SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખવિપાકી કથા ૧૧૯ --- - એ જ પ્રમાણે ત્યાં ઘણાં અશ્વોને પણ જોયા. જે યુદ્ધ માટે ઉદ્યત હતા. જેમને કવચ તથા શરીર રક્ષાના ઉપકરણ પહેરાવેલા હતા. તેમના શરીર પર સોનાની બનેલી ઝૂલ પડી હતી. તેમાં તનુત્રાણ લટકતા હતા. જેઓ બખ્તર અને લગામથી યુક્ત હતા. ક્રોધથી હોઠ ચાવતા હતા. ચામર અને સ્વાસકથી તેમને કટિભાગ પરિમંડિત હતો. તે અશ્વારોહી આયુધ અને પ્રહરણ ગ્રહણ કહેતા હતા. એ જ પ્રમાણે અનેક પુરુષોને પણ જોયા. જે દઢ બંધનથી બાંધેલ લોહમય કુસૂલાદિથી યુક્ત કવચ શરીર પર ધારણ કરેલા, કસીને પટ્ટિકા બાંધેલા, ગળામાં શૈવેયક ધારણ કરેલા, ઉત્તમ ચિલ્ડપટ્ટ યુક્ત, આયુધો અને પ્રકરણોને ગ્રહણ કરેલા હતા. તે પુરુષોની મધ્યે ગૌતમ સ્વામીએ એક પુરુષને જોયા, જેના હાથ પૃષ્ઠ ભાગે દોરીથી બાંધેલા હતા. નાક-કાન કાપેલા હતા. શરીર સ્નિગ્ધ કરેલું હતું. જેના કટિપ્રદેશે અને ઉપર વધ્ય પુરષોચિત વસ્ત્રયુગ્મ ધારમ કરેલું. હાથમાં હથકડી હતી. કંઠમાં લાલ પુષ્પોની માળા હતી. ગેરના ચૂર્ણથી જેને રંગેલ હતો. જે ભયત્રસ્ત અને પ્રાણધારણ કરવા માટે આકાંક્ષી હતો. જેને તલ-તલ કરીને ખંડિત કરતો હતો. તેના શરીરના માંસના નાનાનાના ટુકડા તેને ખવડાવતા હતા. તેને સેંકડો ચાબુકો મરાતા હતા. અનેક સ્ત્રી–પુરષો વડે ઘેરાયેલો અને પ્રત્યેક ચૌટા આદિ પર ઉઘોષિત કરાતો હતો – હે મહાનુભવો ! આ ઉન્ઝિતક બાળકને કોઈ રાજા કે રાજપુત્રએ કોઈ અપરાધ કર્યો નથી. પણ તેણે પોતાના કર્મોથી જ આ દુઃસ્થિતિ પ્રાપ્ત કરી છે. ૦ ઉઝિતકના પૂર્વભવ સંબંધી પૃચ્છા : ત્યારપછી તે પુરુષને જોઈને ગૌતમસ્વામીને આવો મનોસંકલ્પ ઉત્પન્ન થયો કે, અહો ! આ પુરષ કેવી નરકતુલ્ય વેદના અનુભવી રહ્યો છે ? આમ વિચારતા વાણિજ્યગ્રામના ઉચ્ચ, નીચ, મધ્યમ ઘરોમાંથી યથાપર્યાપ્ત ભિક્ષા લઈને તેઓ શ્રમણ, ભગવંત મહાવીર પાસે આવ્યા. ભિક્ષા દેખાડી ભગવંતને વંદના-નમસ્કાર કરીને તેમને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! આપની આજ્ઞાથી હું ભિક્ષાર્થે વાણિજ્યગ્રામમાં ગયો. ત્યાં મેં એક એવા પુરુષને જોયો જે સાક્ષાત્ નારકીય વેદના અનુભવતો હતો. હે ભગવન્! તે પુરુષ પૂર્વભવે કોણ હતો ? જે – યાવત્ – નરક જેવી વિષમ વેદના ભોગવી રહ્યો છે. ૦ ઉઝિતકનો પૂર્વભવ “ગોત્રાસ” : હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જંબૂલીપ નામના દ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે એક સમૃદ્ધ નગર હતું. ત્યાં સુનંદરાજા હતો. તે હિમાલય પર્વત સમાન મહાન હતો તે હસ્તિનાપુર નગરના મધ્યમાં સેંકડો સ્તંભોથી નિર્મિત, સુંદર, મનોહર, પ્રાસાદીય એક વિશાળ ગોશાળા હતી. ત્યાં નગરના અનેક સનાથ અને અનાથ એવી નગરની ગાય, બળદ, નાની ગાય, ભેંસ, સાંઢ જેમને પ્રચુર માત્રામાં ઘાસ–પાણી મળતા હતા, તેઓ ભય અને ઉપસર્ગાદિથી રહિત થઈને પરમ સુખથી નિવાસ કરતા હતા. તે હસ્તિનાપુરમાં ભીમ નામે કૂટગ્રાહ રહેતો હતો. તે સ્વભાવથી અધર્મી અને મુશ્કેલીએ પ્રસન્ન થનારો હતો. તેની ઉત્પલા નામે પત્ની હતી. જે અહીન પંચેન્દ્રિયવાળી હતી. કોઈ વખતે ઉત્પલા ગર્ભવતી થઈ. તેણીને ત્રણ માસ પછી દોહદ ઉત્પન્ન થયો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy