપલ્લીનો અભગ્રસેન ચોર ગ્રામઘાત, નગરઘાત આદિ કરીને અમને નિર્ધન બનાવી રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે આપની ભુજાઓની છાયામાં સંરક્ષિત થઈને અમે નિર્ભય અને ઉપસર્ગ રહિત થઈ સુખપૂર્વક વિચરીએ. આ પ્રમાણે કહીને પગે પડીને મહાબલ નરેશને વિજ્ઞપ્તિ કરી. ૦ મહાબલ રાજા દ્વારા અભગ્રસેનને પકડવો : - મહાબલ રાજા તે જનપદવાસીઓ પાસે આ વૃત્તાંત સાંભળી રુષ્ટ–કુપિત અને ક્રોધાયમાન થયો. કોટવાળને બોલાવીને તેણે કહ્યું, તું જા અને શાલાટવી ચોરપલ્લીને નષ્ટભ્રષ્ટ કરી દે. તે અભગ્રસેન ચોર સેનાપતિને જીવતો પકડી લાવ. દંડનાયકે રાજાની આજ્ઞા વિનયપૂર્વક સ્વકારી. દૃઢ લોટ્ટમય કવચ બાંધ્યું. શસ્ર અને પ્રહરણોથી યુક્ત અનેક પુરુષોને સાથે લીધા. હાથમાં ઢાલ બાંધી – યાવત્ – સિંહનાદ આદિથી સમુદ્ર જેવી ગર્જનાથી આકાશને વિદીર્ણ કરતા પુરિમતાલ નગરેથી નીકળી શાલાટવી ચોરપલ્લી તરફ ગયો. ત્યારે અભગ્રસેનના ગુપ્તચરોએ આ વાત જાણી. તેઓએ ચોર સેનાપતિ અભગ્રસેન પાસે આવીને બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી આ વૃત્તાંત જણાવ્યો. ત્યારે અભગ્નસેને પોતાના ગુપ્તચરોની આ વાત સાંભળી, વિચારી ૫૦૦ ચોરોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! પુરિમતાલ નગરના રાજા મહાબલની આજ્ઞાથી યાવત્ – દંડનાયકે ચોરપલ્લી પર આક્રમણ કરવાનું તથા મને જીવતો પકડવાનો નિશ્ચય કર્યો છે. તેથી તેઓ અહીં આવી પહોંચે તે પહેલા જ તેમને માર્ગમાં રોકી દેવા આપણે માટે ઉચિત છે. ૫૦૦ ચોરોએ આ વાત સ્વીકારી. ત્યારપછી અભગ્રસેન ચોર સેનાપતિએ અનેક પ્રકારે અશન આદિ ભોજન સામગ્રી
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy