SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ આગમ કથાનુયોગ-૨ ઉગ્ર–ભોગવંશીય આદિ એકજ દિશામાં મુખ રાખી જઈ રહ્યા છે ? ત્યારે તે પુરુષે તે જન્માંધપુરુષને કહ્યું, હે દેવાનુપ્રિય ! આજે મૃગાગ્રામ ઇન્દ્ર મહોત્સવ આદિ કશું નથી. પણ હે દેવાનુપ્રિય ! ધર્મના આદિકર, તીર્થકર શ્રમણ ભગવંત મહાવીર અહીં પધાર્યા છે. આ જ મૃગા ગ્રામ નગરના ચંદનપાદપ ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અભિગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરી રહ્યા છે. તેથી આ બધાં લોકો – યાવતું – જઈ રહ્યા છે. ત્યારે તે જન્માંધ પુરુષે તે પુરુષને કહ્યું, ચાલો આપણે પણ જઈએ અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરીએ, સત્કાર–સન્માન કરીએ. તેમજ કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યરૂપ તેમની પર્યપાસના કરીએ. ત્યારે તે જન્માંધપુરુષ તે પુરુષ દ્વારા લાકડીને સહારે લઈ જવાતો શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યો. ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે વિજય રાજાને અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. પર્ષદા પાછી ફરી, વિજય પણ ગયો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ અણગાર – યાવત્ – સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તેમણે આ જન્માંધ પુરુષને જોયો. જોઈને તેમને જિજ્ઞાસા, સંશય, કુતૂહલ થયા. વિશેષ સંશય, જિજ્ઞાસા, કુતૂહલ થયા. તેઓ પોતાના સ્થાનેથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. ભગવંત ત્રણ વખત પ્રદક્ષિણા આપી. વંદન–નમસ્કાર કર્યા. ઉચિત સ્થાને રહીને શુશ્રુષા કરતા, બે હાથ જોડી, સવિનય પર્ણપાસના કરતા પૂછયું હે ભગવન્! શું એવો કોઈ પુરુષ હોય કે જે જન્માંધ, જન્માંધરૂપ હોય ? હાં, ગૌતમ ! એવો પુરુષ છે. ૦ ભગવંત દ્વારા મૃગાપુત્રનું સ્વરૂપ–નિવૈદન : હે ભગવન્! જન્માંધ, જન્માંધરૂપ એવો પુરુષ ક્યાં છે ? હે ગૌતમ ! આ જ મૃગાગ્રામ નગરમાં વિજય ક્ષત્રિય અને મૃગાદેવીનો આત્મજ મૃગાપુત્ર નામે બાળક છે, જે જન્માંધ અને જન્માંધરૂપ છે તે બાળકના હાથ, પગ, કાન, આંખ, નાક કશું નથી કેવળ તે અંગોપાંગની આકૃતિ–ચિહ્ન રૂપ છે. તે મૃગાદેવી તે મૃગાપુત્ર બાળકને ગુણભૂમિ ગૃહમાં ગુપ્તરૂપે પાલન-પોષણ કરતી વિચરી રહી છે. ૦ ગૌતમનું મૃગાપુત્રને જોવા જવું : ત્યારપછી ગૌતમસ્વામીએ ભગવંતને વંદન-નમસ્કાર કરીને કહ્યું, હે ભગવનું ! આપની આજ્ઞા હોય તો હું તે મૃગાપુત્ર બાળકને જોવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા પામી, હર્ષિત–સંતુષ્ટ થયેલ ગૌતમસ્વામી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી નીકળ્યા. ત્વરા, ચપળતા, સંભાતતા રહિત યુગાંતર ભૂમિનું નિરીક્ષણ કરતા, આગળ-આગળ ભૂમિની ચલુ વડે પ્રમાર્જના કરતા કરતા મૃગાગ્રામ નગરથી નીકળી મૃગાદેવીના ઘેર આવ્યા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy