SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ આગમ કથાનુયોગ-૬ સ્થાનમાં ચાલ્યા ગયા. ત્યારપછી સુભદ્રા સાર્થવાહીએ જ્યારે વિજયમિત્ર સાર્થવાહના મૃત્યુ અને વહાણ નાશ થવાના સમાચાર સાંભળ્યા ત્યારે તે પતિ વિયોગજન્ય મહાનું શોકથી ગ્રસ્ત થઈ ગઈ, કુહાડાથી કપાયેલા ચંપક વૃક્ષની ડાળી માફક પૃથ્વીતલ પર પડી ગઈ. પછી એકાદ મુહૂર્ત બાદ તેણી આશ્વસ્ત થઈને અનેક મિત્રો, જ્ઞાતિજનો આદિથી ઘેરાઈને રુદન, ઇંદન, વિલાપ કરતી વિજયમિત્રનું લૌકિક મૃતક ક્રિયા કર્મ કરે છે. પછી સુભદ્રા સાર્થવાહી પતિ વિયોગાદિથી ચિંતામગ્ન રહેતી કોઈ સમયે મૃત્યુ પામી. ૦ ઉઝિતકનું સ્વેચ્છાચારી જીવન : ત્યારપછી સુભદ્રા સાર્થવાહીના મૃત્યુના સમાચાર જાણીને નગરરક્ષકે ઉઝિતકને ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યારે તે ઉજ્જિતકકુમાર વાણિજ્યગ્રામના ચોરે–ચૌટે, ઘુતગૃહે, વેશ્યાગૃહે, મદ્યપાનગૃહે ભટકવા લાગ્યો. સ્વચ્છેદાચારી અને નિરંકુશ બનેલો તે ચોરી, જુગાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમનાદિ કરવા લાગ્યો. પછી કામધ્વજા વેશ્યા સાથે વિપુલ અને ઉદાર મનુષ્યસંબંધી વિષયભોગો ભોગવતો સમય વીતાવવા લાગ્યો. ત્યારપછી તે વિજયમિત્ર રાજાની શ્રી નામક રાણીને યોનિશૂળ ઉત્પન્ન થયું. તેથી વિજયમિત્ર રાજા તેણીની સાથે કામભોગ ભોગવવા સમર્થ ન રહ્યો. કોઈ વખત તે રાજાએ ઉજ્જિતકકુમારને કામધ્વજાગણિકાને ત્યાંથી કઢાવી મૂક્યો અને પોતે કામધ્વજા વેશ્યા સાથે મનુષ્યસંબંધી ઉદાર–પ્રધાન વિષયભોગ ભોગવવા લાગ્યો. કામધ્વજા ઘેરથી કાઢી મૂકાયા બાદ તેણીમાં જ મૂર્ણિત, ગૃદ્ધ, ગ્રથિત અને અધ્યપપત્ર, તે ઉઝિતકકુમારને બીજે ક્યાંય સ્મૃતિ, રતિ, ધૃતિ પ્રાપ્ત ન થઈ, તેણીમાં જ ચિત્ત અને મનવાળો, તેણીના જ પરિણામ, અધ્યવસાય, પ્રત્યક્નવાળો, તેને મેળવવા ઉદ્યત, તેણીમાં જ મન-વચન અને ઇન્દ્રિયોને સમર્પિત કરનારો, તેણીની જ ભાવના ભાવતો કામધ્વજા વેશ્યાને ત્યાં જવાના ઉપાયો શોધવા લાગ્યો. અવસર મેળવી, ગુપ્તરૂપે તેણીના ઘરમાં પ્રવેશી કામધ્વજા સાથે વિપુલ ભોગ ભોગવવા લાગ્યો. આ તરફ કોઈ સમયે રાજા સ્નાન, બલિકર્મ, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને, સર્વ અલંકારોથી અલંકૃત્ થઈને કામધ્વજા વેશ્યાને ઘેર આવ્યો. ત્યાં તેણે કામધ્વજા વેશ્યા સાથે ભોગ ભોગવતા ઉજ્જિતક કુમારને જોયો. જોતાં જ તે કોપાયમાન થઈ ગયો. પોતાના અનુચરો દ્વારા ઉઝિક કુમારને પકડાવ્યો. યષ્ટિ, મુષ્ટિ, જાન, કૂર્પરના પ્રહારોથી તેના શરીરને ભાંગી નાંખ્ય, અવકોટક બંધન વડે બાંધીને “આ જ પ્રકારે આ વધ્ય છે" તેવી આજ્ઞા કરી. હે ગૌતમ ! આ રીતે તે ઉઝિતક પૂર્વકૃત્ પાપનું ફળ ભોગવી રહ્યો છે. ૦ ઉજ્જિતકની ભાવિ ગતિ : હે ભગવન્! આ ઉક્ઝિતકકુમાર અહીંથી મૃત્યુ પામીને ક્યાં જશે ? હે ગૌતમ ! તે ૨૫ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી આજે ત્રિભાગાવશેષ દિવસે શૂળી દ્વારા ભૂદાઈને મૃત્યુ પામી રત્નપ્રભાનારકીમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને આ જંબૂઢીપના ભરતક્ષેત્રના વૈતાઢ્ય પર્વતની તળેટીમાં વાનરરૂપે
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy