SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખવિપાકી કથા ૧૧૭ તું આ બાળકને ગુપ્ત ભૂમિગૃહમાં રાખીને ગુપ્ત રીતે આહારાદિ દ્વારા પાલન પોષણ કરતી વિચર. જેથી તારા ભાવિ સંતાન સ્થિર રહે. ત્યારે તે મૃગાદેવીએ વિજય ક્ષત્રિયના આ કથનને “સારું” એમ કહીને સ્વીકાર કર્યો, સ્વીકારીને તે બાળકને ગુપ્ત ભૂમિગૃહમાં ગુપ્ત રીતે ભોજનપાન દ્વારા પાલન કરતી વિચરવા લાગી. આ પ્રમાણે હે ગૌતમ ! મૃગાપુત્ર દારક પોતાના પૂર્વકૃત શીર્ણ, દુષ્પતિકાંત, અશુભ પાપકર્મોનું ફળ ભોગવતો વિચરી રહ્યો છે. ૦ મૃગાપુત્રના આગામી ભવો : હે ભગવન્! મૃગાપુત્ર દારક અહીંથી મૃત્યુ પામી જ્યાં જશે ? હે ગૌતમ ! મૃગાપુત્ર બાળક ૨૬ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી મૃત્યુ સમયે મૃત્યુ પામી આ જ જંબૂઢીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની તળેટીમાં સિંહરૂપે ઉત્પન્ન થશે. તે સિંહ અધર્મી, ઘણાં નગરોમાં જેની ખ્યાતિ ફેલાયેલી છે એવો શૂર, દૃઢ પ્રહારી અને સાહસી થશે. અત્યધિક મલિન પાપકર્મો ઉપાર્જન કરીને મૃત્યુ પામીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સાગરોપમ પ્રમાણવાળા નારકમાં નૈરયિક રૂપે ઉપજશે. ત્યાંથી તે સિંહનો જીવ નીકળીને સરિસર્પ થશે, મરીને બીજી નરકે ત્રણ સાગરોપમવાળા નારકમાં નૈરયિક થશે. ત્યાંથી નીકળીને પક્ષીઓમાં ઉત્પન્ન થઈ ત્રીજી નારકીમાં સાત સાગરોપમની સ્થિતિવાળા નારકમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી તે સિંહ થશે. ત્યાંથી ચોથી નારકોમાં, ત્યાંથી સર્પ થશે, ત્યાંથી પાંચમી નારકોમાં, ત્યાંથી સ્ત્રીરૂપે જન્મી પછી છઠી નારકીમાં, ત્યાંથી મનુષ્યરૂપે જન્મીને સાતમી નારકીમાં જશે. ત્યાંથી નીકળી જલચર પંચેન્દ્રિય તિર્યચોમાં મત્સ્ય, કાચબો, ગ્રાહ, મગર, સુંસુમાર આદિ યોનિઓમાં ઉત્પન્ન થનારી કુલ કોટીઓની સંખ્યા સાડા બાર લાખ છે. તે એક–એક યોનિ ભેદમાં લાખો વખત જન્મમરણ કરતો તેમાંને તેમાં વારંવાર ઉત્પન્ન થશે. ત્યારપછી ત્યાંથી નીકળીને ચતુષ્પદોમાં, ઉરપરિસર્પોમાં, ભુજપરિસર્પોમાં, ખેચરોમાં, ચતુરિદ્ધિઓમાં, ત્રિ–ઇન્દ્રિયોમાં, દ્વિ–ઇન્દ્રિયોમાં, વનસ્પતિક કટુ વૃક્ષોમાં, કટુક દુધાળા વૃક્ષોમાં, વાયુકાય, તે ઉકાય, અપકાય અને પૃથ્વી કાયોના જીવોમાં લાખો વખત જન્મ-મરણ કરતો વારંવાર તેમાં જ ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી સુપ્રતિષ્ઠપુરમાં બળદરૂપે જન્મશે. ત્યાં જ્યારે તે બળદ યુવાન થશે ત્યારે કોઈ સમયે વર્ષાઋતુના પ્રારંભમાં ગંગા મહાનદીના કિનારાની માટીને ખોદતા નદીનો કિનારો તુટી જવાથી મૃત્યુ પામી તે જ સુપ્રતિષ્ઠ નગરમાં કોઈ શ્રેષ્ઠી કુળમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે બાલ્યભાવ છોડીને બૌદ્ધિક વિકાસ અને યુવાવસ્થાથી સંપન્ન થયા પછી તથારૂપ સ્થવિરોની પાસે ધર્મશ્રવણ કરીને અને હૃદયમાં ધારણ કરીને મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગાર પ્રવજ્યાથી પ્રવ્રજિત થશે. ત્યાં તે ઇર્યા, ભાષા, એષણા, આદાન ભાંડ માત્ર નિક્ષેપ, ઉચ્ચાર પ્રશ્રવણ ખેલ સિંધાણ જલ્લ પારિષ્ઠાપનિકા સમિતિથી યુક્ત, મન, વચન, કાયગુપ્ત, ગુસ્સેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી અણગાર થશે. ઘણાં વર્ષો સુધી ગ્રામર્થ્ય પર્યાયનું પાલન કરીને, આલોચનાપ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થઈ પામી સૌધર્મકલ્પ દેવ થશે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy