SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખવિપાકી કથા ૧૧૫ જાણતો અને ન જાણવા છતાં જાણું છું એમ કહેતો હતો. આ પ્રકારે તે એકાદિ રાષ્ટ્રકૂટ આવા કર્મોથી, કાર્યોથી, વિદ્યાથી, વિજ્ઞાનથી, આચારપાલનથી અત્યધિક દુઃખના કારણભૂત મલિન પાપકર્મોનું અર્જન કરી વિચરતો હતો, ત્યારે કોઈ સમયે તે એકાદિ રાષ્ટ્રકૂટના શરીરમાં એક સાથે સોળ અસાધ્ય રોગો ઉત્પન્ન થઈ ગયા. તે આ પ્રમાણે – શ્વાસ, કાસ, જ્વર, દાહ, કુલિફૂલ, ભગંદર, અર્શ, અજીર્ણ, નેત્રશૂળ, મસ્તક શૂળ, અરુચિ, નેત્રવેદના, કર્ણવેદન, ખરજ, જલોદર અને કોઢ. ૦ એકાદિના રોગની અસાધ્યતા : ત્યારે આવા અસાધ્ય રોગાતંકથી ગ્રસ્ત થઈને એકાદિ રાષ્ટ્રકૂટે કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિજયવર્ધમાન પેટના શૃંગાટકો – યાવત્ - માર્ગોમાં ઉદ્ઘોષણા કરાવો કે એકાદિ રાષ્ટ્રકૂટને સોળ અસાધ્ય રોગાતંક ઉત્પન્ન થયા છે. તેથી જે કોઈ વૈદ્ય-વૈદ્યપુત્ર, જાણકાર–જાણકારપત્ર, ચિકિત્સક–ચિકિત્સકપુત્ર એકાદિ રાષ્ટ્રકૂટને આ સોળ રોગાતકોમાંના કોઈ એક રોગાતકને પણ ઉપશાંત કરી દેશે તેને એકાદિ રાષ્ટ્રકૂટ વિપુલ ધન-સંપત્તિ આપશે. આવી ઉદ્દઘોષણા કરાવી મારી આજ્ઞા પાછી સોંપો, ત્યારે તે કૌટુંબિક પરષોએ પણ આજ્ઞાપાલનની સૂચના આપી. ત્યારપછી વિજય વર્ધમાન ખેટકમાં આ ઉદૂઘોષણા સાંભળીને અનેક વૈદ્યો – થાવત્ – ચિકિત્સકપુત્રો હાથમાં શસ્ત્રકોશ લઈને પોતપોતાના ઘેરથી નીકળ્યા. એકાદિ રાષ્ટ્રકૂટ પાસે આવ્યા. આવીને એકાદિ રાષ્ટ્રકૂટના શરીરની પરીક્ષા કરી, રોગાતંક ઉત્પત્તિનું કારણ પૂછ્યું, પછી તેઓએ અનેક પ્રકારના અભ્યગો, માલિશ, ઉબટન, સ્નેહ, પાન, વમન, વિરેચન, સ્વેદન, અવદન, અપસ્તાન, અનુવાસન, વસ્તિકર્મ, નિરુહ, શિરોધ, તક્ષણ, પ્રતક્ષણ, શિરોવતી, તર્પણ, પુટપાક, છલા, મૂલ, જડ, કંદ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, શિલિકા, ગોલિકા, ઔષધિ, ભેષજયના ઉપચારથી રોગને ઉપશાંત કરવા પ્રયત્ન કર્યો પણ તેઓ એક પણ રોગ ઉપશાંત કરી ન શક્યા. ત્યારે તે અનેક વૈદ્યો – યાવત્ – ચિકિત્સક પુત્રો શ્રાંત, દુઃખિત અને ખેદખિન્ન થઈને જ્યાંથી આવ્યા હતા, ત્યાં પાછા ચાલ્યા ગયા. ૦ એકાદિનું નરક ગમન : ત્યારપછી સેવકોથી પરિત્યક્ત, ઔષધભૈષજથી વિરક્ત, સોળ રોગાતકોથી ગ્રસ્ત, રાજ્ય, રાષ્ટ્ર, કોશ, કોઠાર, બળ, વાહન, પુર, અંતઃપુર,માં મૂર્જિત, આસક્ત, ગુદ્ધ અને લિપ્ત તથા રાજ્ય આદિની ઇચ્છા, પ્રાર્થના, સ્પૃહા અને અભિલાષા કરતો, વ્યથિતપીડિત અને પરાધીન થઈને તે ૨૬૦ વર્ષની આયુ પૂર્ણ કરી, મૃત્યુ પામી રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સાગરોપમની સ્થિતિ વાળા નારકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થયો. ૦ મૃગાપુત્રના ભવે મૃગાદેવીની વેદના આદિ : ત્યારપછી એકાદિનો જીવ નરકથી નીકળીને આ જ મૃગાગ્રામ નગરમાં વિજય ક્ષત્રિયની મૃગાદેવીની કુણિમાં ઉત્પન્ન થયો. ત્યારે તે મૃગાદેવીના શરીરમાં ઉત્કટ, પ્રગાઢ, પ્રચંડ, દુઃખદ, તીવ્ર અને અસહા વેદના ઉત્પન્ન થઈ, તેમજ મૃગાદેવી વિજય ક્ષત્રિયને અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમણામ થઈ ગઈ.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy