SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખવિપાકી કથા ઉત્પન્ન થશે. ત્યાં યુવાવસ્થા પામીને પશુસંબંધી ભોગોમાં મૂર્છિત, મૃદ્ધ, આસક્ત, ભોગી થશે. ઉત્પત્ર વાનરબાળનું હનન કરશે. આવા કુકર્મમાં તલ્લીન તે મૃત્યુ પામીને આ જ જંબુદ્વીપમાં ઇન્દ્રપુર નગરમાં ગણિકા પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં ઉત્પન્ન થતા જ તેને વર્ધિતક બનાવી દેવાશે, નપુંસકને યોગ્ય કાર્ય શીખવાડશે. બાર દિવસ ગયા બાદ તેનું પ્રિયસેન નામ રાખશે. જ્યારે તે યુવાવસ્થા પ્રાપ્ત કરશે તથા વિજ્ઞ અને બુદ્ધિ આદિની પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે તે પ્રિયસેન નપુંસક રૂપ, યૌવન, લાવણ્યથી ઉત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ શરીરવાળો થશે. ત્યારપછી તે પ્રિયસેન નપુંસક ઇન્દ્રપુર નગરના રાજા, ઈશ્વર – યાવત્ - અન્ય મનુષ્યોને અનેક પ્રકારના પ્રયોગો, મંત્રો, ચૂર્ણ, ભસ્મ આદિથી હૃદયને શૂન્ય કરનાર, અદૃશ્ય કરનાર, વશ કરનાર, પ્રસન્ન કરનાર અને પરાધીન કરનારા પ્રયોગોથી વશીભૂત કરીને મનુષ્યસંબંધી ભોગો ભોગવતો સમય વીતાવશે. આ રીતે તે પાપપૂર્ણ કામો કર્યા કરશે. તે પ્રિયસેન અનેક પાપકર્મોનું ઉપાર્જન કરીને ૧૨૧ વર્ષનું પરમ આયુ ભોગવીને, મૃત્યુ પામીને આ રત્નપ્રભા નરકમાં નારકરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી સરિસૃપ આદિ યોનિઓમાં જન્મ લેશે. ત્યાંથી મૃગાપુત્રની માફક સંસારભ્રમણ કરશે. પછી આ જંબુદ્વીપના ભારતવર્ષમાં ચંપાનગરીમાં ભેંસરૂપે જન્મ લેશે. ત્યાં ગોષ્ઠિકો તેને મારી નાંખશે. ત્યારપછી તે જ નગરીમાં શ્રેષ્ઠીકુળમાં પુત્રરૂપે જન્મશે. બાલ્યાવસ્થા પસાર કરી યૌવનાવસ્થા પામીને તે તથારૂપ સ્થવિરોની પાસે બોધિલાભને પ્રાપ્ત કરશે. ત્યાંથી કાળ કરી સૌધર્મકલ્પે ઉત્પન્ન થશે – યાવત્ – મૃગાપુત્ર માફક કર્મોનો અંત કરશે. – - - ૦ આગમ સંદર્ભ : ઠમ્ ૯૬૮ની વૃ; વિવા. ૩, ૧૧ થી ૧૬; ૧૨૩ - X ૦ અભગ્નસેનની કથા ઃ તે કાળે, તે સમયે પુરિમતાલ નામે નગર હતું. તેના ઇશાન ભાગે અમોઘદર્શી નામે ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અમોઘદર્શી યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં રાજા મહાબલ હતો. તે પુરિમતાલ નગરના ઇશાન ખૂણાની સીમાન્તે શાલાટવી નામક ચોરપલ્લી હતી. જે પર્વતીય ગુફાઓના પ્રાંત ભાગે સ્થિત હતી. વાંસની જાળીની વાડરૂપ પ્રાકારથી ઘેરાયેલી હતી. છિન્ન પર્વતની ગર્તરૂપે ખાઈ વાળી હતી. તેમાં પાણીની પર્યાપ્ત સુવિધા હતી. ત્યાંથી ઘણે દૂર સુધી પાણી મળતું ન હતું. તેમાં મનુષ્યોને જવાના ઘણાં જ ગુપ્ત દ્વારો હતા. જાણકારો જ તેમાં નિર્ગમ કરી શકતા હતા. ઘણાં ચોરો દ્વારા ચોરીને લવાયેલ વસ્તુ પાછી લાવવાને ઉચત મનુષ્યો પણ તેઓનો પરાજય કરી શકતા ન હતા. તે શાલાટવી ચોરપલ્લીમાં વિજયનામક ચોર સેનાપતિ રહેતો હતો. તે મહા અધર્મી – હતો થાવત્ તેના હાથ હંમેશા ખૂનથી રંગાયેલા રહેતા હતા. તેનું નામ અનેક નગરોમાં પ્રસિદ્ધ હતું. તે શૂરવીર, દૃઢ પ્રહારી, સાહસી, શબ્દવેધી તથા તલવાર અને લાઠીનો અગ્રગણ્ય યોદ્ધો હતો. તે સેનાપતિ તે ચોરપલ્લીમાં ૫૦૦ ચોરોનું સ્વામિત્વ, અગ્રેસરત્વ, નેતૃત્વ કરતો હતો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy