SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યતીર્થિક કથાનક મિથ્યાત્વવર્ધક માત્ર છે. એટલે કે આ કથા નથી પણ મિથ્યા મત છે.) કેટલાંક કુતીર્થિકો સાધુની પ્રતારણાર્થે આ પ્રમાણે કહે છે અથવા – સ્વ વર્ગને શીતલવિહારીઓ આ પ્રમાણે કહેતા સંભળાય છે કે, રામગુપ્ત રાજર્ષિ આહારાદિ કરવા છતા સિદ્ધિને પામ્યા, બાહક શીતોદકનો પરિભોગ કરવા છતાં સિદ્ધિ પામ્યા અને નારાયણ. નામના ઋષિ પરિણત ઉદક આદિનો પરિભોગ કરવા છતાં સિદ્ધિ પામ્યા. અર્થાત્ આ અન્યતીર્થિકો આ રીતે આહાર, શીતોદક, પરિણત ઉદક આદિના પરિભોગ કરવા છતાં સિદ્ધિ પામ્યા પછી આ બધાંના ત્યાગનો શો અર્થ છે ? એ જ રીતે આસિલ, દેવિલ, કૈપાયન અને પારાસર આદિ ઋષિઓ શીતળ, બીજ, હરિતકાય આદિના પરિભોગ કરવા છતાં સિદ્ધિ પામ્યા તે પ્રમાણે લોકમાં સંભળાય છે. આ ઋષિઓ ત્રેતા-દ્વાપર આદિમાં પ્રખ્યાત હતા. કુતીર્થિકો પોતાના જૂથને આ પ્રમાણે કહીને જણાવે છે કે આઈતુ પ્રવચનમાં પણ ઋષિભાષિત આદિમાં આ વાત આવે છે. આવી અન્યતીર્થિકોની વાતથી મંદ, બાળ, અજ્ઞાની વિષાદ પામે છે. ૦ આગમ સંદર્ભ :સૂયમૂ ૨૨૬ થી ૨૨૮ + ૦ તામલિતાપસ કથા : (આ કથા દેવ-દેવી કથાનક વિભાગમાં ઇશાનેન્દ્રની કથામાં વિસ્તારથી આવી જ ગયેલ છે. અહીં માત્ર તામલીના તાપસપણા જેટલી કથાનો જ સાર રજૂ કરેલ છે. કથા માટે – જુઓ ઇશાનેન્દ્ર) તે કાળે, તે સમયે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં તામ્રલિસી નગરીમાં મૌર્યપુત્ર તામલી નામે ગાથાપતિ રહેતો હતો – ૪ – ૪ – ૪ – તેણે પ્રાણામાં પ્રવજ્યા અંગીકાર કરવાનો વિચાર કર્યો – ૪ – ૪ – મુંડિત થઈને તેણે પ્રાણામા પ્રવજ્યા અંગીકાર કરી. પછી અભિગ્રહ કર્યો કે આજથી હું નિરંતર છઠ-છઠ તપની આરાધના કરીશ. માવજીવ આ આરાધના કરતા પારણે આતાપના ભૂમિમાંથી ઉતરી ભિક્ષા લેવા જઈશ, તે સિવાય રોજ આતાપના ભૂમિમાં રહી સૂર્ય સન્મુખ બે હાથ ઊંચા કરી આતાપના લઈશ. પારણાના દિવસે સ્વયંકાષ્ઠપાત્ર લઈ તામ્રલિસીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૂઠસામુદાનિક ભિક્ષાચરીને માટે ભ્રમણ કરી ભિક્ષાવિધિ દ્વારા શુદ્ધ ઓદન લાવીશ. તેને એકવીશ વખત ધોઈને ખાઈશ – એ પ્રમાણે તામલી તાપસ આહાર કરે છે. તામલી તાપસની પ્રવજ્યા પ્રાણામાપ્રધ્વજ્યા એટલા માટે કહેવાતી હતી કે, તે જે વ્યક્તિને જ્યાં જુઓ ત્યાં તેને પ્રણામ કરતો. ઇન્દ્ર, સ્કંદ, રુદ્ર, શિવ, વૈશ્રમ, આર્યા, રૌદ્રરૂપ ચંડિકા, રાજા યાવત્ સાર્થવાહને અથવા કાગડા, કુતરા, ચાંડાલ આદિમાંથી જેને જોતો તેને પ્રણામ કરતો. ઉચ્ચ વ્યક્તિને ઉચ્ચ રીતિથી અને નીચને જોઈને નીચ રીતિથી પ્રણામ કરતો હતો. – ૮ – ૮ – ૮ – છેલ્લે તેણે સંલેખના સ્વીકારી, અનશન કર્યું. પાદપોપગમન સંથારો સ્વીકાર્યો – યાવત્ – ઇશાનેન્દ્ર થયો. ૦ આગમ સંદર્ભ :
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy