SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ આગમ કથાનુયોગ-૬ ત્યારપછી કોઈ સમયે મધ્યરાત્રિએ જાગતી તે મૃગાદેવીને આવો આંતરિક – થાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, હું પહેલાં વિજય ક્ષત્રિયને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, ચિંતનીય, વિશ્વાસપાત્ર અને અનુમત હતી. પરંતુ જ્યારથી મારે આ ગર્ભ ઉત્પન્ન થયો છે ત્યારથી અનિષ્ટ – યાવત્ – અમણામ થઈ ગઈ છું. વિજય ક્ષત્રિય મારા નામ કે ગોત્રને પણ સ્મરણ કરવા ઇચ્છતો નથી. તો દર્શન અને પરિભોગની તે વાત ક્યાં રહી? તેથી મારે આ ગર્ભને અનેક ગર્ભ શાતનાઓ, વિધિ, યાતના, ગાલના, મારણા આદિથી સડાવી, પડાવી, ગળાવી કે મારી દેવો જોઈએ. આમ વિચારી તેણી ગર્ભને વિનષ્ટ કરવા પ્રયત્ન કરવા લાગી. પણ તે ગર્ભ સડ્યો, પડ્યો, ગળ્યો કે મૃત્યુ પામ્યો નહીં. જ્યારે તે મૃગાદેવી ગર્ભના સદન, પતન, ગલન કે મારણમાં સમર્થ ન થઈ ત્યારે શરીરથી શ્રાંત, મનથી દુઃખી, ખેદખિન્ન થઈને ઇચ્છા ન હોવા છતાં વિવશતાથી તે ગર્ભને ધારણ કરવા લાગી. ૦ ગર્ભગત મૃગાપુત્રના રોગાતંક : ગર્ભગત બાળકની જે આઠ નાડી અંદર તરફ અને આઠ નાડી બહારની તરફ વહે છે, તેમાંથી તેની આઠ નાડીઓમાં પરુ અને આઠ નાડીઓમાં લોહી વહેતું રહેતું હતું. તેમજ આ સોળ નાડીઓમાંથી બે-બે નાડી કાનના વિવરમાં, નેત્રોમાં, નાસિકા છિદ્રોમાં અને ધમનીઓમાં નિરંતર પરુ અને લોહીનો પરિસ્ત્રાવ કરતી રહેતી હતી. તે બાળકને ગર્ભાવસ્થામાં જ ભસ્મક નામક વ્યાધિ થઈ ગઈ. જેનાથી તે બાળક જે કંઈ ખાતો તે શીઘ નાશ પામતું અને લોહી તથા પરુમાં પરિણત થઈ જતું હતું. તે આ લોહી અને પરુ પણ ખાઈ જતો હતો. ૦ મૃગાપુત્રનો દેખાવ જોઈને ફેંકી દેવાનો વિચાર : - ત્યારે નવ માસ પુરા થયા ત્યારે તે મૃગાદેવીએ જન્માંધ, મુંગા, બહેરા, પંગુ, ઇંડ અને વાત રોગી બાળકને જન્મ આપ્યો. તે બાળકના હાથ, પગ, કાન, નાક, નેત્ર આદિ કંઈ ન હતું. તેની આકૃતિ માત્ર હતી. ત્યારે મૃગાદેવીએ તે બેડોળ અને જન્માંધ બાળકને જોઈને ભયભીત, ત્રસ્ત, વ્યાકુળ, ઉદ્વિગ્ન અને ભયગ્રસ્ત થઈને ધાવમાતાને બોલાવીને કહ્યું, તમે જાઓ અને આ બાળકને એકાંતમાં કોઈ ઉકરડામાં ફેંકી દો. ત્યારે ધાવમાતાએ “સારું" એમ કહીને મૃગાદેવીની તે વાત સ્વીકારી. જ્યાં વિજય ક્ષત્રિય હતાં ત્યાં આવી, આવી બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું, હે સ્વામી ! મૃગાદેવીએ આવા બેડોળ – યાવત્ – જન્માંધ બાળકને જન્મ આપ્યો છે. ત્યારપછી મૃગાદેવી તેને જોઈને ભયભીત – યાવતું – થઈને મને બોલાવીને કહ્યું કે, – યાવતુ – આ બાળકને એકાંત સ્થાને ઉકરડામાં ફેંકી આવ. તેથી હે સ્વામી ! આપ મને આજ્ઞા આપો કે હું આ બાળકને એકાંત સ્થાને ફેંકી આવું કે નહીં ? ૦ મૃગાપુત્રનું ભૂમિગૃહમાં સ્થાપન : ત્યારપછી તે વિજય ક્ષત્રિયે તે ધાવમાતાની આ વાત સાંભળીને જલદીથી વ્યાકુળ થઈને મૃગાદેવી પાસે આવ્યો. આવીને મૃગાદેવીને કહ્યું, હે દેવાનુપ્રિયે ! આ તારો પહેલો ગર્ભ છે. જો તું તેને એકાંત ઉકરડામાં ફેંકી દઈશ તો તારા સંતાન સ્થિર થશે નહીં. તેથી
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy