SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખવિપાકી કથા ગાય વગેરે તે બાળકના ચીત્કારપૂર્વક આક્રંદનથી ઉદ્વિગ્ન થઈ ચારે તરફ ભાગેલી. ૦ ગોત્રાસનું અધર્મીજીવન અને ગતિ :— ૧૨૧ ત્યારપછી તે ગોત્રાસ બાળક બાલ્યાવસ્થા પાર કરીને યુવાન થયો. કોઈ સમયે ભીમકૂટગ્રાહ મૃત્યુ પામ્યો. ત્યારે ગોત્રાસે પોતાના મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી અને પરિજન સહિત રુદન, વિલપન, આક્રંદન કરતા પોતાના પિતા ભીમ કૂટગ્રાહનો દાહ સંસ્કાર કર્યો. લૌકિક મૃતક ક્રિયા કરી. ત્યારપછી સુનંદ રાજાએ કોઈ સમયે ગોત્રાસને કૂટગ્રાહ પદે સ્થાપ્યો. ગોત્રાસ પણ મહા અધર્મી અને દુષ્પ્રત્યાનંદ હતો. તે રોજ મધ્યરાત્રિ સમયે કવચ પહેરી, શસ્ત્રાસ્ત્ર ધારણ કરી ઘેરથી નીકળતો, ગોમંડપમાં જતો, અનેક ગાય આદિ નાગરિક પશુઓના અંગોપાંગ કાપીને આવતો. તે ગાય આદિ પશુઓના શૂલપક્વ, તળેલ, ભુંજેલ, સૂકા અને નમકીન માંસની સાથે મદિર આદિનું આસ્વાદન, વિસ્વાદન કરતો જીવન પસાર કરતો હતો. ત્યારે તે ગોત્રાસ આ પ્રકારના કર્મોવાળો, આવા કાર્યોમાં પ્રધાનતાવાળો, આવી પાપવિદ્યાનો જ્ઞાતા તથા આવા ક્રૂર આચરણોવાળા વિવિધ પાપકર્મોનું ઉપાર્જન કરી ૫૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરી ચિંતા અને દુઃખથી પીડિત થઈને મૃત્યુ પામી ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બીજા નરકમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયો. ૦ ઉજ્જિતકરૂપે જન્મ : વિજયમિત્રની સુભદ્રા પત્ની જાતનિંદુકા હતી. જન્મતા જ તેના બાળકો વિનાશ પામતા હતા. ગોત્રાસકૂટગ્રાહનો જીવ બીજી નરકથી નીકળી સીધો આ વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા પત્નીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. નવ માસ પૂર્ણ થયા પછી તે સુભદ્રા સાર્થવાહીએ પુત્રને જન્મ આપ્યો. જન્મતાં જ તે બાળકને ઉકરડામાં ફેંકાવી દીધો, પછી સુભદ્રા સાર્થવાહીએ તેને પાછો લેવડાવી લીધો. ત્યારપછી ક્રમશઃ સંરક્ષણ અને સંગોપન કરતા તેને ઉછેરવા લાગી. ત્યારે તે બાળકના માતાપિતાએ સ્થિતિપતિતા અનુસાર પુત્રજન્મોચિત ક્રિયા કરી, ચંદ્ર, સૂર્ય દર્શન, જાગરણ આદિ મહાન્ ઋદ્ધિ અને સત્કાર સાથે કર્યા. અગિયારમો દિવસ વીત્યા બાદ બારમે દિવસે આ પ્રકારે માતાપિતાએ તે બાળકનું ગુણનિષ્પન્ન એવું નામકરણ કર્યું કે, આ બાળકને જન્મતાં જ ઉકરડામાં ફેંકી દીધેલ, તેથી અમારા આ બાળકનું ‘ઉજ્જિતક'' નામ પ્રસિદ્ધ થાઓ. ત્યારપછી પાંચ ધાવમાતાઓ દ્વાર તે બાળક ઉછરવા લાગ્યો – યાવત્ – સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો. ૦ વિજયમિત્ર—સુભદ્રાનું મૃત્યુ : ત્યારપછી વિજયમિત્ર સાર્થવાહે વહાણ દ્વારા ગણિમ આદિ ચારે વેચવા યોગ્ય વસ્તુ લઈને લવણ સમુદ્રમાં પ્રસ્થાન કર્યું. પણ વહાણ વિનષ્ટ થઈ જવાથી તેની બધી મહામૂલ્ય વસ્તુઓ જલમગ્ન થઈ ગઈ. તે પોતે પણ સ્વયં ત્રાણરહિત અને અશરણ થઈને મૃત્યુ પામ્યો. ત્યારે ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇબ્ધ, શ્રેષ્ઠી, સાર્થવાહોએ જ્યારે લવણસમુદ્રમાં વહાણનો નાશ, મૂલ્યવાન્ ક્રયાણકનું જલમગ્ર થવું અને વિજય મિત્રના મૃત્યુનો વૃત્તાંત સાંભળ્યો ત્યારે તેઓ જે હાથમાં આવ્યું તે ભાંડ–સાર આદિ લઈ એકાંત
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy