SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૦ આગમ કથાનુયોગ-૨ તે માતાઓ ધન્ય છે, પુણ્યવતી છે, કૃતાર્થ છે, સુલાલણા છે. તેમનું ઐશ્વર્ય સફળ છે, મનુષ્ય જીવન અને જન્મ પણ સાર્થક છે. જે અનેક અનાથ કે સનાથ પશુઓ – યાવત્ - વૃષભોના ઉધસુ, સ્તન, વૃષણ, પૂંછ, કકુદ, સ્કંધ, કર્ણ, નેત્ર, નાસિક, જીભ, હોઠ, કંબલ કે જે ફૂલ્ય, તળેલ, ભૃષ્ટ, શુષ્ક અને લવણસંસ્કૃત માંસની સાથે સુરા, મધુ, મેરક, સીધુ, પ્રસન્ના આ બધાં મદ્યનો આસ્વાદન, વિસ્વાદન, પરિભાજન તથા પરિભોગ કરતી પોતાના દોહદપૂર્ણ કરે છે કાશ ! હું પણ મારા દોહદને આ જ રીતે પૂર્ણ કરું. આવો વિચાર કરીને તે દોહદ પૂર્ણ ન થવાથી તે ઉત્પલા સૂકાવા લાગી. ભૂખ્યા જેવી લાગતી હતી. નિમસ–અસ્થિ ચર્મવત્ થઈ ગઈ. રોગિણી અને રોગી સમાન શિથિલ શરીરી, નિસ્તેજ, દીન, ચિંતાતુર મુખવાળી થઈ ગઈ. તેનું શરીર ફીક્કુ તથા પીળું થઈ ગયું. નેત્ર તથા મુખ મુરઝાઈ ગયું. યથોચિત પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલ્ય, આભુષણ અને હાર આદિનો ઉપભોગ ન કરનારી, હાથ વડે મસળેલ માળા સમાન પ્લાન થઈ કર્તવ્યઅકર્તવ્યથી વિવેકરહિત, ચિંતાગ્રસ્ત રહેવા લાગી, ત્યારે ભીમ કૂટગ્રાહ ઉત્પલા કૂટગ્રાપિણી પાસે આવ્યો, તેણે આ ધ્યાન કરતી, ચિંતાગ્રસ્ત, ઉત્પલાને જોઈને બોલ્યો, દેવાનુપ્રિયે ! તું આ રીતે શોકાકૂળ થઈ, હથેળી પર મુખ રાખી આર્તધ્યાન મગ્ન કેમ થઈ છો ? હે સ્વામી! ત્રણ માસ પૂર્ણ થતા મને આવો દોહદ ઉત્પન્ન થયો કે, તે માતાઓ ધન્ય છે – યાવત્ – જે પોતાનો દોહદ પૂર્ણ કરે છે. તે દોહદ પૂર્ણ ન થવાથી નિસ્તેજ અને હતોત્સાહ થઈને હું આર્તધ્યાન મગ્ન છું. ત્યારે ભીમ કૂટગ્રાહે કહ્યું, તું ચિંતાગ્રસ્ત અને આર્તધ્યાન યુક્ત ન થા. હું તે બધું જ કરીશ જેનાથી તારો દોહદ પૂર્ણ થાય. આ પ્રકારે ઇષ્ટ, પ્રિય, કાંત, મનોહર, મનોજ્ઞ વચનોથી તેણીને આશ્વાસન આપ્યું. ત્યારપછી ભીમ ફૂટગ્રાહ અર્ધી રાત્રિએ એકલો જ દઢ કવચ પહેરી, ધનુષબાણથી સજ્જિત થઈને, રૈવેયક ધારણ કરી, આયુધ-પ્રહરણ લઈને ઘેરથી નીકળ્યો અને હસ્તિનાપુર નગરમાં ગોમંડપે આવ્યો. ત્યાં નાગરિક પશુઓ – યાવતું – વૃષભોમાંથી કોઈના ઊધસ, કોઈના કંબલ આદિ અને કોઈના અન્યાન્ય અંગોપાંગોને કાપીને પોતાને ઘેર આવ્યો. આવીને પોતાની પત્ની ઉત્પલાને દેવા લાગ્યો. ત્યારપછી તે ઉત્પલા તે અનેક પ્રકારના ફૂલ આદિ પર પકાવેલા ગોમાંસોની સાથે અનેક પ્રકારની મદિરા આદિનું આસ્વાદન, વિસ્વાદન કરતી પોતાના દોહદ પરિપૂર્ણ કરે છે. એ રીતે તેણી પરિપૂર્ણ – સન્માનિત, વિનીત, બુચ્છિન્ન અને સંપન્ન દોહદવાળી થઈને તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરે છે. ત્યારપછી તે ઉત્પલા કૂટગ્રાહિણીએ નવ માસ પૂર્ણ થયા પછી પુત્રને જન્મ આપ્યો. જન્મતા જ તે બાળકે અતિ કર્ણકટુ અને ચીત્કારપૂર્ણ ભયંકર અવાજ કર્યો. તે બાળકના કઠોર, ચીત્કારપૂર્ણ શબ્દોને સાંભળીને હસ્તિનાપુરના ઘણાં સામાન્ય નાગરિક પશુ – વાવ – વૃષભ આદિ ભયભીત અને ઉદ્વેગને પ્રાપ્ત થઈને ચારે દિશામાં ભાગવા લાગ્યા. તેથી તેના માતાપિતાએ આ બાળકનું નામ ગોત્રાસ રાખ્યું. કેમકે તેના જન્મતા જ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy